SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કેટલેક કાળ રાજા ત્યાં વ્યતીત કરે છે. પછી રાજા પિતાના રાજ્યમાં જઈ અને ફરીથી તરતજ ત્યા આવવા જણાવે છે. પછી દેવીએ તેને આમલા જેવા મોટા મોતીનો હાર આપી રાજાને વિદાય કરે છે. રાજા કંઠમાં નાખી વેતાળની સહાય વડે પોતાના નગરમાં આવતાં પ્રજા મહોત્સવ કરે છે. બંગરાજા સિહાસન પર બેસે છે અને બંગરાજાના સત્યગુણોનું કીર્તન કરનાર લોકવાળું યંત્ર મોટા આદરથી પ્રાપ્ત કરે છે તે સ્વામીના બહુમાનથી હું વાંચું છું જે વાંચીને આપે પૂછયું કે બંગરાજા કેણું છે અને શત્રુઓને વિજય કેવી રીતે કર્યો વગેરે પૂછવાથી મેં નિવેદન કર્યું. પછી વિચારે છે કે-અસાધારણ સાહસવાળા પુરુષરને અત્યારે પણ સંભળાય છે. તેથી જ કહેવાય છે કે “જ્ઞાન, તપ, શૂરવીરતા, વિનય અને દાનને વિષે વિસ્મય કર અગ્ય છે. ” કારણ કે આ પૃથ્વી બહુ રત્નવાળી છે. પછી વજનભ રાજપુત્ર મુસાફરને પ્રસ્તુત અર્થ કયો છે તેમ પૂછતાં મુસાફર કહે છે કે મેં જે તમને વિજયા રાજપુત્રી કહી હતી તેને વર નિમિત્તિયાએ વાવીય મહારાજાનો પુત્ર વજનાભ થશે તે વરને જોવા માટે ચંદ્રકાન્ત રાજાએ મને મોકલે છે. આ પ્રસ્તુત પ્રયજન છે. પછી બેઠેલ પરિવાર તે મુસાફરને કહે છે કે તે જ આ વજનાભ કુંવર છે. પથિક પિતાને પ્રયત્ન-પ્રયાસ જહદી સફળ થયો છે, તેમ માને છે. દરમ્યાન પ્રતિહાર આવીને દેવ આપને બોલાવે છે તેમ કહેતાં પથિક સાથે રાજા પાસે આવે છે. પથિક થડા દિવસ ત્યાં રહી પિતાના નગરમાં આવી ચંદ્રકાંત રાજાને સર્વ વૃતાંત જણાવે છે. ત્યારબાદ ચંદ્રકાંત રાજા સઘળી રિયાસત, કષ, કે ઠાર સાથે વિજયા રાજપુત્રીને શુભંકરા નગરીએ મોકલે છે. શુભ મુહૂર્વે રાજપુત્રીને વજનાભની સાથે લગ્ન થાય છે. પુત્ર વનાભને સર્વ રીતે અનુકળ અને તૈયાર થયેલ જાણી નિમિત્તિયાએ કહેલ મુહર્ત જેને પોતાને હાથે • રાજ્યસિંહાસન ઉપર સ્થાપન કરે છે અને સમગ્ર રાજલકની હાજરીમાં રાજા ન્યાય અને નીતિયુક્ત પ્રજાનું પાલન કરવા ઉપદેશ આપે છે. પછી રાજા, રાણી, રાજેશ્વર, શ્રેષ્ઠીઓ, પુરોહિત વગેરેના પુત્ર સહિત તે રાજા તે જ વખતે પધારેલા મુનીશ્વર અનંતયશ નામના સૂરીશ્વર પાસે ચારિત્ર અંગીકાર કરી વિહાર કરે છે. અને નિરતિચાર ચારિત્ર પાળીને કેટલાક વખત પછી સ્વર્ગલોકને પામે છે. અહિં વનાભ રાજા રાજ્યને સુખે ન્યાયપૂર્વક પાલન કરે છે અને ઉચિત સમયે વિજયારાણીની કુક્ષીએ પુત્રને જન્મ થાય છે જેનું ચક્રાયુદ્ધ નામ પાડવામાં આવે છે. અહિં રાજપુત્ર પણ વયમાં વૃદ્ધિ પામે છે એટલામાં ભગવાન ધર્મવર ચક્રવર્તી યથાર્થ નામવાળા ( અહિંઆ પ્રભુના ગુણોનું વર્ણન ગ્રંથકર્તા ભગવાન કરે છે તેવા) ક્ષેમંકર નામના તીર્થકર ભગવાન પધારે છે, દેવ સમવસરણની અનુપમ રચના કરે છે. રાજા વગેરે ત્યાં આવી વંદન કરી ઉચિત સ્થાને બેસે છે. પ્રભુ ત્યાં સદ્ધર્મ દેશના આપવાને પ્રારંભ કરે છે. સં અસારપણું બતાવી, વર્તમાનમાં “જિનેશ્વરની વંદના. પૂ. સ્વાધ્યાય, ધ્યાન, વિનય, અને સેવાનું આચરણ કરવા અને વિશદ્ધ ધર્મના કાર્યમાં ઉદ્યમ કરવા વગેરે ઉપર દેશના આપે છે. ( પા ૯૨ ) કેટલાક લોકે દેશવિરતિ સર્વવિરતિપણુ પામે છે. વજ્રનાભ રાજા સર્વવિરતિને ઈચ્છતો, પ્રભુને વાંદી વસ્થાને આવે છે. પછી રાજાએ પોતાના પુત્ર ચક્રાયુદ્ધને બોલાવી જણાવ્યું કે–પરમાત્મા ક્ષેમંકર પ્રજ પાસે મેં આજે સમગ્ર દુઃખનો નાશ કરવામાં સમર્થ, ક્ષમાદિક ગુણે કરી સહિત ધમને ચાર સાંભળી આ પ્રહવાસ, આ રાજયલક્ષ્મી, આ શરીર. પ્રિયજનોને સંગ વગેરે સ્વપ્નવત, અથિર. નાશવંત અને વિદ્ગોના સમૂહરૂપ ( આ સંસાર) જાણી હું આ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરવા છું અને તું આ રાજ્યકારભારને પ્રહણ કર. ચક્રાયુદ્ધ હાલ દિક્ષા ન લેવા રાજાને વિનંતિ કરે છે. પણ રાજાનું ચિત્ત વૈરાગ્ય વાસિત થયેલ હોવાથી સંસારની ક્ષણભંગુરતા વિશેષ પ્રકારે જણાવે છે. જે મનન કરવા જેવું છે ( પા ૯ ) પછી ચક્ર યુદ્ધ રાજ્ય અંગીકાર કરે છે. ત્યારબાદ સર્વ સંગને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy