________________
રાજાની કુંવરીનું અહિં સુંદર વર્ણન કરે છે જે સાંભળી અંગરાજા કામના પરાધીનપણાને પામે છે, એવામાં લાંબા કાળનાં સંબંધવાળા એક વિદ્યાધર ત્યાં આવી રાજાની વિહવળ દશા જોઈ કાંઈપણ કામ હોય તો કહેવા રાજાને જણાવે છે. રાજા વિજયાકુંવરી સંબંધી પોતાનું વાંછિત કહે છે ત્યારે વિદ્યાધર માતપિતાએ આપેલી કન્યાને પરિગ્રહ કરવો થોગ્ય છે. બાકી ઉચિત નથી તેમ જણાવતાં રાજા માનતા નથી. જેથી તે વિદ્યાધર પોતાની વિદ્યાના બળથી તે કંવરીને અહિં લાવીને તમને સોપું; પરંતુ તેણીની ઇચ્છા વિના અસત પ્રવૃત્તિને ત્યાગ કરવા રાજાને જણાવે છે. રાજાએ તેમ કરવા હા કહેવાથી વિદ્યાધર ચંદ્રકાંત રાજાના ભવનમાં આવે છે. રાત્રિ થઈ ગયેલી હોવાથી કાળા વસ્ત્રવડે તેને ઢાંકીને તે વિદ્યાધરે ઉપાડી અંગરાજાને સેપે છે અને તમારે બળાત્કારથી આનું કાંઈપણ પ્રતિકુળ કરવું નહિ તેમ અંગરાજાને પ્રતિજ્ઞા આપી ખેચર (વિદ્યાધર) ત્યાંથી રવાના થાય છે. અહિં અંગરાજા તેણીને સમજાવે છે તેપણુ રૂદન કરે છે, માતપિતાને સંભારે છે, ખાનપાનને ત્યાગ કરે છે. અહિં બંગરાજા સવારના પિતાની પુત્રીનું હરણ કરાયેલું જાણી વિલાપ કરે છે અને પિતાનું કોઈ દુશ્મન નથી છતાં કેમ બન્યું ' અને તેનું હવે શું કરવું તેમ પિતાના મંત્રિઓને જણાવે છે. એવે વખતે વિરાજગઢ નામના મંત્રિપુત્ર કહે છે કે-વામ ભાગમાં નિપુણ ભાગનારાયણ નામના અમારા ગુરુ છે જેઓ મંત્ર, તંત્ર, વગેરેમાં કુશળ છે તેથી તેઓને પૂછવાની જરૂર છે. એમ વિચારી રાજા વિરાધગુપ્ત મંત્રી અને થોડા પરિજનવડે ભાગુનારાયણ પાસે જાય છે. ભાગુનારાયણના કહેવાથી પિતાના આવવાનું પ્રયોજન જણાવે છે. ભાગનારાયણ રાજાને કહે છે કે આવું દુઃસાધ્ય વસ્તુ સાધવામાં સમર્થ ચંડસિંહ વેતાલને મંત્ર છે. વેતાલ કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રિએ મશાનમાં જઈ રાતા કણવીરના પુલવડે એક હજાર ને આઠ વાર જાપ કરવાથી સાધી શકાય છે. તે વખતે ભયંકર ઉપસર્ગો પ્રાપ્ત થાય તે પણ જરાપણ ક્ષોભ પામવો ન જોઈએ. પછી ભાગનારાયણ પાસેથી મંત્ર લઇ રાજ ઘેર આવી રાણીને સર્વ વૃત્તાંત જણાવે છે. પછી કૃષ્ણપક્ષની ચૌદશને દિવસ રાત્રિના તરવાર સાથે બંગરાજા નગરીની ઉત્તર દિશામાં એક ગુપ્તપણે મોટા સ્મશાનમાં આવે છે. ( અહિં તે ભયંકર સ્મશાનનું વર્ણન કરવામાં આવે છે. ) રાજા ત્યાં પ્રથમ એક ઠેકાણે મંડલ આલેખે છે, બળિદાન નાંખે છે અને બખ્તર બધી નિશ્ચલ દ્રષ્ટિ સ્થાપન કરી ચંડસિંહ વેતાલન મંત્રનું સ્મરણ પુપનો જાપ કરે છે, ચેડા વખત પછી ત્યાં ઉલ્કાપાત થયા છે. સૌભાગ્યસુંદરી વગેરે આક્રંદ સહિત તમારું દર્શન દુર્લભ છે એમ જાણે બેલતી હોય તેવો ભાસ થાય છે. પછી ઉપસર્ગોના દેખાવ થયા પછી તે વેતાલ ત્યાં હાજર થાય છે. વેતાલ રાજાને પોતાના જીવને ત્રાજવામાં નાખવા જેવું જોખમ નહિં નાંખવા વગેરે હકીકતોથી સાધના કરવાની ના કહેતાં રાજા અડગ રહે છે. પછી વેતાલ સુધા તૃષાથી પોતે પીડ પામતે હોવાથી માંસ, રૂધિર રાજાને બલિદાન આપવા જણાવે છે. રાજા વેતાલના કહેવાથી પિતાના તિક્ષણ ખડગવડ પિતાના અંધાદિક પ્રદેશને છેદીને માંસ આપે છે. વેતાલ તે ખાય છે. પછી તૃષા માટે શરીરની નસોને છેદી રુધિર વેતાળને પીવા આપે છે, ફરીથી માંસ માગતાં રાજા શરીર છેદે છે. છેવટે પિતાની કંધરા છેવા લાગે છે. અર્ધ કંધરા છેદતાં, વેતાલે મોટા પ્રયત્નવડે રાજાના હાથમાંથી ખગ લઈ પિતાની દિવ્ય દેવ શક્તિથી રાજાના શરીર પીડાને નાશ કરી, તેના પગમાં પડી, વિનંતિપૂર્વક રાજાની પ્રશંસા કરે છે અને તારો ખરીદ કરાય હું સર્વથા તારે દાસ છું. અને પછી શું કાર્ય કરવાનું છે તેમ રાજાને પૂછતાં રાજા વેતાલને કહે છે કે મારી પુત્રી વિજયાને કોણે હરણ કરી છે, તે કઈ રસ્થીતિમાં છે? વેતાલ કહે છે કે તમારી પુત્રીને અંગ દેશને અધિપતિ જાને તેના બાળમિત્ર જ્ઞાનગર્ભ નામ ઉપાધ્યાયે પંચાંગ પ્રસાદના લાભ પૂછવાના પ્રસંગે વિજયાના રૂપાદિ