SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ... .. . ગ મ ન - - - - - WI/. પ્રસેનજિત રાજાએ કરેલી પ્રભાવતી લગ્ન પ્રાર્થના. [ ૧૫૩ ]. જેટલામાં તેઓ માટી ભક્તિ વડે મનહર વાણવડે બોલતા હતા, તેટલામાં પુરુષોત્તમ પાસેથી કુમારના આગમનનું વૃત્તાંત જાણીને તથા યુદ્ધને આડંબર શાંત થયો જાણીને તત્કાળ પ્રસેનજિત રાજા નગરમાં મહત્સવ કરાવીને પિતાના સમગ્ર સૈન્ય સહિત નગરથી નીકળે, અને પાર્શ્વ કુમારની પાસે ગયો, અને ઉચિત સેવા કરીને સુખાસન ઉપર બેસીને આ પ્રમાણે બે, “માનું છું કે-હે જગત્મભુ! ખરેખર મારા પુછયથી જ તમે અહીં પ્રાપ્ત થયા છે, કેમકે અપુણ્યશાળીને ઘરમાં કદાપિ વસુધારા પડે જ નહીં. સુકૃતના સમુદ્રરૂપ તમારા સમાગમથી હું પણ પુણ્યનું સ્થાન થયે છું; કેમકે પુરુષને યોગ કેના ઉદયને હેતુ ન હોય? મારા હદયરૂપી જે વનને વૃક્ષ દુહના ઉદયવડે સુકાઈ ગયે હતું, તે અકાળના મેઘ સમાન તમને પામીને જલદી પલવિત થયા છે. તથા પ્રસરતા ઉત્તરોત્તર મોટા મનેરથરૂપી પુષ્પવાળો પણ થયે છે. હવે હે દેવ! તમારા પ્રભાવથી તે જલદી ફળની સંપદાને પામે, તેથી હે દેવ! આ મારી પ્રભાવતી પુત્રી જે પ્રકારે શીધ્રપણે યથાર્થ નામવાળી થાય તે પ્રકારે અતિ પ્રસિદ્ધ કરો કેમકે કલ્યાણકારક કાર્યો ઘણું વિતવાળા હોય છે.” આ પ્રમાણે તે રાજાના કહેવાથી મંત્રીઓનેએ તરત જ તિષ શાસ્ત્રના અર્થને ભણનારા જેશીઓને બોલાવ્યા, અને તેમને પ્રાણિગ્રહણને યેગ્ય એવું લગ્ન (મુહૂર્ત) પૂછ્યું: ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરીને પાસે જ પ્રાપ્ત થયેલ વિશિષ્ટ ગ્રહોના બળવડે શ્રેષ્ઠ લગ્ન કહ્યું. ત્યારે બન્ને પક્ષવાળાએ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી શુભ મુહુર્ત આવ્યું ત્યારે કુળવાન વૃદ્ધ સ્ત્રીઓએ મટી ઋદ્ધિના વિસ્તારથી તીર્થજળવડે અને સર્વ ઔષધીવડે વધુ વરને સ્નાન કરાવી, રિવાજ પ્રમાણે તે બન્નેને પંખ્યા (પંખણા કર્યા). પછી નિષેધ રહિત સર્વને દાન આપ્યું, મેટા માણસને ઉપચાર કરાવ્યું, મંગળના વાજિંત્ર વગડાવ્યા, વાચાળ સ્ત્રીને સમૂહ વારંવાર વિસ્તારથી ગીત ગાવા લાગ્યો. આ પ્રમાણે બન્ને પક્ષના સંતેષવડે પ્રભાવતી તેમજ કુમારનું પાણિગ્રહણ(હસ્તમેળાપ) થયું. પછી ફેરા ફેરવ્યા. કન્યાના હાથને મૂકવાને સમયે પ્રસેનજિત રાજાએ ભુવનના સ્વામીને હાથી, અશ્વ અને રથ વિગેરે તથા સુવર્ણ, ચીન, અર્ધચીન વિગેરે વિચારથી પણું અધિક દાન આપ્યું. આ રીતે મોટા હર્ષથી વિવાહ સંપૂર્ણ થયે. વૃદ્ધિ પામતા પૂજાસત્કારના પ્રકર્ષવડે કેટલાક દિવસ સુધી પરમેશ્વર કુશસ્થળ નગરમાં રહ્યા. પછી સર્વ રાજલેકવડે અનુસરતા તે પ્રભુ પિતાની નગરીને ઉદ્દેશીને નીકળવા લાગ્યા, તે વખતે ફરીથી પ્રસેનજિત રાજાએ મેટા વસ્ત્ર અને અલંકાર વિગેરેવડે તેનું સન્માન કર્યું. પછી પ્રભુ તે નગરથી નીકળ્યા ત્યારપછી પાંચમા પ્રયાણકને વિષે (પાંચ મુકામ સુધી સાથે રહ્યા પછી) પ્રભુના પગમાં નમવું વિગેરે મટી ભક્તિવાળા કલિંગરાજા વિગેરેને પિતપિતાના રાજ્ય આપીને તથા સન્માન કરીને પ્રભુએ વિદાય કર્યો, ત્યારે તેઓ પિતાના
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy