________________
ગણધરને પૂર્વભવ.
[ ૧૯૧ ]
બાલ્યાવસ્થાથી જ પ્રેમના અનુબંધવાળા તથા બંધુ, મિત્ર અને સ્વજન ઉપર રાગરહિત થયેલા અને કામદેવનું અત્યંત મથન કરનારા બીજા કેટલાકે પણ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભાવતી દેવી પણ ભગવાનની પ્રત્રજ્યાના કાળથી આરંભીને દરેક સમયે વિષયસુખેનું ક્ષણભંગુરપણું, પ્રેમબંધનું સંધ્યાના રાગ જેવું ચપળપણું, આયુષ્યનું પર્વતના શિખર ઉપરથી પડતી નદીના જળના જેવું ચપળપણું ભાવતી (વિચારતી) હતી કે “તે દિવસ કયારે આવશે? કે જે દિવસે સંસારના નિવાસનો ત્યાગ કરનારા પાર્શ્વનાથ સ્વામી પોતે જ મને નિરવદ્ય પ્રત્રજ્યા આપે? વળી તે દિવસ કયારે આવશે? કે જે દિવસે અંગ, ઉપાંગ શાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કરતી અને ગુરૂકુળમાં લીન થયેલી હું વિહાર કરીશ? વળી તે દિવસ ક્યારે આવશે? કે જે દિવસે ગુરૂણી (સાધ્વી) જનની મધ્યમાં રહેલી હું શુદ્ધ, ઉંછ અને તુચ્છ આહારને અમૃતની બુદ્ધિથી વાપરીશ?” આ વિગેરે મનોરથની શ્રેણિને નિરંતર વિચારતી અને મોટા સંવેગને પામેલી તે પ્રભાવતી દેવીએ રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી, સેનાપતિ, મંત્રી અને સામંત વિગેરેની હજારો પુત્રીથી પરિ. વરેલી તથા દીન અને દ0 જનેને ઈચ્છા પ્રમાણે નિષેધ રહિત (નિરંતર) દ્રવ્યના સમૂહને આપતી મોટી વિભૂતિવડે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આઠ મહાપ્રાતિહારિકવડે પ્રગટ માર્ગવાળા તથા ગણધરે, સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ વડે યુક્ત એવા પાર્શ્વનાથ ભગવાને પહેલા સમવસરણને વિષે અનર્થના સમૂહને નાશ કરવાના સામર્થ્યવાળા અને ભવસાગર તરવામાં વહાણ જેવા તીર્થને વિસ્તાર કર્યો (તીર્થ સ્થાપના કરી). ત્યાર પછી બીજે દિવસે ભગવાન સમવસરણની મધ્યે પૂર્વાભિમુખ રહેલા હતા તેના પાદપીઠની સામે પાસે શુભદત્ત નામના મોટા ગણધર બેઠા હતા, અને તેની પછી બાકીના ગણધરનો વર્ગ અનુક્રમે બેઠા હતા. બાકીના સ્થાનમાં અનુક્રમે સાધુ, સાધ્વી, દેવ, દેવી, નર, નારી અને તિર્યંચનો સમુદાય બેઠો હત, તે સર્વ સભાસદના નિમેષ રહિત નેત્રરૂપી ભમરાઓ નિંદ્રના મુખરૂપી કમળમાં નિશ્ચળપણે રહ્યા હતા, તેમના શ્રવણપુટ ધર્મવચનરૂપી અમૃતનું પાન કરવામાં પ્રસાર પામ્યા હતા, તથા ભીંતમાં આલેખેલા ચિત્રની જેમ સર્વે સ્થિર રહેલા હતા, તેમને ભગવાન સર્વને સાધારણ અને જનપ્રમાણ ક્ષેત્ર સુધી વિસ્તાર પામતી વાણી વડે ધર્મ કહેતા હતા, તે વખતે મોટા આનંદને વહન કરતા અશ્વસેન મહારાજાએ ભગવાનને વાંદીને તથા શુભદત્તાદિક ગણધરોને નમીને કૌતુક પામવાથી ભગવાનને પૂછયું કે-“હે ભગવાન! આ ગણધરેયે પૂર્વ ભવે શું કર્યું હતું ? કે જેથી આપના દર્શન માત્રથી જ આવા પ્રકારના સર્વ સાવધનો ત્યાગ કરવામાં ઉદ્યમવાળી પ્રતિપત્તિ ઉત્પન્ન થઈ ? તેમાં પણ આવા પ્રકારનો નિર્મળ બુદ્ધિને પ્રકર્ષ અને અપ્રતિરૂપ ગુણ તેમને શી રીતે પ્રાપ્ત થયા ? ” ત્યારે જગદગુરુએ કહ્યું કે-“હે મહારાજા ! પૂર્વ જન્મમાં આચરેલા પુણ્યના પ્રકર્ષને આ વિકાસ છે.” રાજાએ કહ્યું કે-“હે ભગવાન ! મને મોટું આશ્ચર્ય ઉત્પન્ન