________________
•
પ્રભુને ચે
ભવ-ભાગુરાયણે બંગરાજાને આપેલ મંત્ર.
[ ૮૧ ].
મંત્રીપુત્રે કહ્યું કે–“હે! દેવ! દેવતાના ઉપચાર માર્ગ દુર્લય (દુખે કરીને જાણી શકાય તે) અને ઘણે દુઃખદાયી હોય છે. તેથી હું કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છું છું.” રાજાએ કહ્યું—“વિશ્વાસપૂર્વક (હિંમતથી) કહે.” ત્યારે વિરાધગુપ્ત કહ્યું – “વામ માર્ગમાં નિપુણ ભાગુરાયણ નામના અમારા ગુરુ છે, તે અનેક મંત્રતંત્રમાં કુશળ છે, તેથી આ બાબતમાં તેને પૂછવું યોગ્ય છે.” ત્યારે રાજાએ કહ્યું “મંત્રીપુત્રે સારું કહ્યું. તેથી આપણે જાતે જ તેના ચરણમૂળમાં જઈએ, કાળક્ષેપ કરે એગ્ય નથી.” તે સાંભળી બીજા સર્વ મંત્રીઓએ તે અંગીકાર કર્યું. ત્યારપછી રાજા વિરાધગુપ્ત મંત્રી અને પરિમિત (થોડા) પરિજન સહિત ભાગુરાયણની પાસે ગયે. ત્યાં વિશેષ પ્રકારે ઉચિત સેવા કરીને આસન ઉપર બેઠો. પછી વિરાધગુપ્ત તે ગુરુને રાજાના આવવાનું પ્રયોજન કહ્યું, ત્યારે ભાગુરાયણે કહ્યું કે–બહે! દેવ! આવા પ્રકારની દુઃસાધ્ય વસ્તુને સાધવામાં સમર્થ ચંડસિંહ વેતાલને મંત્ર છે. તે વેતાલ કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ (રાત્રિએ) સમશાનને વિષે રાતા કણવીરના પુષ્પો વડે એક હજાર ને આઠ વાર જપ કરવાવડે સાધવા લાયક છે. તે વખતે ભયંકર ઉપસર્ગના સમૂહ પ્રાપ્ત થાય તે જરા પણ ક્ષોભ પામ નહીં.” આ બાબત રાજાએ અંગીકાર કરી, ત્યારે ભાગુરાયણે તેને મંત્ર આપે. તે મંત્રને સાધન સહિત સારી રીતે અવધારણ કરીને રાજા પોતાને ઘેર ગયે. ત્યાં રાણીને આ સર્વ વૃત્તાંત કહો. તેણુએ પણ તેની પ્રશંસા કરી. ત્યારપછી ક્રમે કરીને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિને સમય આવ્યે, ત્યારે જે પ્રકાર કહ્યા હતા તે પ્રકારની પૂજાની સર્વ વસ્તુઓ સહિત તે વંગરાજા યમની જિહા જેવી ઉગ્ર તરવાર હાથમાં ધારણ કરીને કેઈન જાણવામાં ન આવે તેમ (ગુપ્તપણે ) એકલો જ રાજમહેલથી નીકળીને નગરીની ઉત્તર દિશાના માર્ગમાં રહેલા મોટા સ્મશાનમાં ગયો. તે કેવું હતું ? - ' વિકટ અને ઉદ્ભટ વૃક્ષોના અગાધ કટરમાં કડકડાટ શબ્દ થતો હતો, ઘુરઘુર શબ્દ કરતા ઉગ્ર ઘુવડાના ભયંકર શબ્દવડે ત્રાસ ઉત્પન્ન થતું હતું, સળગતા અગ્નિની ચિતામાં બળતા મુડદાના હાડકાને તડતડ શબ્દ થતો હતો, પિતાની માતા જેવી રીછડીના મોટા ઉલ્લાપ શબ્દવડે ભયંકર હતું, ચેતરફ ફેલાતા પરૂના સમૂહવાળા માંસને ગ્રહણ કરવા માટે વેતાળ એકઠા થયા હતા, ચરબી અને રુધિરનું પાન કરવાને આધીન થયેલા પિશાચો પરસ્પર તાળીઓ વગાડતા હતા, એક ઠેકાણે મુંડને ખંડન કરવામાં પક્ષીઓના સમૂહ તીક્ષણ ચાંચને વ્યાપાર કરતા હતા. બીજી તરફ અર્ધ બળેલા અતિસ્નિગ્ધ મડદાની ગંધવડે દુસહ હતું, એક તરફ વિરને બોલાવવાપૂર્વક શ્રેષ્ઠ માંસ માંગવામાં આવતું હતું, બીજી તરફ ભૂતનો સમુદાય કપટથી રોવામાં તરફ વ્યાપારવાળે હતે, આ પ્રમાણે પૂર્વ જન્મમાં કરેલા ઘણા પાપરૂપી વૃક્ષનું જાણે ફળ હોય, અને જાણે પ્રત્યક્ષ નરક હેય, તેવું અનિષ્ટ સ્મશાન પણ રાજાએ જોયું.