SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ર જો : રાજાએ વિનંતિ કરી કે “હે દેવ! આ પંચાલ રાજા સાથે યુદ્ધ કરવા મને આદેશ આપ, આપને તેની સાથે યુદ્ધ કરવું અત્યંત અનુચિત છે. લુવાર જે પણ (અયોગ્ય) પુરુષ પુરુષને જોવાલાયક પણ નથી, તે પછી આ પંચાલનું તો શું કહેવું ? તેથી તેની સાથે યુદ્ધને વ્યાપાર બંધ કરો.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ કાંઈક હાસ્યવડે ફરકતા હેઠવડે આ સારું કહ્યું ” એમ બોલીને પોતાના હાથવડે તેને તાંબલ આપીને ઘણું હાથી, અશ્વ, રથ અને સુભટ સહિત વિદાય કર્યો. તરત જ તે પંચાલ રાજાની સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયો. અને શિલ્ય, ભાલા, ભલય, સબ્બલ અને નારાચ વિગેરે શાસ્ત્રના સમૂહ ફેંકીને તે સેનાપતિએ તત્કાળ પંચાલ રાજાને બળરહિત કરી નાખે; તે પણ કેપથી ઊંચી થયેલી ભૂકુટિના ભગવડે જેનું કપાળ જોઈ ન શકાય એવે, અત્યંત અભિમાનરૂપી ધનવાળો અને વારંવાર મંત્રીઓએ નિષેધ કર્યા છતાં પણ તે પંચાલ રાજા વિવિધ પ્રકારની યુક્તિવડે રક્ષણ કરનાર સર્વ સુભટે નાશ પામે છતે પણ શ્રેષ્ઠ હાથીને ત્યાગ કરી પૃથ્વી ઉપર ઊતરીને પ્રહાર કરવા લાગ્યો. તારી અને તેમના સમૂહવડે આકાશતળને જાણે ઢાંકતે હોય તે, સેનાપતિએ તત્કાળ મૂકેલા ચક્રવર્ડ જેનો તીરી અને બાણને સમૂહ છેદી નાંખે છે તે, નિઃશ્વાસ મૂકો અને મૂખની જેમ વિલખાપણને પામેલે તે પંચાલ રાજા થયા. ત્યારપછી મલની જેમ પ્રચંડ ભુજદંડને નચાવતે તે રાજા સેનાપતિની સાથે બાહુવડે યુદ્ધ કરવા તૈયાર થયે. ત્યારપછી એક ક્ષણવાર પરસ્પર આપેલા હાથના ઘાતથી જર્જરિત શરીરવાળા તે બને ઊંચે કૂદવું, નીચે પડવું અને આડુંઅવળું ફરવું, વિગેરે ચેષ્ટાવડે અત્યંત મજબૂત તે બને સમર્થ શરીરવાળા, તે બને અલવિદ્યામાં કુશળ હતા, તે પણ સેનાપતિએ પંચાલરાજાને બાંધે અને તેના ગર્વનો ઉત્સાહ નાશ પામ્યા. પછી તેને બંગરાજાની પાસે નાંખે. અથવા તો પિતાની શક્તિને નહીં જાણનાર મનુષ્યને આ કેટલું માત્ર છે? તે વખતે શ્યામ મુખવાળા, મીંચાયેલા નેત્રવાળા, વચનના વ્યાપાર રહિત અને અત્યંત શોભા રહિત જાણે મરી ગયેલ હોય તેવા તેને જોઈને તરત જ બંગરાજાએ કરુણાવડે તે રાજાને બંધનથી છોડાવીને તેના રાજ્ય ઉપર તેને સ્થાપન કર્યો. પરંતુ ઉત્પન્ન થયેલા સંતાપવાળે તે રાજા રાજ્યને નહીં ઈચ્છતે હેવાથી સંગ રહિત થઈને તાપસીની મધ્યે તાપસની દીક્ષા લઈને તેણે વનવાસને જ સ્વીકાર કર્યો. ત્યારપછી વિજયલક્ષમી જેના વક્ષસ્થળમાં પ્રાપ્ત થઈ છે એવા અને બંદીના સમૂહ ગવાતા મોટા શત્રુઓના વિજય સાંભળવાથી વિસ્મિત થયેલા અને મુનિ થયેલા ચરટેએ જેને માર્ગ છેડી દીધું છે, એવો તે બંગરાજા થોડા દિવસમાં પિતાના નગરની સમીપે પોંચો. તે વખતે ફરકતી વિવિધ પ્રકારની ધ્વજાઓના આડંબરવડે મનોહર, સાફ કરેલા ૧. વાજિંત્ર વિશેષ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy