SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Sાનના - નામ: છે. તૃતીય પ્રસ્તાવ. 6 હવે કનકબાહ, કેસરી સિંહ અને પાર્શ્વનાથ મહાપ્રભુ એમ જે પૂર્વે કહ્યું હતું, તે હવે કહેવાય છે, તેને સાવધાન ચિત્તવાળા થઈને તમે સાંભળે–આ જ જંબુદ્વિીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણ( જૂના) નગરના સમૂહને વિષે શ્રેષપણાને પામેલું, સમગ્ર વિજયની પતાકા( વજા )ની જેવું, કુળપર્વત જેવા ઊંચા દેવાલયના વલયવડે શોભતું મોટા પ્રમાણવાળી ખાઈવડે વ્યાપ્ત, પ્રાકારવડે ગૌરવવાળું, વિકાસ કરતા મનહર અને મેટાં નેપચ્ય( વેશ )વાળા, મોટી ઈચ્છાવાળા અને હશિયાર ઉત્તમ પુરુષવડે સુશોભિત, અને પિતાની શોભાના સમુદાય વડે દેવનગર( સ્વર્ગ )ને પરાજય કરનાર સુરપુર નામનું નગર છે. વળી જે નગરમાં ચંદન વૃક્ષોનું પરસ્પર ઘર્ષણ( અથડાવું ) થાય છે, શેરડીનું પલવું થાય છે, મિત્ર( સૂર્ય )ના વિયેગમાં કુમુદ( પિયણ ને પ્રહર્ષ (વિકસ્વરપણું) થાય છે, વર્ષાઋતુમાં રાજહંસને જ પ્રવાસ થાય છે, તથા સ્ત્રીઓના ઉદરને વિષે જ તુચ્છ(કુશ )પણું હોય છે; પરંતુ લોકોને વિષે આમાંનું, કાંઈ પણ નથી. તે નગરનું કુલિશબાહુ નામને રાજા રક્ષણ કરે છે. તેના ચરણ નમતા રાજાઓએ સ્થાપન કરેલ મસ્તકના મણિમય મુગટના કિરણેવડે કાબરચિત્રા થાય છે, રણાંગણમાં નાચ કરતી તરવારરૂપી સ્ત્રીને નચાવનાર છે, ઉન્માર્ગમાં ચાલેલા મદોન્મત્ત હાથીને શિક્ષા આપવામાં કુશળ છે, તથા હાથીની ચપેટા માત્રથી જ પર્વતને પાડવામાં, વજની વિડંબના કરનાર છે. દિશાઓમાં પ્રસરતો તેને પ્રતાપ( પ્રભાવ ) એક છતાં પણ બે પ્રકારે દેખાય છે, તેમાં નમસ્કાર કરનારાને હિમ જે શીતળ અને શત્રુઓને અગ્નિ જેવો ઉષ્ણુ લાગે છે. જેના ધનુષ્યની પ્રત્યંચાને ઝણકારરૂપી મેઘનો શબ્દ કેઈ અપૂર્વ જ છે, કે જેને સાંભળીને એકદમ રાજહંસો નાશી જાય છે. તે રાજાને સર્વ અંત:પુરમાં શ્રેષ્ઠ, નવા યોવનવડે મનહર તથા રૂપ, લાવણ્ય અને સૌભાગ્યવડે મનને હરણ કરનારી યથાર્થ નામવાળી સુદર્શના નામની ભાર્યા છે. તેણીની સાથે ડાહ્યા માણસને પ્રશંસા કરવા લાયક સમયને યેગ્ય વિષયસુખને સેવતા તે રાજાને ચૌદ મહાસ્વપ્ન વડે પુરૂષરત્નના અવતારને સૂચવન કરનાર તે મરૂભૂતિને જીવ વોનાના ભાવમાં પ્રાપ્ત કરેલા મોટા પુણ્યના સમૂહના સામવડે શૈવેયકથકી ચવીને સુદર્શન દેવી( રાણી)ના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે દેવીએ કહેલા મોટા ચૌદ સ્વપ્નના શ્રવણવડે નિશ્ચય કરેલા છ ખંડના ભૂપતિના વૃત્તાંતવાલે રાજા મોટા હર્ષને પામે, તેથી સ્વપ્ન પાઠકને બેલાવીને, તેમને સન્માનપૂર્વક
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy