________________
શ્રી પ્રભાવતીને શ્રી પાર્શ્વનાથકુમાર પ્રત્યે પ્રગટેલ અનુરાગ.
[ ૧૪૭ ]
રથની જેમ જે પેાતાના ચક્ર( સમૂહ )ને ચલાવવામાં કુશળ છે, વખાણવા લાયક પરાક્રમવડે જેણે શત્રુના પક્ષને દખાવી દીધા છે, જિનેશ્વરના ચરણુની પૂજારૂપી જળવš જેણે પાપરૂપી મળને ધાઇ નાંખ્યા છે, સિદ્ધાંતનેા સાર સાંભળવાવડે જે નિર્દેળ વિવેકી છે, સારા સાધુજનની ઉપાસના કરવાવડે જેનું સમકિત વિશુદ્ધ છે, સમુદ્રની જેમ જેના મધ્ય (હૃદય ) પામી શકાતા નથી, અને સૂર્યની જેમ જેના પ્રતાપ હણાયા નથી, એવા શ્રી પ્રસેનજિત રાજા પૂર્વના ક્રમવર્ડ રાજ્યનું પાલન કરે છે. પછી કાળના ક્રમવડે અનુપમ રૂપ અને લાવણ્યવડે શાભતી સ્વયંપ્રભા નામની તેની ભાયોને સારા સ્વપ્નથી સૂચન કરેલા જન્મવાળી પ્રભાવતી નામની શ્રેષ્ઠ પુત્રી ઉત્પન્ન થઇ છે. તે હંમેશા વૃદ્ધિ પામતા લાવણ્ય, વણુ અને સૌંદર્યાદિક ગુણાવાળી ચંદ્રની જાણે મૂત્તિ હાય તેમ સર્વ કળાના સમૂહને પામી, અને અનુક્રમે સમગ્ર લેાકના લેાચનના ઉત્સવરૂપ યૌવનને પામી છે. ચંદ્ર જેવા મુખવડે, સૂર્ય જેવા શરીરવડે, બુધ જેવા એ નેત્રાવડે, શુરૂ ( બૃહસ્પતિ ) જેવા સ્તનભારવર્ડ, કવિ શુક્ર )વડે કીર્તન કરવાલાયક મધ્યભાગવડે, શનિ જેવા મંદ ગતિવાળા, કેતુ જેવા કેશના સમૂહવર્ડ અને તારા જેવી લેાચનની કાંતિવડે સર્વ જ્યાતિષના સમૂહવર્ડ જાણે બંનાવી હોય તેમ Àાલતી તે કુમારી સખીજન સહિત વિવિધ ક્રીડાવડે ક્રીડા કરતી કાઇક વખત મયૂર નામના ઉદ્યાનમાં ગઇ. ત્યાં આમતેમ ચાલતી તે પુષ્પને ચુંટતી હતી તે વખતે તેણીએ ઘણા પાંદડાવાળી શાખાઓના સમૂહવર્ડ સૂર્ય ના કિરણેાના વિસ્તારને રાકતા એક તમાલ વૃક્ષની નીચે લીન થયેલ કિન્નરીઓએ ગાયેલી આ એ ગાથાઓ સાંભળી. “ સમગ્ર કળારૂપી કલહંસના સમૂહને કમલાકર ( સરેાવર ) સમાન, સુકૃતના ભંડાર, શ્રી અશ્વસેન રાજાના કુળરૂપી આકાશતળમાં રહેલ નિર્મળ ચદ્ર સમાન, જયવડે પ્રકાશમાન અને મેટા સૌભાગ્યવરે કામદેવના ગા નાશ કરનાર શ્રી પાર્શ્વનુ પાણિગ્રહણુ કદાચ બહુ પુણ્યવાળી કન્યા કરી શકે. ” આ પ્રમાણે કાંઇક કુમારના ગુણુનુ કીન સાંભળીને તે ખાળા કહી ન શકાય તેવા અને પૂર્વ કોઈપણુ વખત નહીં અનુભવેલા રસાંતરને પામી. તે વખતે જાણે ક્રોધ પામેલા હાય તેવા કામદેવે અવસર પામીને એકીવખતે જ પોતાના પાંચે ખાણેાવડે તેણીને તાડન કર્યું. ત્યારપછી જાણે સૂતી હાય, જાણે મદોન્મત્ત થઈ હાય, અને જાણે મૂર્છા પામી હેાય તેમ કુમારનું જ અંત:કરણમાં ધ્યાન કરતી, આંખાને મીંચતી અને પ્રસાદનું સ્થાન છતાં પણ પ્રિય સખી જનની સાથે નહીં ખેલતી તે ખાળા વારવાર સખીએ એ ખેાલાવી છતી પણ મૌન ધારણ કરીને રહી. “ અરે! હા! હા! અચેાન્ય કાળે પણ વિધાતાએ આ શું કર્યુ? ” એ પ્રમાણે કરુણા સહિત વિલાપ કરતી સખીઓને આશ્વાસન કરવા માટે યેાગ્ય કાળે પણુ હુંકાર શબ્દ કરવા લાગી. તે વખતે “એ ગાથાના ગીતને સાંભળવાથી આને કામદેવને વિકાર થયા છે” એમ સંભાવના કરતી સખીઓએ તેણીને કહ્યું કે “ હું પ્રિય સખી ! તું ભાગ્યશાળી છે, કે જેના ( તારા ) સારા સ્થાનમાં અનુરાગ થયા છે. કેમકે તું રાજહંસની પુત્રી છે, અને