________________
૧૭
વરૂપની ભાવનાં કરવા રાજા તેને જણાવે છે. દરમ્યાન શ્રી સુરગુરુ નામના સૂરિ મહારાજ ઉદ્યાનમાં
છે તેની વધામણી રાજાને મળવાથી હાથી પર બેસી રાજા સપરિવાર સૂરિમહારાજને વાંદવા માટે તે ઉદ્યાનમાં આવે છે. પછી હાથી પરથી ઉતરી સૂરિમહારાજને વાંદે છે અને આચાર્ય મહારાજ અમૃતમય વાણીવડે યથાસ્થિત કર્મનું સ્વરૂપ પછી કર્મપ્રકૃતિબંધ સંબંધી પ્રકાશ કરે છે, ચાર ગતિના સંસારનું વર્ણન, પ્રમાદના દુષ્ટ વિલાસનું સ્વરૂપ અને છેવટે સમ્યગુ જ્ઞાન વિના કરેલા તપ, અનુષ્ઠાન વ્યંતરાદિક હીનફળને આપનારા જણવે છે, (પા. ૬૫) જે સાંભળી સરિમહારાજને વંદના કરી રાજા સ્વસ્થાને આવે છે. ત્યારબાદ સારા મુહૂર્તયેગે, ચંદ્રબળની અનકળતાએ સારા નક્ષત્રે લગ્ન અને સારા દિવસે પરિવાર સામત વગરને પોતાને સવવિરતિ લેવાનો નિશ્ચય જાહેર કરી પુત્ર કિરણતેજને ગાદીએ બેસાડી પિતાની રાણીઓને બોધ કરી, સર્વને ખમાવી, જિનેશ્વર મંદિરમાં અઠ્ઠાઇમહોત્સવે કરી, સાધુ સાધર્મિક બંધુઓને ઉચિતતા પ્રમાણે દાનવડે સન્માન કરી, કેદખાનામાંથી ગુન્હેગારોને મુક્ત કરી દીનદુઃખીઓને અનુકંપા દાન આપી કેટલાએક રાજપુત્ર વગેરે સહિત કિરણગ વિદ્યાધર રાજા સુરીશ્વર પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. (પા. ૬૬ ) કેઈપણ કામ સારા મુહૂર્ત કરવાથી નિર્વિધને ફલિભૂત થાય છે. દરેક ધર્મના શાસ્ત્રકારનું એવું કથન છે. માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગકરણ, લગ્ન એ રીતે શુભ જેવાય છે. ત્યારબાદ બંદિજનો તેમના ચારિત્રની અને તેમના પુરુષાર્થની બહુજ પ્રશંસા કરે છે. પછી તે મહામુનિ છઠ્ઠ, અટ્ટમ, વગેરે અનેક દુષ્કર તપ કરતાં, મમતાનો ત્યાગ કરતાં ગામ બહાર અને નગરાદિકને વિષે વિચરવા લાગ્યા, કિરણતેજ રાજા પણ મોટી રાજલક્ષ્મીને ભોગવવા લાગ્યો. અહિં કિરણ વેગ મનિ ગીતાર્થ થયા એમ જાણી ગુરુની આજ્ઞા લઈ એકલવિહારની પ્રતિમાને અંગીકાર કરી આકાશમાગે ગમન કરતાં પુષ્કર દિપાધમાં આવે છે ત્યાં શાશ્વતી પ્રતિમાને વંદન કરી તે મુનિ હર્ષને ધારણ કરતા વૈતાલ્યગીરિ પાસે હેમગીરીની સમીપે પ્રતિમા ધારણ કરી દિવસનુદિવસ વૃદ્ધિ પામતી શુભ ભાવનાવાળા તે મુનિ ત્યાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. હવે પૂર્વે કહેલ કુટ સર્ષ મોટા પાપસમૂહને ઉપાર્જન કરી પાંચમી નરકે જાય છે. ત્યાંના દુઃખોનું વર્ણન ૬૭માં) બતાવેલ છે, ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તે જ શૈલની પાસેના નિકુંજને વિષે એક યોજનના શરીરવાળો મોટો સર્પ થાય છે અને આમતેમ ભમતાં તે સર્ષ કાસર્ગમાં નિશ્ચલ શરીરવાળા કિરણગ વિદ્યાધર રાજર્ષિને પૂર્વ ભવના ઉદયમાં આવેલા વૈરના કારણથી તેમના શરીરે અનેક ઠેકાણે કંસે છે; પરંતુ તે મહામુનિવર તે સર્પ ઉપર કેપ, રોષ ખેદ નહિં કરતાં, તેને ઉપકારી માની આત્મવિચારણું કરે છે અને સમતાપૂર્વક સિદ્ધ ભગવાનનું સ્મરણ કરી, અનશ/ પ્રહણ કરી, સર્વ જીવોને ખમાવતાં આયુષ્ય પૂર્ણ થતાં તે કિરવેગ મુનીશ્વર અચુત કલ્પમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય છે.
હવે આ તરફ જખદીપને વિષે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધાવતી વિજયમાં શુભંકરા નગરીને - વિષે વાવીર્ય રાજા છે જેને લક્ષમીવતી નામની ભાર્યા છે. જેની કુક્ષીમાં બારમા દેવલોકથી યુવી કિરણુગ પુત્રપણે જન્મે છે તેનું નામ વજનાભ પાડે છે. ( આ પ્રભુને ચોથો ભવ છે ) વય થતાં એક દિવસ તે કુમાર કેટલાક પ્રધાન પુરુષો સાથે અશ્વક્રીડા કરવા નગરની બહાર નીકળે છે ત્યાં થાકી જતાં એક કંકળીના વૃક્ષની નીચે બેસે છે; જ્યાં એક કશ શરીરવાળા વૃદ્ધ પિતાની પાસેના તાડપત્રમાં લખેલું કાંઈ વાંચતા જોઈ અને તે શું વાંચે છે તેમ પૂછતાં તે પુરુષ જણાવે છે કે બંગ દેશના