SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના જન્માભિષેક માટે ઈંદ્રનું મેરુપર્યંત પર આગમન, [ ૧૩૭ ] સ્તુતિ કરીને તે વામાદેવીને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રાધિન કરીને અને તેની પાસે પુત્રના પ્રતિબિંબને સ્થાપન કરીને ઇંદ્ર પાતાના પાંચ દિવ્ય રૂપા કર્યાં. તેમાં એક રૂપવડે હિરએ ચંદનથી લીધેલા હસ્તકમળમાં જગદ્ગુરુને સારી રીતે સ્થાપન કર્યો, બીજા રૂપવડે તેની ઉપર છત્ર ધારણ કર્યું, ખીજાએ રૂપવડે તેને ચામર ઢાળવા લાગ્યા, તથા એક ( પાંચમા ) રૂપવડે હાથમાં એક જ ધારણ કરી પ્રભુની આગળ ચાલ્યા. આ પેાતાના પાંચ રૂપના નિર્માણને (વિકુણાને ) હર્ષથી સફળ થયા એમ વારંવાર અનુમેદના કરતા તે ઇંદ્ર મેરુપર્યંત તરફ શીઘ્ર ચાલ્યા. આ પ્રમાણે મેટા પ્રમેદને પામેલા તથા વાનર, મગર, રૂ, સિહ, હરણુ, વરાલય, શરભ, રથ, યાન અને જયાન ઉપર ચડેલા પેાતાના દેવસમુદાયથી પરિવરેલ તે ઇંદ્ર નિમેષ માત્રમાં જ મેરુપર્યંતને પામ્યા. વળી જે મેરુપર્યંત સર્વ દિશામાં પ્રસરતા મોટા સ્કુરાયમાન રત્નાના પ્રસરતા કિરણેાના સમૂહવડે સૂર્યના બિંખના પણ વિક્ષેપ(તિરસ્કાર) કરે છે; તથા તે પ્રકારે આકાશતળને અત્યંત ઉલંઘન કરીને ઊંચે દૂર વૃદ્ધિ પામ્યા છે, કે જે પ્રકારે દેવ અને દાનવાએ પણ માપ કરવાના દંડ જેવા તેને માન્યા. તે પર્વત પર એક ઠેકાણે સૂર્યના કિરણેાવડે બ્યાસ માટા સ્ફટિક રત્નમાંથી અગ્નિની જવાળા ઉછળતી હતી, અને બીજી તર ચંદ્રની જ્યેાનાવડે તાડન કરાયેલ સ્ફટિક રત્નજળની વૃષ્ટિ કરતું હતું. એક તરફ નિર્મળ મરકતમણિના કરણેાના સમૂહથી શ્યામ કાંતિવાળા તે પર્યંત દેખાતા હતા, અને બીજી તરફ અંક અને કતક મણિના કરણે રૂપી જળવડે જાણે કે તે ક્ષાલન કરાયા હાય તેમ શ્વેત દેખાતા હતા. એક તરફ્ શાલ, હિં'તાલ, ખકુલ, તાલ અને તમાલના વનવર્ડ મનેાહર દેખાતા હતા, અને બીજી તરફ કલ્પવૃક્ષના વનવર્ડ માટી દિશા એના સમૂહવડે શેાલતા હતા. દેવના મિથુનના વસવાથી વિકસ્વર સુગંધવડે તે પર્યંતના મંણિના શિલાપટ્ટે રમણીય દેખાતા હતા, તથા તે પર્વત ઉપર નાચ કરતી કિન્નરોની સ્ત્રીઓએ દેવાના નૃત્યના ગર્વ નાશ કર્યા હતા. આવા પ્રકારના તૈ દેવગિરિ( મેરુ) ઉપર મનેાહર સંચારને કરતા અને હસ્તકમળમાં જિનેશ્વરને ધારણ કરનાર ઇંદ્ર દેવા સહિત આવ્યા. શંકરના હાસ્ય જેવી અને 'સના જેવી શ્વેત, અર્ધ ચંદ્રના આકારવાળી અને પાંચસેા ચેાજન લાંબી અતિપાંડુકખલા નામની શિલા ઉપર રહેલા વજ્રા, ઇંદ્રનીલ, મરકત અને ક તક વિગેરે રત્નના બનાવેલા સિંહાસન ઉપર પ્રદક્ષિણા પૂર્ણાંક પેાતાના ઉત્સુગમાં ચિંતામણિની જેમ જિનેશ્વરને માટા યત્નથી ધારણ કરતા અને ક્ષણે ક્ષણે પ્રમાણથી અધિક વૃદ્ધિ પામતા સ ંતાષવાળા તે ઇંદ્ર બેઠા. આ અવસરે મણિના મુગટ, કડા અને કટિસૂત્ર( કંદારા) વિગેરેવડે શાભતા, જગમપણાને પામેલા કલ્પવૃક્ષની જેમ શેાભતા, સિંહ, હરણુ, મગર, વાનર, હાથી અને અશ્વ વિગેરે વાહન ઉપર બેઠેલા, ઘણા કોટાકોટિની સખ્યાવાળા પાતપાતાના દેવાએ કરીને સહિત, અને આસન ચાલવાથી ૧૮
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy