SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નૈમિત્તિકાએ કહેલ ચૌદ સ્વપ્નાનું ફળ. [ ૧૩૧ ] ત્યારપછી વામાદેવી મંગળ કથાવડે રાત્રિને નિĆમન કરીને પ્રાત:કાળે શય્યાથકી ઊઠીને દેવતાના ચરણકમળની પૂજા કરવા પ્રવતી. અશ્વસેન રાજાએ પણ સૂર્ય મ`ડળના ઉદય થયા ત્યારે પ્રભાતનું કાર્ય કરીને પ્રધાન નાકરવર્ગ ને મેલાન્યા, અને તેમને કહ્યું કે—“ અરે ! તમે જલદી જલદી પન્નુન્યાસપૂર્વક જઇને સ્વમશાસ્ત્રના પરમાર્થ ને જાણવામાં વિચક્ષણ નૈમિત્તિકાને જલદી અહીં લાવા. ” ત્યારે રાજાની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરનારા તેઓ હવડે વિકસ્વર મુખવાળા થઈને નૈમિત્તિકાના ઘરને વિષે ગયા, અને તેને રાજાના આદેશ કહ્યો ત્યારે તે નિમિત્તિયાઓએ સ્નાન કરી, માટા મૂલ્યવાળા શ્રેષ્ઠ વસ્રો પહેરીને, મેાટા મૂલ્યવાળા અલંકારાવડે અંગને વિભૂષિત કરીને, સુગંધી પુષ્પોની માળાવડે કેશના ગુચ્છાને શણગારીને તથા નિમિત્તશાસ્ત્રના પુસ્તકને હાથમાં ગ્રહણ કરીને રાજમહેલમાં આન્યા. એ જ પ્રતિહારના કહેવાથી રાજસભામાં પેઠા. ત્યાં રાજાને આશીર્વાદ આપીને સુખાસન ઉપર બેઠા. પછી પુષ્પ, ફળ, તાંબૂલ અને રેશમી વસ્ર આપવાથી તેમને સ ંતુષ્ટ કરીને રાજાએ પૂછ્યું કે—“ હે દેવાનુપ્રિય ! આજે મધ્યરાત્રિને સમયે સુખે સૂતેલી વામા દેવીએ આ હાથી, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ના જોયા. તેના ક્ળિવપાક કેવા થશે? તે સારી રીતે વિચારીને યથા કહેા. ” આ પ્રમાણે રાજાએ નમ્રતાપૂર્વક પૂછેલા તે નિમિત્તિયાએ સારી રીતે સ્વપ્નશાસ્ત્ર જોઈને પરસ્પર નિશ્ચય કરીને કહેવા લાગ્યા.— “ હે દેવ ! ઘણા જન્મમાં કરેલા મોટા સુકૃતના સમૂહને ભજનાર (પામેલ ) પ્રાણીઓ પ્રગટ મહાફળવાળા આવા સ્વપ્ના જુએ છે. જે સુકૃત રહિત હૈાય તે આમાંનાં એક એક સ્વપ્નને પણ જોઇ શકતા નથી, તેા પછી આના સમૂહને શી રીતે જોઇ શકે? તા હવે એક એક સ્વપ્નનું ફળ તમે સાંભળેા. હાથીના દર્શનથી તમારા પુત્ર નિરંતર દાનને વરસાવનાર થશે ૧, વૃષભના દર્શનથી ઉપાડેલા મેાટા ભારને ધારણ કરવામાં શક્તિમાન થશે ૨, સિંહના દર્શનથી શૂરવીર, કાઈથી પણ પરાભવ નહીં પામનાર અને ભયરહિત થશે ૩, લક્ષ્મીનું સ્થાન જોવાથી મેરુપર્વત ઉપર સ્નાન(અભિષેક )ને ચેાગ્ય થશે ૪, પુષ્પની માળા જોવાથી ભવ્ય પ્રાણીઓના સમૂહરૂપી ભમરાઓને સેવવા લાયક થશે ૫, વળી ચંદ્રને જોવાથી તે મોટા હર્ષનુ (આનંદ ઉલ્લાસનું) કારણુ થશે ૬, સૂર્ય દેવના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારનું હરણ કરી શુદ્ધ ચિત્તવાળા થશે, ધ્વજના જોવાથી પાતાના કુળરૂપી પ્રાસાદ ઉપર ધ્વજાની જેમ શાલશે ૮, કળશના દર્શનથી તે મેાક્ષનગરના માર્ગમાં ચાલેલા જીવાને મંગળરૂપ થશે ૯, પદ્મ સરોવરના દર્શનથી પક અને તૃષા વિગેરે દોષને હરણ કરનાર થશે ૧૦, સમુદ્રના દર્શનથી ગભીર અને મનેાહર ગુણુરૂપી મણિના નિવાસ( ઘર )રૂપ થશે ૧૧, વિમાનના દનથી સ્વર્ગ વિમાનમાંથી આવેલ જણાય છે ૧૨, રત્નના સમૂહના દર્શનથી મોટા મૂલ્યવાળા ગુરુરૂપી રત્નના મોટા સમૂહવાળા થશે ૧૩, તથા અગ્નિના દર્શનથી સર્વ કર્મરૂપી ઇંધણાને માલનાર થશે (મેાક્ષમાં જશે ) ૧૪. આ પ્રમાણે મેટા પુણ્યના સમૂહનું પાત્રરૂપ, શ્રેષ્ઠ પુરુષામાં પુંડરીક (કમળ) સમાન અને ત્રણે લેાકને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy