________________
[ ૧૩૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
પર્વતવડે મંથન કરાતા ક્ષીરસમુદ્રને દેવસમૂહને કંપાવનાર અતિ ગંભીર આ મોટે નિનાદ છે? અથવા તે શું અકસ્માત વિઘટિત ( ફુટેલા) બ્રહ્માંડથી ઉત્પન્ન થયેલ અને એક જ સમયે દિગ્ગજના કંઠની ગર્જનાથી વિસ્તારને પામેલો આ પ્રચંડ શબ્દ છે?” આ પ્રમાણે ઘણા પ્રકારની શંકા કરીને જેટલામાં સારી રીતે ઉપગવાળા થઈને જુએ છે, તેટલામાં સુઘાષા ઘંટાના પ્રતિશબ્દનો સમૂહ તેઓએ જા. પછી નાટકાદિકના વ્યાક્ષેપને તજીને “આજે મનુષ્યલોકમાં કાંઈ પણ કલયાણાદિક કાર્ય પ્રાપ્ત થયું છે.” એમ એવામાં તેઓ વિચારે છે, તેવામાં સેનાપતિએ આષણા કરી કે-“હે દેવના સમૂહો ! તમે સાંભળો–આજે ભરતક્ષેત્રમાં મોટા સત્વવાળા ત્રેવીસમાં જિનેશ્વર જગ્યા છે, તેના જન્માભિષેકને માટે ચાલેલા ઇંદ્રની પાસે સૈન્ય અને વાહન સહિત તમે સર્વ અદ્ધિવડે એકદમ આવો.” આ પ્રમાણે અમૃતના રસની જેમ શ્રવણને સુખ ઉત્પન્ન કરનારું તે વચન સાંભળીને સર્વ દે બીજા વ્યાપારનો ત્યાગ કરીને તત્પર તૈયાર થયા. આ સમયે ઇદ્ર પાલક નામના દેવને બોલાવ્યો. ત્યારે તે પૃથ્વીતળને ચુંબન કરતા મસ્તકવડે પ્રણામ કરીને બોલવા લાગ્યો, કે-“હે દેવ ! મને આજ્ઞા આપે.” ત્યારે ઇંદ્રે તેને કહ્યું કે-“તું વિમાન તૈયાર કર.” ત્યારે તેણે “તથા પ્રકારે હે” એમ કહીને ઇંદ્રને આદેશ અંગીકાર કર્યો. પછી લાખ યેજનના પ્રમાણવાળા, અનેક રત્નના બનાવેલા સ્થૂલ થાંભલાના સમૂહવડે શોભિત, પદ્વવર વેદિકાવડે વીંટાયેલા પર્યત ભાગવાળા, ઊંચી ફરકતી વેત વિજય પતાકાવડે મનેહર, દ્વારના તોરણવાલા, સ્થિર અને સ્થળ તંભ ઉપર સ્થાપન કરેલા શાલભંજિકા(ધૂતળી)વડે મનોહર, લટકતા નિર્મળ મોતીના હારવડે વ્યાસ, તથા પાંચ પ્રકારના સુગંધી મંદાર પુષ્પની માળાના સુગંધના ઉછાળાવાળા શ્રેષ્ઠ વિમાનને બનાવીને ભક્તિથી નગ્ન થયેલા તેણે ઇંદ્રને નિવેદન કર્યું. ત્યારે ચાર
પાળવડે, આઠ અઠ્ઠમહિષી(પટરાણીવડે, સાત સૈન્ય વડે, સાત સેનાપતિવડે, ત્રણ ૫ર્ષદાવડે, રાશી હજાર સામાનિક દેવવડે, તેનાથી ચાર ગુણા (ઉ૩૬૦૦૦) અંગરક્ષક દેવડે અને બીજા પણ અનેક કરોડ દેવ અને દેવીઓ વડે પરવરે ઇદ્ર તે વિમાન ઉપર ચડીને તિર્યમૂલકના મધ્ય ભાગે કરીને અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગીને વાણારસી નગરીમાં આવ્યા. ત્યાં વિમાનના વિસ્તારને સંકેચ કરીને જિનેશ્વરના જન્મગૃહને ત્રણ પ્રદક્ષિણા આપીને મોટા વિનયવડે ઘરની અંદર પ્રવેશ કરીને જિનેશ્વર અને જિનેશ્વરી માતાની સ્તુતિ કરવા લાગે.
હે દેવી ! તમે જય પામો છે કે–તમારો આ શ્રેષ્ઠ પુત્ર સંસારસાગરમાં પડતા પ્રાણીને તારવામાં વહાણ સમાન અને તીર્થકર ઉત્પન્ન થયો છે. આટલા માત્રથી જ તમે આ ભયંકર સંસાર સમુદ્રને ગાયના પગલાની જેમ ક્રીડા માત્રથી જ કીર્તિવાળા થઈને તરી ગયા છે. તમે અવશ્ય ઉત્તમ મુનિઓમાં આશીર્વાદનું પાત્ર સ્થાન)રૂપ થયા છે. તથા તમે પિતાના સુચરિત્રવડે કરીને ત્રણ ભુવનને પણ પવિત્ર કર્યું છે. ” આ પ્રમાણે