SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૩ જો ઃ ( સતી સ્ત્રીના ) મુખમાં રહેલ, ઉછળતી જવાળાના સમૂહવડે દુઃખથી જોઇ શકાય તેવા અને જાણે ઘીવર્ડ સિચન કર્યું... હાય તેમ વૃદ્ધિ પામતી શિખાવાળા અગ્નિને તેણે એકદમ સ્વપ્નમાં જોચે. આ પ્રમાણે ચૌદ સ્વપ્ના જોઇને વામાદેવી તુષ્ટમાન થઇ, અને શય્યાના ત્યાગ કરીને રાજાની પાસે અનુક્રમે સર્વાં સ્વપ્ના કહ્યાં. તે સાંભળીને અશ્વસેન રાજા પણ અમદ ( ઘણા ) આનંદના સમૂહને ધારણ કરતા પેાતાની બુદ્ધિવડે સ્વપ્નના સ્વરૂપને વિચાર કરીને કહેવા લાગ્યે કે–“ હે દેવી ! મેાટા પુણ્યના પ્રક્રથી પામી શકાય તેવા આ સ્વપ્નાના પ્રભાવથી હું એમ માનું છું, કે—ત્રણે ભુવનમાં પ્રખ્યાત કીર્તિના સમૂહવાળા, ચાર સમુદ્રથી વીંટાયેલી સમગ્ર પૃથ્વીના વલયના સ્વામી, સુર અને અસુરને પણુ વંદન કરવા ચેાગ્ય ચરણકમળવાળા અને સ રાજાએના સમૂહના મુગટ સમાન પુત્ર તમને થશે. તેથી સુખાસન ઉપર બેસીને કલ્યાણકારક દેવગુરુના વિષયવાળી કથાએ કરીને શેષ રાત્રિને તું નિ`મન કરજે. ” તે સાંભળીને “ તમે જે કહેા છેા, તેજ પ્રમાણે હા” એમ કહીને વજ્રના છેડાની મજબૂત શકુનની ગાંઠ બાંધીને તે દેવી કહેલ વિધિ પ્રમાણે રહેવા લાગી. તે વખતે વામાદેવીના ગર્ભમાં અવતરેલા ત્રણ ભુવનના પ્રભુના પ્રભાવથી ચલાયમાન આસનવાળા અને અવધિજ્ઞાનવર્ડ જિનેશ્વરના ગર્ભમાં અવતાર થયે એમ જાણીને માટા ઉત્સવવાળા ખત્રીશે ઇંદ્રો વિસ્તાર પામતા મોટા હર્ષથી વિવિધ પ્રકારના રત્નના વિમાનની શ્રેણિવડે ગગનતળને આચ્છાદન કરતા, વાણારસી નગરીમાં આવ્યા. પછી જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, ભૂમિતળને વિષે મુકુટના મંડળને નમાવી તથા પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા— “ હે દેવી ! ભવરૂપી અંધકૂપમાં પડતા પ્રાણીઓના ઉદ્ધાર કરવામાં સમર્થ અને ચિંતામણિ રત્નના પરાજય કરનાર પુત્રને કુક્ષિને વિષે ધારણ કરનાર તમે વિજયવંત છે, પરંતુ મા અને ઉન્માને જોવામાં વિહ્વળ થયેલા ત્રણ ભુવનને ( જીવાને ) સન્મામાં સ્થાપન કરવાવડે હે દેવી ! તમે અંધ માણુસની ટ્ટિની જેમ ઉપયેગી છે. અનુપમ ગુણુરૂપી રત્નના નિધિ સમાન પુત્રને કુક્ષિને વિષે ધારણ કરતી એવી તમે કેવળ પેાતાના આત્માના જ ભવથી ઉદ્ધાર કર્યો છે એમ નહીં, પણ ત્રણે જગતનેા ઉદ્ધાર કર્યો છે. હૈ દેવી ! પેાતાના કુળરૂપી આકાશતળના મંડળને પ્રકાશ કરવામાં પ્રધાન તું જયવંત વર્તે છે, અને ચંદ્રની જ્ગ્યાનાની જેમ કેાને સતાષ નથી કરતી ? હે દેવી ! જ્યાં તારી જેવી શ્રેષ્ઠ રત્નને ધારણ કરનારી ઉત્પન્ન થાય છે, ત્યાં તુચ્છ સ્વભાવવાળા પણ સ્ત્રીવર્ગ કેમ ગર્વ વહન ન કરે ? ” આ પ્રમાણે મેટા હષ થી પ્રસરતા ઘણા રામાંચવડે કંચુકીવાળી કાયાવાળા ઇંદ્રો જિનમાતાની સ્તુતિ કરીને પેાતાને સ્થાને ગયા. વિશેષ એ કે-દેવાના પ્રભાવથી તે વાણુારસી નગરીમાં ચાતરફ સુગંધી પુષ્પાના સમૂહ પડ્યા, દરેક સમયે માટા કલ્યાણુ ( ઉત્સવ ) વિકાસ પામ્યા, ડિંખ અને ડમર વિગેરે વ્યાધિઓ નાશ પામી અને સુખી સ્વજના હર્ષ પામીને ગાછી કરવામાં તત્પર થયા,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy