________________
.
[ ૧૪૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
,,
ઇંદ્રવર્ડ પણ ધર્મથી ચલિત કરવાને અશકય છે, તથાપ્રકારની ઈચ્છા નહીં છતાં પણ ખાહ્ય વૃત્તિથી રાજ્યસુખને અનુભવતા છતાં પણ ( આ રીતે વિચારતા હતા ) “ તે સારા દિવસ કયા હશે ? અથવા મારા સ ંમત તે કયા સમય હુંશે ? સારું પવિત્ર તે નક્ષત્ર પણ મને ક્યારે પ્રાપ્ત થશે ? કે જે વખતે પુત્રને વિષે રાજ્યના ભાર નાંખીને ભરત રાજાની જેમ સુગુરુ પાસે દીક્ષા અંગીકાર કરીને સ્વજનાદિક લાકની અપેક્ષા રહિત, સંગ રહિત, છઠૂં અઠ્ઠમ વિગેરે તપ કરવાથી કૃશ શરીરવાળા હું વિહાર કરીશ ? અને છેવટે સારી રીતે આરાધના કરીશ ? ” ઇત્યાદિ વિચાર કરીને તે બુદ્ધિમાન બીજે કાઇ અવસરે પ્રસેનજિત નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને જિનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરીને તેવા કોઇપણ ક્રમવડે તે નીકળ્યા, કે જેના વડે અતિ દુષ્કર કાર્ય કરનારાનુ મન પણ અતિ આશ્ચય પામ્યું. આ પ્રમાણે સાંભળીને અશ્વસેન રાજા વિસ્મયના વશંથી વિકસ્વર મુખકમળવાળા થઈને સામંતાદિકની પાસે આ પ્રમાણે કહેવા લાગ્યા, કે આ આશ્ચર્ય જીએ કે–કેટલાક મનુષ્યા એક વાટિકા( કાઢી )ના પણ ત્યાગ કરતા નથી, અને ખીજા કેટલાક રાજ્યલક્ષ્મીને પણ ધર્મને માટે તૃણુની જેમ તજે છે. કેટલાક કામદેવના રૂપને તિરસ્કાર કરનારા શરીરવાળા છતાં પણ શરીરને વિષે આસક્ત થતા સુખરૂપી ચંદ્રવડે, શરીરરૂપી સૂર્ય વડે, એ નેત્રરૂપી સૌમ્ય( સૌમ્યતાવાળા-બુધ )વડે સ્તનભરરૂપી ગુરુ( ભારે–બૃહસ્પતિ )વડે, કવિ( વિદ્વાન-શુક્ર )વડે, વખાણવાલાયક મધ્ય ભાગવડ, મંદ ગતિવાળા ( શનિ ), લેાહિત ( લાલ–મંગળ ) એ ચરણકમળવડે, કેતુ ( વક્ર-કેતુગ્રહ ) કેશપાશવડે, તારા ( મનેાહર-તારાએ ) લેચન ક્રાંતિવડે બનાવેલી નથી, અને કેટલાક અનેક રાગે કરીને વ્યાકુળ છતાં પણ તે દૈને વિશે જ રાગ કરે છે. કેટલાએક સારા રૂપવાળી સ્ત્રીને વિષે ચક્ષુ પણ નાંખતા નથી, અને ખીજા કેટલાક સોંકલ્પથી કલ્પના કરેલી તે સ્ત્રીને વિષે મેહ પામે છે. કેટલાએક ધીર પુરુષા રાગરૂપી રાજની સાથે પણ મત્સરથી યુદ્ધ કરે છે, અને ખીજા કેટલાક સ્રીના અધ નેત્રવધુ જોવાયાથી ફ્લેશ પામે છે. સુકૃતને સારી રીતે કરનારા કેટલાક કિસ્વર મુખવાળા થઈને મરણને પણ ઇચ્છે છે, અને ખીજા કેટલાક તે મરણનું સ્મરણ થતાં જ ભયથી વ્યાકુળ થઇને ચમકી જાય છે. તથા કેટલાએક પ્રીતિવાળા પણુ ખ'જનને અસારની બુદ્ધિથી તજી દે છે, અને કેટલાક કજીયા કરવાવડે મિલન એવા પણુ તે બધુજનને યત્નવડે શેાધે છે. આ પ્રમાણે મનુષ્યપણું તુય છતાં પણ તમે તર્ક કરી કે અનુપમ (અસાધારણ ) વિશેષ ચેષ્ટાવાળુ આવું અનુષ્ઠાન ભિન્ન ચિત્તવૃત્તિવાળાનું શી રીતે દેખાય ? આ પ્રમાણે અશ્વસેન રાજાએ માટા વિસ્મયવડે અધિક ઉછળતા વાણીના વિસ્તારવડે કહ્યુ', ત્યારે સભાજનાએ ‘તદ્ઘત્તિ ' ( તમે કહેા છે. તેમજ છે ) કહીને સવ સ્વીકાર્યું. ત્યારે તે કહ્યું કે- હે દેવ ! પ્રસ્તુત અને સાંભળેા. ” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું, ત્યારે તે કૃત એલ્યે કે– સામાન્ય ( સરખી ઋદ્ધિવાળા ) હુજારા રાજાએ જેના માર્ગને અનુસરે છે, જેણે યાચક વર્ગના મનારથ પૂર્ણ કર્યાં છે,
ܕܕ