________________
[ ૯૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ર જે ઃ
વિંટાયેલ, વિવિધ પ્રકારના ચિહથી યુક્ત અને ચારે દિશામાં શુભ રત્નના સિંહાસનવાળું સમવસરણ રચ્યું. ત્યારપછી દેવડે સ્તુતિ કરાતા અને પુષ્ટ, આઠ પ્રતિહારવડે શ્રેષ્ઠ આકારવાળા તીર્થકર તીર્થને પ્રણામ કરીને સિંહાસન ઉપર બેઠા. તેવામાં રાજા વિગેરે સભાજનો ત્યાં આવ્યા, અને તીર્થકરને વંદન કરી ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી મેરુપર્વતથી ઝરતા જળના રાશિના શબ્દ જેવા મનહર શબ્દવડે ત્રણ ભુવનના બંધુરૂપ તીર્થકરે સદ્ધર્મ દેશના આપવાનો પ્રારંભ કર્યો
હે ભવ્ય પ્રાણીઓ! છિદ્રવાળા હસ્તસંપુટમાંથી ઝરતા પ્રાણીની જેમ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા પ્રાણુઓના આ જીવિત(આયુષ)ને શું તમે જોતા નથી? અથવા તો નિરંતર ઉત્પન્ન થતા રોગ અને શોકવડે તથા ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ વિગેરે દુખાવડે બાધા પામતા, શરણુ રહિત, રક્ષણ રહિત, પ્રાણ રહિત, થોડા જળમાં માછલાની જેમ તડફડતા ને સારું કુળ અને સારી જાતિ વિગેરે સદ્ધર્મને કારણને સમૂહ પ્રાપ્ત થયા છતાં પણ ભમતા અરઘટ્ટ( રેટ)ની ઘટીના સમૂહની જેમ વિવિધ પ્રકારે (ઊંચનીચે) ફરતા આ શરીરને શું તમે જોતા નથી ? કે જેથી વિશ્વાસુ થઈને (સ્થિર) રહો છે? અને તેના પ્રતિકારનો વિચાર કરતા નથી. છેવટે તુચ્છ અને વિરસ વિષની જેવા વિષમ વિષયોની આસક્તિમાં મોહ પામેલા જ રહે છે. વળી જુઓ કે બળ ઝરી જાય છે, અસાર શરીર પ્રગટ રીતે ક્ષીણ થાય છે, તથા વિજ્ઞાન, વર્ણ, લાવણ્ય અને રૂપની લક્ષ્મી (શોભા ) નાશ પામે છે, તેથી કરીને હે મહાનુભાવ! હજુ પણ જ્યાં સુધી વજના પડવાની જેવી ભયંકર અનર્થની પથારી (વિસ્તાર) ક્યાંથી આવી ન પડે, ત્યાં સુધીમાં જિનેશ્વરની વંદના, પૂજા, સ્વાધ્યાય, ધ્યાન, વિનય અને સેવાનું આચરણ કરે, અને સદ્ધર્મ રહિત લેકેના સંગનો ત્યાગ કરે. હંમેશાં મોટા ભવેરાગ્યને ધારણ કરતા તમે પરભવમાં સુખકારક વિશુદ્ધ ધર્મના કાર્યમાં જ ઉદ્યમ કરો.”
આ પ્રમાણે જિનેશ્વરે પરમાર્થને વિસ્તાર કહ્યો ત્યારે તે સભા સંવેગ (વૈરાગ્ય ) પામી, પ્રસન્નતાના વશથી ઉછળતા રોમાંચના કંચુકવાળી થઈ, અને આપના ઉપદેશને ઇચ્છીએ છીએ એમ કપાળ ઉપર બે હાથ જોડીને બેલવા લાગી, તથા સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને વિષે ઉદ્યમવાળી થઈ. વનાભ રાજા પણ સર્વવિરતિને ગ્રહણ કરવાને ઈછતે ભુવનપ્રભુને વાંદીને શીધ્ર પિતાને ઘેર ગયે. અને ત્યાં સમયને યોગ્ય ભેજનાદિક વ્યાપાર સંપૂર્ણ કરીને પિતાના ચકાયુધ કુમારને બોલાવ્યો. તેણે આવીને પાદમાં નમન કર્યા પછી આસનને સ્વીકાર કર્યો, પ્રયજન સાંભળવામાં સાવધાન થયે, અને પિતાનું મુખકમળ જેવામાં પિતાના નેત્રકમળ નાંખ્યા ત્યારે રાજાએ તેને કહ્યું કે-“હે પુત્ર! સમગ્ર ત્રણ ભુવનનું કલ્યાણ કરનારા ક્ષેમકર તીર્થંકરની પાસે મેં આજે સમગ્ર દુઃખને નાશ કરવામાં સમર્થ, ક્ષમાદિક ગુણે કરીને સહિત અને નિઃસંગપણના સારરૂપ ધર્મને આચાર સાંભળે, અને તે સાંભળીને આ ગ્રહવાસના સંગને હું અગ્નિની જ્વાળાની