________________
[ ૧૯૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા :
""
થયું છે, તેથી કૃપા કરીને દશ ગણુધરાના અનુક્રમે પૂર્વ ભવના વૃત્તાંતને આપ કહેા. ત્યારે ભગવાને કહ્યું કે-“ તમે સ` એકાગ્ર મનવાળા થઈને સાંભળા—
આ જ જમૂદ્રીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં વૈશ્રમણુ( કુબેર )ની નગરીના વિભ્રમવાળી કૌશાંબી નામની નગરી હતી. તેમાં નમસ્કાર કરતા સામતાના સમૂહના મુગટાવર્ડ સ્પર્શ કરાયેલા પાપીઠવાળા અને માટા માહાત્મ્યવડે શત્રુઓના નાશ કરનાર વિજયઘાષ નામે રાજા હતા. તેને માટા સૌભાગ્ય વગેરે ગુણુાથી ન્યાસ પદ્માવતી નામની ભાર્યા હતી. તેમને ત્યાગ, ભાગ અને શાંડીય ( શૂરવીરતા ) વિગેરે ગુાવર્ડ વિશેષ પ્રસિદ્ધિને પામેલેા જયમ ગલ નામના પુત્ર હતા. આ પ્રમાણે પોતપોતાના કર્મને અનુસારે સુખ સ'પદાને બ્રેાગવતા તેમના દિવસેા નિર્માંમન થતા હતા. તેમાં તે રાજપુત્ર અત્યંત ઉદાર પ્રકૃતિપણાને લીધે થાડા પ્રસાદના સ્થાનને વિષે પણ ઘણા વિત્તનું . દાન કરતા હતા. તેને એક વખત ખેલાવીને રાજાએ કહ્યું કે “ હે વત્સ ! પુરુષને દાન દેવાને ગુણુ હાય, તે ચાગ્ય જ છે. કેમકે કહ્યું છે કે- સેંકડા મનુષ્યેામાં એક જ શૂરવીર થાય છે, હજારામાં એક જ પંડિત થાય છે, અને લાખા મનુષ્યેામાં ત્યાગી દાતા કદાચ કાઇક થાય છે અથવા નથી પણ થતા. ' માત્ર પેાતાના વૈભવની અપેક્ષા રાખ્યા વિના જો દાન કરે, તા તે દેશના ત્યાગને માટે થાય છે, તેથી પરિમિત દાન કરવું ચેાગ્ય છે. વળી હૈ વત્સ ! શું તે આ વૃદ્ધ વચન નથી સાંભળ્યું ? કે-લાભને ઉચિત ( ચેાગ્ય ) દાન કરવું, લાભને ઉચિત ભાગ કરવા, લાભને ઉચિત પરિવાર રાખવા, અને લાભને ઉચિત નિધિ કરવા. તથા વળી હે વત્સ ! નિર ંતર હાથી, ઘેાડા અને પદાતિના સમૂહને ચેાગ્ય અશન પૂરવામાં ( આપવામાં ) સામતાદિકને હુ'મેશાં પ્રસાદ ( પગાર ) આપવામાં અને નવા નવા હાથી, ઘેાડા વિગેરેને ગ્રહણ કરવામાં ઘણા દ્રવ્યના વ્યય થાય છે, તે શું તું નથી જોતા ? તથા અપકીર્તિના પડહના ભયથી અન્યાયવડે લે!કા પાસેથી એક કાડી પણ લેવી ચાચ્ય નથી. તથા——
હૈ વત્સ ! દ્રવ્ય વિનાના સાધુએ જશેાલે છે, પર ંતુ રાજપુત્રા શાભતા નથી, કેમકે હુંમેશાં તેના ઉપયાગથી જ સર્વ ક્રિયાઓ થઇ શકે છે, એમ તું જાણું, સારી જાતિ, સારું' રૂપ, માટુ' સૌભાગ્ય અને શ્રેષ્ઠ આજ્ઞાનું અશ્વ પણું આ સર્વ લક્ષ્મી રહિત મનુષ્યાને રૂના જેવું તુચ્છ છે. હે વત્સ ! તું શુ' નથી જોતા ? કે-જાતિ વિંગેરે ગુ@ાવર્ડ શાલતા મનુષ્યા પણ ધનવાળા હલકા માણુસના પણ દાસપણાને અને કકરપણાને અંગીકાર કરે છે. એક જ ધનરૂપી ગુણે કરીને માણસ માટા ( ઘણા ) ગુણુવાળા માણસની પણુ ઉપર ( ચડીયાતા ) કરાય છે, તેથી હે વત્સ ! લક્ષ્મીનો મેાટી વૃદ્ધિ કરવી જ ચેાગ્ય છે. ” આ સાંભળીને રાજપુત્ર કહ્યું કે-“ આપ જે મને આજ્ઞા આપેા છે તે જ હવે મારે કરવાનુ છે. અત્યારે ગયેલી વાર્તા કહેવાથી શે। ગુણુ છે ? ’' તે સાંભળીને રાજાએ પેાતાના હાથથી પાનખીડું આપવાપૂર્વક તેને રજા આપી, ત્યારે તે રાજપુત્ર પેતાના મકાનમાં