SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જે : ઉચિત છે ? ભગવાન મેલ્યા કે—“ સર્વવિરતિ અથવા દેશિવરતિ ઉચિત છે. ” તે સાંભળીને તે બન્ને મુનિના ચરણમાં પડ્યા ( નમ્યા ) અને કહેવા લાગ્યા કે—“ હું ભગવાન! હજી જ્યાં સુધી અમે કુટુંબની સ્વસ્થતા નથી કરી ત્યાં સુધી દેશિવરતિ આપે, અને ત્યારપછી પ્રેમના બંધનને છેડી સવ પ્રાણીઓના ખરૂપ આપની પાસે અવશ્ય અમે સવવિરતિને પણ ગ્રહણ કરશું. " ત્યારે ભગવાન ઐયા —“તમારું વાંછિત શીઘ્રપણે વિઘ્ન રહિત સિદ્ધ થાઓ. ” એમ કહીને તેમને દેશિવરતિ આપી. તથા “ હુ ંમેશાં ભાવના ભાવવામાં નિર'તર ઉદ્યમ કરવા. ” એમ તેમને શિક્ષા આપી. પછી તે બન્ને ભગવાનને વંદન કરી ઘણા કાળથી સ્થાપન કરેલા અર્થ સાર( નિધિ )ને ગ્રહણ કરી તે બન્ને ણિપુત્રા પેાતાના ઘર તરફ ચાલ્યા. ભગવાન ચારણુ મુતિ પણ અન્ય-સ્થાને વિહાર કરી ગયા. પછી તે વિષ્ણુપુત્રા પેાતાને ઘેર પહેાંચ્યા. “ ઘણું ધન ઉપાર્જન કરેલ ‘હોવાથી ’ પુરના લેાકાએ તેમનું સન્માન કર્યું. પછી સર્વજ્ઞ( તીર્થંકર )ના ચરણ કમળની પૂજા કરવામાં તત્પર મનવાળા તેમને કેટલાક દિવસેા ગયા બાદ વિચાર ઉત્પન્ન થયે કે—“ આ દ્રવ્યના સમૂહ અત્યંત અનર્થનું કારણ છે, તેથી તેને સારા સ્થાનમાં વાપરવાવડે સફળ કરીને, સર્વ સગના ત્યાગ કરીને તથા ચારણુ મુનિના ચરણકમળમાં ભ્રમરરૂપ થઇને દીક્ષા ગ્રહણ કરીએ. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તેમણે પૂર્વ ઉપાર્જન કરેલા ધનવડે જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું, અને તેમાં ભગવાન શ્રી આદિ જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરી. તથા “ આના સિવાય બીજું કેાઇ ઉત્તમ સ્થાન નથી. ” એમ વિચારીને તે શ્રેષ્ઠ( અમૂલ્ય ) માણિય વગેરે જિનેશ્વરના જ આભરણુને માટે આપ્યા ( વાપર્યો ). તથા મનમાં ઘણા સંતાષ પામ્યા. પછી ગૃહસ્થને ઉચિત કાર્ય કર્યું. “વે આપણે પ્રવ્રજ્યા લેશુ. ” એમ મનારથ કરતા તેઓ જેટલામાં કાંઇ પણ ખાકી રહેલા કાના વિચાર કરે છે, તેટલામાં પુત્રની માતા મોટાભાઈની ભાર્યાં નિર ંતર દ્રવ્યના ખર્ચના દુ:ખને સહન ન કરી શકી, તેથી “આના વિતના નાશ કર્યા વિના આ ધનના વ્યય કરતા અટકશે નહીં. ”. એમ નિશ્ચય કરીને તે બન્ને ભાજન કરવા બેઠા તે વખતે તે બન્નેને એકી સાથે તાલપુટ વિષ સહિત ઘી અને મધ મિશ્રિત પાયસ ( ખીર) પીરસી. તે ખાધા પછી તરત જ તેમની ષ્ટિના વ્યાપાર નાશ પામ્યા (આખા મીંચાઇ ગઇ), અને મેાટી પીડાના આટાપ( વિસ્તાર )થી પ્રાપ્ત થયેલા આર્ત્તધ્યાનના વશથી સમકિત જતું રહ્યું, તરત જ મરીને તે બન્ને ભાઇએ એક પર્યંતની ગુફામાં માર થયા. પછી અનુક્રમે પરિપૂર્ણ પીંછા અને લાવણ્યવડે સુંદર શરીરવાળા થયા, માણસાના નેત્રને હરણ કરનારા ( મનેાહર ) થયા. પછી એક દિવસ વનમાં ફરતાં તેમણે પેાતાના પુણ્યના પ્રકથી જાણે આકર્ષણુ કરાયા હોય તેમ પૂર્વે જોયેલા અને રાતા અશેાક વૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા તે ચારણુ મુનિને જોયા. તેને જોઇને “ આ મુનિરાજને અમે કયાં જોયા છે ? ” એમ ઇહાાડુ(તર્કવિતર્ક ના માવડે શેાધ કરતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy