SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : વડે લાલન કરાતા, હર્ષવાળી મૃગાક્ષી( સ્ત્રી )ના વક્ષ:સ્થલમાં વિલાસ કરવાને ચેાગ્ય વૈભવવાળા અને વૈભવના વિસ્તારવટે કુબેરને પણુ હલકા કરનાર એવા પુણ્યવાન મનુષ્યને જોઇને મનને વિષે વૈરાગ્યને પામેલા તે વિચાર કરવા લાગ્યુંા. “હું માનું છું, કે ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઇ પણ સુકૃત કર્યું` નથી, જો એમ ન હાય, તેા આવા પ્રકારના દુઃખનું સ્થાન હું કેમ થયેા હાઉં ? હું માનું છું કે-મારા દુવિ`લાસવર્ડ તે પણ મારા માતા, પિતા, ભાઇ અને સ્વજનવર્ગ સર્વે વિનાશ પામ્યા હશે. આ જગતમાં જન્મની પછી તરત ઉત્પન્ન થયેલા સુખ કે દુ:ખ જે દેખાય છે, તે વિકલ્પ( તર્ક ) રહિત (નિશ્ચે) પૂર્વ ભવનું જ કહેવાય છે. મારા જન્મ પછી તરત જ સમગ્ર માઢું પણ કુળ ક્ષીણ થયુ, તેથી મારા જન્મ પિતાદિકના વિનાશ કરનાર કેમ ન હેાય ? હૈ અધમ વિધાતા! પિતાદિકના વધ કરવા માટે તેં મને કેમ ઉત્પન્ન કર્યો? છું. તેમના વિનાશ કરવા માટે તારી પાસે બીજો ઉપાય નહાતા ? આ વિગેરેવર્ડ મોટા દુ:ખના સમૂ· હુથી દુભાયેલા, ઘણા વિકલ્પાની કલ્પના કરનાર જાણે હૃદયમાં રાતે હાય તેમ ધર્મ કર્મીની સન્મુખ બુદ્ધિવાળા વિચાર કરવા લાગ્યા કે “જગતને વિષે કાંઇ પુણ્ય પ્રગટ જ છે કે જેને આશ્રીને કાઇક મનુષ્ય એકાંત સુખી, નીરોગી અને દીર્ઘ આયુષ્યવાળા દેખાય છે. તથા પ્રાપ્ત થયેલા વાંછિતના સમૂહવડે વૃદ્ધિ પામતા સÔષવાળા અને શરઋતુના ચંદ્રની જેમ બીજાને પણ સતેષ કરનાર દેખાય છે. મનુષ્યપણુ` સામાન્ય છતાં તથા દ્રિચા અને અવયવેાપણું તુલ્ય( સરખું ) છતાં પણ પ્રાણીએની વિચિત્રતા દેખાય છે, તે પુણ્ય અને પાપ વિના ઘટી શકતી નથી. તેથી સેંકડા કષ્ટથી પાષણ કરવા લાયક અને પુણ્યના ઉપાર્જન રહિત માત્ર પૃથ્વીને ભાર કરનાર આ દેહરૂપી પાંજરાઠે મારે શું કામ છે ? જ્ઞાન, તપ, દાન અને પરાક્રમમાંથી એક પણ ગુણવડે જેની ઉન્નતિ ખીજાએવડે ગવાતી નથી, તે પણ શું મનુષ્ય કહેવાય ? જે સંખ્યાવડે કાઇ પણ ઠેકાણે દેખાતા નથી, તેઓ જોવા માત્રમાં જ `પ્રાયે કરીને નાશ પામતા કીડાની જેમ પ્રાણીએ અનતી વાર આ જગતમાં ઉત્પન્ન થાય છે, તેા હવે ઘણા વિકલ્પના સમૂહવડે સર્યું, હવે હું દેખેલા વિશેષ મહાફળ આપવામાં સમર્થ એવા એક ધર્મને જ યત્નવર્ડ કરૂં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને એક આશ્રમના સ્થાનને વિષે જલન નામના કુલપતિની પાસે તેણે તાપસની દીક્ષા અંગીકાર કરી. ત્યારથી આર’ભીને કંદ, મૂળ અને ફળાદિકવર્ડ ભાજનવિશેષ કરતા, વૃક્ષની છાલના વજ્રને ધારણ કરતા, મેાટી જટાના સમૂહવડે મસ્તકનું' વેઇન(વીંટવુ) કરતા અને અસામાન્ય (માટા) બ્રહ્મચર્યના વ્રતના અભિગ્રહને પામેલે તે પંચાગ્નિ વગેરે ઘણા પ્રકારના તવિશેષ કરવા પ્રો એવામાં મનેાહર સુખરૂપી સાગરમાં પેઠેલા, નિરંતર પ્રવર્તતા નૃત્યને જોવામાં વિકસ્વર નેત્રક્રમળવાળા, શ્રેષ્ઠ વિમાનાવતસકમાં સુખે કરીને રહેલા કનકબાહુ ચક્રીશ્વર નામના શ્રેષ્ઠ દેવને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy