SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અધિપતિ ચંદ્રકાંત નામના રાજાનું ગુણકીર્તન છે જે કુમાર પોતે વાંચવા માગે છે. વાંચી તે પુરુષને કહે છે કે-ઇંદ્રોને જીતી અરાવણ હાથી ગ્રહણ કર્યો, પંચાલ દેશના રાજાને વનવાસી કર્યો. એ આ દેશનો રાજા કોણ છે? ત્યારે તે પુરુષ કહે છે કે જે દેશના ભૂજ પુર નગરમાં અમારો સ્વામી ચંદ્રકાંત નામને રાજા છે તેને એક દૂતે આવીને કહ્યું કે વિજયપુર નગરમાં વિજયદેવ રાજાને ભાગ્યસુંદરી નામની પુત્રી છે તેના લગ્નનો વિચાર કરતાં રાજાને તે કુંવરીએ કહેવરાવ્યું કે જે રાધાવેધન વિધાનને જાણનાર હોય તેની સાથે જ હું લગ્ન કરીશ. તે ઉપરથી તે રાજા પિતાના મંત્રિઓને તે કાર્ય કરવાનો હુકમ' આપે છે. સર્વ તૈયારી થઇ સર્વ દેશના રાજએ આવે છે તેમ ચંદ્રકાંત રાજ પણ ત્યાં આવે છે. લગ્નના અવસરે રાજા અને તેની પુત્રી શણગાર સજી મંડપમાં આવે છે. દાસીઠાશ દરેક દેશના રાજાઓની ઓળખ, પ્રશંસા, પરાક્રમ વગેરે કુંવરી સાંભળે છે. પછી બધા રાજાઓ રાધાવેધ કરવામાં નિષ્ફળ થાય છે. છેવટે ચંદ્રકાન્ત રાજા ઉભા થઇ બાણ હાથમાં લઈ રાધાવેધ સાધે છે અને કુંવરી તેના કંઠમાં વરમાળા આપે છે અને લગ્ન કરી ચંદ્રકાંત રાજા પોતાના નગર તરફ પ્રયાણ કરે છે. દરમ્યાન રસ્તામાં વિજયપુર નગરને શુક્ર નામે રાજા ચંદ્રકાંત રાજાનું પરાક્રમ સાંભળી દેષ થતાં પિતાના નગરનું લશ્કર એકઠું કરી બીજા સામંત રાજાઓ સાથે રાવણ હસ્તી પર આરૂઢ થઈ પિતાના નગરથી થોડે દૂર જઈ આ તરફ આવતા ચંદ્રકાંત જાને પિતાના દૂત મારફતે કહેવરાવે છે કે અમારા રાજ્યની સેવા સ્વીકારી, સૌભાગ્ય સુંદરીને આપી તમારા દેશ તરફ જાઓ, નહિં તો યુદ્ધ કરવા તૈયાર થાઓ. દૂતના તે વચને સાંભળી તે શુક્ર રાજાને તિરસ્કાર, યુદ્ધ કરવા તૈયાર થાય છે. પછી બને રાજાઓનું સૈન્ય સહિત પ્રચંડ યુદ્ધ થાય છે. શુક્ર રાજા પોતાના સૈન્યને વિશેષ સંહાર થતે જોઈ, પરસ્પર આપણે બે પિતે જ યુદ્ધ કરીએ, શા માટે સૈન્યનો સંહાર કરીયે ? એમ દૂતધારા જણાવતાં રાજા હાથી ઉપર ચડી અને ચંદ્રકાંત રાજા રથમાં બેસી સામસામા યુદ્ધ કરવા લાગ્યા. શક્તિ, ધનુષ્ય, વજ વગેરે યુદ્ધ કરતાં છેવટે શુક્ર રાજાનું વક્ષસ્થળ ભેદાતાં શુરાજા મરણ પામે છે આકાશમાંથી દેવોએ ચંદ્રકાન્ત ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને અરાવણ હસ્તી લઈ ચંદ્રકાન્ત રાજા પિતાના નગર ભણી જાય છે. રસ્તામાં પાંચાલ દેશનો રાજા તેના મંત્રિઓએ વાર્યા છતાં બંગ દેશના રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે જેથી ચંદ્રકાન્ત રાજાએ તેના મેઘનાદ નામના સેનાપતિએ પિતાને યુદ્ધ કરવા જવાની આજ્ઞા માંગતાં તેને તે માટે વિદાય કર્યો અને યુદ્ધ કરતાં પંચાલ દેશના રાજાનો પણ તે પરાજય કરે છે. અને બંગદેશના રાજાએ તેને બંધનમુક્ત કર્યો. અને તેના રાયે સ્થાપન કરતાં પોતાને પરાજ્ય સહન નહિં કરવાથી છેવટે પંચાલ રાજાના રાજ્યનો ત્યાગ કરી તાપસની દીક્ષા લઈ તેણે વનવાસનો સ્વીકાર કર્યો અને ચંદ્રકાંત રાજ સમાનપૂર્વક રાણી સહિત પિતાના નગરમાં પ્રવેશ કરે છે. કેટલાક વખત પછી સૌભાગ્યસુંદરી એક પુત્રીને જન્મ આપે છે. તેનું નામ વિજયા પાડે છે. કેટલાક વખત પછી ત્યાં જ્ઞાનગભ નામને એક નૈમિત્તિક-જોશી ત્યાં આવતાં બંગ રાજા તેનું સન્માનપૂર્વક પિતાની પુત્રીને કોણ સ્વામી. થશે એમ પૂછે છે. જોશી ભાવિ ભાવને જાણનારો હોવાથી કહે છે કે-આપની પુત્રીને શાંકરા નગરીના વજવીર્ય રાજાના પુત્ર વજીનાભ નામના કમાર સ્વામી થશે. પછી રાજા પોતાની પુત્રીને વિશ્વકર્મા નામના ઉપાધ્યાયને અનેક કળાઓ શિખવા સેપે છે. તે બુદ્ધિનિધાન રાજાની પુત્રીને કળાઓનું જ્ઞાન આપી પિતાના અંગ દેશમાં જાય છે અને ત્યાંના રાજાને મળવા જતાં અંગ દેશના રાજા આટલા વખત ક્યાં હતાં તે પૂછે છે. કળાચાર્ય બંગ દેશના રાજા ચંદ્રકાંતની પુત્રીને સમગ્ર કળા શિખવવા ગયો હતો ત્યાં તે રાજાએ મને પંચાંગ પ્રસાદનો લાભ આપે છે, એમ જણાવીને રાજાના કહેવાથી કળાયા બંગદેશનાં
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy