SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રભુને ચોથે ભવ-વજનાભને રાજ્ય આપી વાવી લીધેલ દીક્ષા. [ ૯૧ ]. નાશ પામ્યો નથી ? અથવા ક્રોધ અને લેભાદિકવડે રૂની જેમ લઘુપણાને કેણુ નથી પામે ? પ્રમાદવડે કરીને નીચથી પણ નીચપણને કોણ નથી પામ્યો ? નીતિમાં રાગી છતાં પણ અને કીર્તિ પામ્યા છતાં પણ નરનાથ રાજપુત્રીના વ્યતિકરથી અસ્થાનવાળો થઈને કોણ વિનાશ નથી પામે તેથી કરીને હે પુત્ર ! પાપ (અન્યાય) રહિત વૃત્તિવડે અતિ શુદ્ધ રાજ્યને તેવા પ્રકારે કઈ પણ રીતે તે રાજ્યનું પાલન કરજે, કે જેથી પિતાની જેમ લોકોને નમવાના સ્થાનરૂપ તું થાય. આવી રીતે પ્રજાનું પાલન કરવાથી એવું કઈ વાંછિત નથી, કે જે સિદ્ધ ન થાય. તેથી કરીને અવશ્ય આ ભવ અને પરભવ સંબંધી ઈચ્છિત કાર્યને માટે તું અવશ્ય પ્રયત્ન કરજે.” આ પ્રમાણે પુત્રને ઉપદેશ આપીને લક્ષમીવતી રાણી સહિત અને રાજેશ્વર, શ્રેણી, પુરોહિત વિગેરેના પુત્ર સહિત તે ધીરજવાન રાજા તે જ વખતે આવેલા મુનીશ્વર અનંતયશ નામના સૂરીશ્વરના પાદમૂળને વિષે સર્વવિરતિ (ચારિત્ર) અંગીકાર કરીને અનવદ્ય વૃત્તિથી વિહાર કરવા લાગ્યા. તે મુનિ તેવા પ્રકારને કાંઈક તપવિશેષ કરતા હતા, કે જેમ બીકણ પુરુષ બાણના સમૂહના ઘાતને સાંભળી ન શકે તેમ સામાન્ય પુરુષે સાંભળવાને પણ શક્તિમાન થયા નહીં. સારી રીતે સિંહપણાથી નીકળીને અને ચિરકાળ સુધી વિચારીને તથા ઉત્તમ અર્થની આરાધના કરીને તે મહાત્મા દેવલણમીને (સ્વર્ગને) પામ્યા. વજનાભ રાજા પણ અનેક સામંત, સુભટ અને પુહિત વિગેરે પ્રધાન પરિજનવડે અનુસરાતે, પ્રકૃતિ વર્ગનું પાલન કરતે, ધર્મના વિરોધનું રક્ષણ કરતે, લુંટારાના પક્ષને શાસન કરતે તથા અશાંતિને દૂર કરતા કાળને નિર્ગમન કરતા હતા. ઉચિત સમયે વિજય પટ્ટરાણની સાથે વિષયસુખને ભેગવતા તેને પુત્ર જન્મે. તેનું ચક્રાયુધ નામ રાખ્યું. અને તે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરી, સમગ્ર કળાની કુશળતાને પ્રાપ્ત કરી મલલ શિક્ષાદિકના વિનાદવડે વૃદ્ધિ પામતે રહેતો હતો. હવે એક દિવસ ઉચિત વિહારવડે ગામ, નગર અને આકર વિગેરેમાં પર્યટન કરતા, પોતાના માતામ્યવડે દુષ્કાળ, શત્રુ, મરકી અને રેગાદિક દુઃખેને દૂર કરતા, આકાશમાં ચાલતા ત્રણ છત્રવડે, આકાશમાં પોતાની મેળે જ ઢોળાતા વેત અને શ્રેષ્ઠ ચામરની શ્રેણિવડે તથા આકાશમાં રહેલા મણિના પાદપીઠ સહિત સિંહાસનવડે શોભતા, અનેક કરોડ દેવડે પરિવારેલા, ભાવ નિદ્રાવડે સૂતેલા એવા ભવ્ય જીવોરૂપી કમળના સમૂહને પ્રતિબોધ કરતા, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહનો નાશ કરતા, માર્ગમાં મળેલા નર અને તિર્યંચના સમૂહવડે સેવાતા, મુનિના સમૂહવડે સ્તુતિ કરાતા, યેગીના સમૂહવડે ધ્યાન કરાતા, તથા જાણે એક ઠેકાણે મળેલી ત્રણ ભુવનની લહમી(શભા)ને દેખાડતા હોય, તેવા ભગવાન ધર્મવર ચક્રવતી યથાર્થ નામવાળા ક્ષેમંકર નામના તીર્થકર ત્યાં પધાર્યા. તે વખતે ભક્તિના સમૂહથી અત્યંત વિકસ્વર થયેલા રોમાંચવડે સુશોભિત શરીરવાળા સુર અને અસુરોએ કિલારૂપી વલયથી - ૧. સમાચારથી-ગુપ્ત રહસ્યથી.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy