________________
પ્રભુને પાંચમો ભવ-સાર્થપુત્રીએ પિતાને કહેલ પોતાના પૂર્વભવ.
[ ૧૦૭ ].
આરોપણ ન કર. દુખથી ઉપાર્જન કરેલ ધન અનેક પ્રકારે નાશવડે ક્ષણભંગુર છે, તેથી સારા ધર્મસ્થાનમાં તેને જે ઉપગ કરે, તે જ તેનું રક્ષણ શાસ્ત્રમાં કહેલું છે. જેઓએ પોતાના હાથવડે વિવિધ પ્રકારના ધર્મ ક્ષેત્રોને વિષે ધન વાપર્યું (વાવ્યું) નથી, તેઓ ધાન્યની જેમ આ જગતમાં ઘણા ફળના સમૂહને ભેગવનાર શી રીતે થાય ? હે સુતનુ! ( સારા શરીરવાળી !) ધર્મ પામેલા માણસની પણ તું કદાપિ નિંદા કરીશ નહીં. કેમકે સદ્ધર્મ કરનારનું બહુમાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ જોવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પોતે ધર્મને કરે છે, અને પોતે અસમર્થ હેવાથી બીજા પાસે ધર્મ કરાવે છે, તથા તે ધર્મને કરનારની જે અનુમોદના કરે છે, તે પણ ધર્મ ઉપાર્જન કરનાર કહેવાય છે.” ( હે પિતા) આ પ્રમાણે તેણે ઘણા પ્રકારની યુક્તિનો સમૂહ મને કહ્યો તે પણ કુટેલા ઘડાની જેમ મારામાં તે ઉપદેશરૂપી જળનો બિંદુ પણ પ્રાપ્ત થયો નહીં. આવા પ્રકારની દુષ્ટ વાસનાથી વાસિત થયેલા અંત:કરણવાળી હું સદ્ધર્મના આચારથી વિમુખ (રહિત) થઈને તથા નિરંતર પાપકર્મમાં તપર થઈને ઈચ્છા પ્રમાણે રહેવા લાગી. પછી એક દિવસ મને ખુલો કઢને રોગ પ્રગટ થયે. મારું શરીર નાશ પામ્યું, નાસિકા અંદર પેસી ગઈ, આંગળીઓ વિસન્ન થઈ ( ગળી પડી), ઝરતા પરૂને પ્રવાહ પ્રસર્યો, તડફડતું માછલાનું જાળ (સમૂળ) ઉછળવા લાગ્યું, અને મરેલા સપના મડદાની જે અનિષ્ટ દેહને દુર્ગધ અત્યંત ઉછળે. તે વખતે તથાપ્રકારની ની અવસ્થા જેવાથી અત્યંત ખેદ પામેલી હં હદયમાં વિચારવા લાગી...અરેરે! યૌવનના મદવડે મતિને વિકમ થવાથી મેં તેવી રીતે ધર્મને દૂષિત કર્યો, કે જે રીતે મારા પ્રાણને વિષે દુસહ દુઃખ આવી પડયું. તેથી હવે શું હું અગ્નિમાં પડું? કે જળમાં પડું? કે વિષ ખાઉં? કે ભયંકર વનમાં જાઉં? કે આત્માનો ઘાત કરૂં ? અથવા કયા કાર્યવડે મારા આવા પ્રકારના દુઃખનો નાશ થાય ? અથવા આવા વિચારથી શું ? પ્રથમ તે આ મારા પતિને જ પૂછું કે-હું શું કરું તે યોગ્ય છે? કે નથી યોગ્ય? કેમકે નિશ્ચય કરેલા કાર્યમાં પ્રવર્તતા જીવોના કાર્યનો નાશ થતો નથી. આ પ્રમાણે વિચારીને મેં તે મારા પતિની પાસે મારે સર્વ અભિપ્રાય કહો (જણ). ત્યારે તેણે પણ સ્નેહથી નમ્રતાના રહસ્યવાળું ધર્મકાર્ય મને કહ્યું. ત્યારે મેં તેને કહ્યું, કે-નાથ! પ્રાણના ત્યાગવડે જે અનુષ્ઠાન (ક્રિયા) જલદીથી વિદન રહિત મહાફળને ઉત્પન્ન કરનાર હોય, તે મને કહો. ત્યારે તેણે અનશનવડે પ્રધાન અને પંચ નવકારના સ્મરણના સારંવાળું સિદ્ધ અનુષ્ઠાન કરવાનું કહ્યું. તે મેં તરત જ કર્યું. મારી પાસે રહેલા તેણે તેવા પ્રકારને આરાધનને વિધિ કર્યો, કે જે પ્રકારે તેના પ્રભાવથી મેં મરીને દેવપણું પ્રાપ્ત કર્યું. પછી તે પિતા! ત્યાંથી અવીને હમણાં આ હું તમારી પુત્રી થઈ છું. વળી આ પણ ફરીથી મારે ઉપકાર કરનાર થયા છે.” આ પ્રમાણે તેણીએ કહ્યું, ત્યારે વસંતસેનને પણ જાતિસ્મરણ થયું, અને આંખો મીંચીને મૂછ પામે. ત્યારે સાર્થવાહે તેના શરીરની સંવાહના કરીને તેને