SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉત્પન્ન થાય છે. ગુરુ-આના લઇ, એકવિહારી બની સાગરદત્ત સાર્યવાહની સાથે શ્રી ઋષભાદિ જિનેશ્વરાના ચરણકમળને વાંદવા માટે અષ્ટાપદ પર્યંત તરફ જાય છે. માર્ગોમાં સાÖવાહ અષ્ટાપદ પત સંબંધી વૃત્તાંત પૂછતાં મુનિરાજ તેને જણાવે છે કે:-~ " “ કૃતયુગને વિષે થયેલા શ્રી ઋષભધ્રુવ પ્રથમ તીર્થંકર હતા. તેમના પુત્ર ભરત નામના ચક્રવર્તી અને બાહુબલિ વિગેરે ખીજા નવાણું પુત્રો હતા. ભગવાન ઋષભદેવ, યુગલિક ધમ'નુ નિવારણ કરી દશ હજાર સાધુ સાથે આ અષ્ટાપદ પર્યંત પર મેાક્ષ પામ્યા. તે સ્થળે ભરત રાજાએ રત્નાવર્ડ મનેહર ચૈત્ય કરાવ્યુ' અને વસ્ત્ર દેહપ્રમાણુ રત્નની પ્રતિમા સ્થાપન કરી તેમને વંદન કરવા અમે જઈએ છીએ. તે પ્રતિમાને વંદન કરવાથી સેકડા ભવમાં ઉપાર્જન કરેલ પાપ નાશ પામે છે. જે ત્યાં જમ્ને જિનેશ્વરની સ્તુતિ કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, તે કલ્યાણુના ભાજનરૂપ બને છે. તે જિનેશ્વરા ક્રાણુ છે ? તેમ પ્રશ્ન પૂછતાં સાધુમહારાજ શ્રી જિનેશ્વરાનું યથાસ્થિત સ્વરૂપ પ્રથમ જણાવે છે. બાદ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનું સ્વરૂપ બતાવે છે. આ હુકીકત ખાસ મનન કરવા જેવી છે. ( પૃ. ૨૭–૨૮ ) સાથ*વાહની ધર્માંભાવના વિકાસ પામવાથી ગુરુમહારાજની પ્રશંસા કરતાં સાર્થવાહ પ્રત્રજ્યા ગ્રહણ કરવાની પોતાની અશક્તિ જણાવી, પોતાને ઉચિત કા' ફરમાવવા ગુરુમહારાજને વિન ંતિ કરે છે, જેથી મુનિરાજશ્રી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં પ્રચંડ સૂર્ય સમાન એવા સર્જંન ભગવંતને દેવબુદ્ધિથી અંગીકાર કરવા, સારા સાધુજનાને ગુરુ તરીકે માનવા, શ્રી જિતેશ્વરે કહેલ તત્ત્વ પ્રમાણુરૂપ ગણુવા અને જીવહિંસા નહીં કરવા ઉપદેશે છે. આ પ્રમાણે વિશુદ્ધ સમકિતના પરિણામવાળા ધમ શ્રાવકધમ સ્વીકારી અરવિંદ મુનિરાજને વંદન કરી સાથૅવાહ એક મોટી અટવીમાં આવે છે, કે જ્યાં મરુભૂતિ છત્ર વનના હાથી તરીકે ત્યાં. વિચરતા હતા. ( પ્રભુના ખીજો ભવ) અહીં એક સુંદર સરાવર ( જેનું વન અહિ' આપવામાં આવ્યું છે ) જોવે છે અને સમગ્ર સાથે ત્યાં ઉતરે છે અને ભેાજનાદિના પ્રખધ કરે છે. આ સમયે તે હસ્તી પણ તે સરેાવરમાં પાણી પીવા આવે છે. પાણી પીને શૃંગારક નામની હતા તેમજ કમળ સમૂહના આહાર કરી, સાથેની હાથણી સાથે વિવિધ પ્રકારના વિલાસા કરી હસ્તી સરાર્વરમાંથી બહાર નીકળે છે. સાસમૂહને જોતાં જ તે ક્રોધે ભરાય છે અને તે સમગ્ર સા. સમૂહને જાણે ગળી જવાને તૈયાર થયા હાય તેમ તે સા સામે ક્રેટ મુકે છે. ભય પામેલા મુસા ભામતેમ ચોતરફ્ નાશી જાય છે. ઊઁટ વિગેરે પ્રાણી આરડવા લાગે છે, કરિયાણાના માલ વેરવિખેર થઇ જાય છે અને સર્વત્ર ભય, ત્રાસ અને કાલાહલ વ્યાપી જાય છે. આ પ્રમાણે ક્રોધી હસ્તીને જોઇ અરિવંદ મુનિ લેશમાત્ર ખેદ પામતા નથી અને અવધિજ્ઞાનવડે તેના પ્રતિમાષના સમય જાણી કાયા.સવર્ડ મુનિશ્રી સ્થિર રહે છે. મુનિને કાયાસમાં રહેલા જોઇને હસ્તી તેમની સન્મુખ દાડે છે, પરંતુ મુનિશ્રીના તપના સામર્થ્યને અંગે હીન સામર્થ્યવાળા બનીને ભય અને ત્રાસના પ્રચાર રહિત થતાં મુનિને મારવાના તેના અભિલાષ નાશ પામી જાય છે. દયાપ્રધાન સવેગના આવેગ ઉછળતાં હાથી ત્યાં સ્થિર થઇ ઊભા છે તેટલામાં મુનિશ્રી કાયાત્સગ પારી, હાથીને પ્રતિખેધવા મધુર વાણીથી કહે છે કે... હે વનહસ્તી! પૂર્વે તે કરેલા મરુભૂતિના જીવ શું તને સાંભરતા નથી ? અથવા શું તુ અરવિંદ રાજિષ'ને ઓળખતા નથી ? તેમજ સÖજ્ઞના અ ંગીકાર કરેલા ધર્માંને વિચારતા નથી ? મુનિરાજના આ પ્રમાણેના વચનેા સાંભળી ઊઠ્ઠાપાહ કરતાં હસ્તીને જાતિસ્મરણું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તરત જ મુનિરાજને વંદન કરે છે. કમાને કરેલી કદના સાંભરવાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવર્ડ અશ્રુ ઝરતા નયનેાવર્ડ મુનિની સેવા કરવા લાગે છે. તપસ્વી મુનિરાજ પણ તેને કહે છે કે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy