SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને ત્રીજે ભવ : કિરણગની પ્રાપ્તિ વિદ્યા સાધનની તત્પરતા. [ ] ને સ્થાપન કરે છે, તેમ તે રાજ્યલમીને ધારણ કરજે.” આ પ્રમાણે પુત્રને શિખામણ આપી (અને મંત્રી વિગેરે બીજાઓને પણ શિખામણ આપી) તથા તે કાળને ઉચિત બીજું પણ સર્વ કાર્ય કરીને તે ખેચરરાજાએ સૂરીશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિરંતર ગામ, નગર, આકર (ખાણ) વિગેરે પૃથ્વીપીઠ ઉપર વાયુની જેમ ખલના રહિત વિહાર કરવા લાગ્યું સૂત્ર અને અર્થને ચિંતવવા લાગ્યો. ત્યારપછી ચિરકાળ સુધી વિચરીને છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપવડે કૃશ શરીરવાળે તે છેવટ અનશન કરીને તે મહાત્મા મોક્ષપદને પામ્યા. વિદ્યાધરને રાજા કિરણગ પણ ચતુરંગ સેન્યવડે શત્રુના ગર્વને નાશ કરતે, અત્યંત સ્કુરાયમાન પ્રતાપવડે બીજાના તેજના પ્રસારને હણતા, ક્રોધ સહિત દષ્ટિ નાંખવા માત્રવડે જ દુઃસાધ્ય કાર્યને સાધતે અને પૂર્વના કરેલા સુકૃતરૂપી કલ્પવૃક્ષને અનુરૂપ સુખને ભેગવંત ઇંદ્રની જેમ ઈચ્છા પ્રમાણે રમવા લાગ્યા. પછી કાળના ક્રમવડે પદ્દમાવતી રાણીને પુત્ર ઉત્પન્ન થયે, તેનું વધામણું કર્યું અને યોગ્ય સમયે તેનું કિરણતેજ નામ પાડયું. તે પણ કાળના ક્રમે રાજ્યને ભાર ઉપાડવા સમર્થ થયે. પછી કઈ દિવસે તે ખેચર રાજાએ મહાપ્રજ્ઞપ્તિ વિદ્યાને વિશેષ પ્રકારે સાધવા માટે દેવતાના પગની પૂજા પ્રારંભી, તેના સાધનની સામગ્રી તૈયાર કરી, ચારે દિશામાં વિવિધ પ્રકારના શોને હાથમાં ધારણ કરનારા ઉત્તર-સાધક તરીકે ખેચર સુભટોના સમૂહને સ્થાપન કર્યો, બાર એજનના પ્રમાણની પૃથ્વી ઉપર અમારીની ઘોષણા કરાવી, તથા આ જ કાર્યને નિમિત્તે અનેક સ્થાને વિષે વિદ્યાધરોને સ્થાપન કર્યા. ત્યારપછી સનાન કરી,વેત વસ્ત્ર પહેરી તે વિદ્યાધરરાજા જેટલામાં વિદ્યા સાધવા માટે તૈયાર થયે, તેટલામાં ચંડવેગ નામને વિદ્યાધર પ્રતિહારદ્વારા પિતાનું આગમન જણાવીને રાજસભામાં પેઠો, અને રાજાના પગમાં પડીને (નમીને ) વિનંતિ કરવા લાગે –“હે દેવ ! આપે સર્વ ઠેકાણે જીવહિંસાનો નિષેધ કરવા માટે આજ્ઞા આપેલા અને આમતેમ ભમતા મેં આજે રાત્રિના પાછલા ભાગમાં ભયંકર વૈતાઢ્યના એક છેદાયેલા કિનારા ઉપર રહેલા એક વૃક્ષની શાખા ઉપરથી ઝંપાપાત કરતો અને નીચે પડતો એક પુરુષ જીવતો જ પ્રાપ્ત કર્યો છે. શોકના સમૂહવડે ગંભીર વાણવાળા અને મોટા ક્રોધના સમૂહથી અત્યંત આકુળ(વ્યાસ) કંઠરૂપી માર્ગના છિદ્રવાળા તેને મેં ઘણી રીતે શાંતિ આપી, અને શીતળ જળના બિંદુવડે તેનો ઉપચાર કર્યો તથા “અકાળે કપ પામેલા યમરાજરૂપી કેસરીસિંહને જગાડવા જેવું મોટા વૃક્ષના મસ્તક ઉપરથી પડવાનું સાહસ તું કેમ કરે છે ? ” એમ મેં તેને વારંવાર પૂછયા છતાં પણ તે કાંઈ પણ બોલતે નથી, અથવા તો પણ નથી. માત્ર “અરે ! રે ! પ્રાણ ત્યાગ કરવાને ઉત્સાહ કરતે હું કેવા મંદ ભાગ્યવાળે છું ? કે જેથી આટલું પણ મારું મનવાંછિત ન થયું.” એ પ્રમાણે વારંવાર બેલતા તેને કેટલાક પુરુષો પાસે તેને વિહાર અટકાવીને અહીં લાવીને આપના પ્રતિહારની જગ્યાએ મૂકે છે. હવે પછી આપ પ્રમાણ છો.” આ પ્રમાણે સાંભળીને કો/કવડે વ્યાકુળ થયેલા વિદ્યાધરાધિપતિએ તે પુરુષને પોતાની પાસે બોલાવ્યું,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy