SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના ચાથા ભવ–મંગરાજે શક્રરાજના કરેલ પરાજય. [ ૭૫ ] પ્રવાહવડે અવા અને માણસા હરણુ કરાતા હતા ( ખેંચાતા હતા ), આ પ્રમાણે દુઃખે કરીને જોઇ શકાય એવુ... અને સર્વ દિશામાં આકદના શબ્દથી ભયંકર અને અત્યંત નાચ કરતા ઘણા કબધા( ધડ )વડે ન્યાસ તે યુદ્ધ થયું. આ પ્રમાણે પ્રચંડ, વિસ્તારવાળા અને ઘણા શ્રેષ્ઠ રથા ભાંગી જવાથી, મેાટા સામત રાજાએ પડી જવાથી અને અનેક સુભટા તૂટી જવાથી ( વિયેાગ પામવાથી ) પેાતાના સૈન્યને ક્ષય સહન કરવાને અસમર્થ એવા શક રાજાએ તના મુખવડે ખગરાજાને કહેવરાવ્યું કે-“ આ નિરપરાધી મનુષ્યાના સમૂહના વધવડે શું ફળ છે ? માત્ર તું અને હું યુદ્ધ કરવા લાગીએ. ” ત્યારે ખગરાજાએ તે અંગીકાર કર્યું. પછી શક્ર રાજા એરાવણ હાથીના સ્કંધ ઉપર ચડીને યુદ્ધભૂમિમાં આવ્યા, અને મેટા રથમાં બેસીને ખંગરાજા પણ આવ્યેા. પછી બન્નેનું યુદ્ધ થવા લાગ્યું. શક રાજાએ યમરાજાની ભૃકુટિ જેવી ભયંકર શક્તિ તેના પર મૂકી, તે વખતે નિરંતર મૂકેલા ખાણેાના નાંખવાવડે તે શક્તિને દૂર કરીને ખંગરાજાએ હાસ્યપૂર્ણાંક કહ્યું કે–“ હણાયેલી શકિતવાળા તારા ઉપર હવે મારે પ્રહાર કરવા ચેાગ્ય નથી, પરંતુ કેવળ ઉપેક્ષા કરેલા શત્રુએ મેાટા સર્પની જેમ સુખકારક થતા નથી. ” આ પ્રમાણે કહીને તેણે તેના ઉપર ખણુની પરંપરા ફેંકી, તે વડે તેના છત્રના દંડ છેદાયા, ધ્વજપટના સમૂહ કાપી નાંખ્યા, હસ્તીપકની સાથે જ ધનુષ્યને નિર્જીવ (પ્રત્યંચા રહિતજીવ રહિત ) કર્યાં, ત્યારે જાજવલ્યમાન કાપાગ્નિવાળા શકે રાજાએ માટા પ્રયત્નથી તીક્ષ્ણ ધારવડે ભયંકર વજા તેના ઉપર ફ્રેંકયુ. ત્યારે આવતા એવા તે વજ્રને ખંગરાજાએ તેવા કોઇપણ પ્રકારે મેટા મુદ્ગરવડે પ્રહાર કર્યા, કે જેથી અયેાગ્ય સ્થાને મૂકવાવડે કાપ પામેલ તે વજ પાછું વળીને શકરાજાના વક્ષ:સ્થળને ભેદીને પૃથ્વીતળમાં પેસી ગયું. તે વખતે જીવિત રહિત થયેલ શક્રરાજા શ્રેષ્ઠ હાથી ઉપરથી નીચે પડ્યો, તે વખતે “ અહા ! સારું યુદ્ધ થયું. ” એમ જાણી તુષ્ટમાન થયેલા આકાશરૂપી આંગણામાં આવેલા મટા દેવાના સમૂહે રણુજી શબ્દ કરનારા ભ્રમરાવડે વાચાલ ( શબ્દ કરતી ) પુષ્પવૃષ્ટિ કરી, જય જય શબ્દ કર્યાં, અને વિજય દુંદુભિ વગાડ્યા. ત્યારપછી યુદ્ધની સીમામાં પડેલા સુભટાનુ` ચેાગ્ય કાર્ય કરવામાં સેવક વર્ગને નીમીને તથા ઐરાવણુ ગજેંદ્રને ગ્રહણ કરીને ખંગરાજા આગળ ચાલ્યા, તેવામાં મા માં સૌભાગ્યસુંદરીના લગ્ન સમયે આવેલા પંચાલ વિગેરે દેશના રાજાએ યુદ્ધ કરવા માટે પ્રાપ્ત થયા. તે વખતે મંગરાજાએ તેઓને જણાવ્યું કે—“ અરે ! શું તમે શક્રરાજાને વૃત્તાંત સાંભળ્યેા નથી ? કે જેથી આ પ્રકારે મહાકેાપરૂપી અગ્નિમાં શલભપણ પામવાના ઉત્સાહ કરે છે ? ” તે સાંભળી તેના વિજયને જોવા( જાણવા )ને વ્યાકુળ થયેલા ડાવાથી પાતપાતાના મંત્રીઓદ્વારા સર્વ જાણીને યુદ્ધના ઉત્સાહ રહિત થયેલા સ રાજાએ જેમ આવ્યા હતા તેમ પાછા વળ્યા. પરંતુ યમરાજે જાણે જોયા ઢાય તેવા પંચાલ દેશના રાજા મત્રીજનાએ ઘણી રીતે નિષેધ કર્યા છતાં પણ મંગરાજાની સાથે યુદ્ધ કરવા ઊઠ્યો ( તૈયાર થયા ). આ અવસરે મેઘનાદ નામના સેનાપતિએ ખગનાથ ""
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy