SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુન્દ્ર ખીજો ભવ : અને વિષ્ણુક પુત્રાને મુનિરાજે બતાવેલ બાર ભાવનાનુ` સ્વરૂપ. [ ૫૩ ] મનુષ્ય, નારકી અને તિર્યંચરૂપે ઘણા પ્રકારે પરિણામ પામે છે, તથા વળી એક ભવમાં પશુ રાજા પણ રંક અને છે, રંક પણ રાજા અને છે, સ્વામી પણ દાસ થાય છે, દાસ પણ સ્વામી થાય છે, નિંદા કરવા લાયક પણ પૂજવા લાયક થાય છે, પૂજ્ય પણ નિ ંદ્ય થાય છે, વિગેરે. ખીજા ભવને આશ્રીને પણ માતા પણ દીકરી થાય છે, દીકરી પણ ભાર્યા થાય છે, ભાર્યા પણ માતા થાય છે, પુત્ર પણ પિતા થાય છે, પિતા પણ પુત્ર થાય છે, શત્રુ પણ મિત્ર થાય છે, અને મિત્ર પણ શત્રુ થાય છે. તથા બ્રાહ્મણુ પણ ચંડાળ થાય છે, ચંડાળ પણ બ્રાહ્મણ થાય છે, ક્ષત્રિય પણ વૈશ્ય અથવા શૂદ્ર થાય છે. તથા દેવ પણ કુતરા વિગેરે પણાને પામે છે, કુતરા વિગેરે પણ તેવા પ્રકારના શુભ પરિણામથી દેવપણુ પામે છે, તથા રક્ષણ કરવા લાયક હાય, તે પણુ ભક્ષણ કરવા લાયક થાય છે, અને ભાણું કરવા લાયક હાય, તે પણ રક્ષણ કરવા લાયક થાય છે, તથા શ્રી પણ પુરુષ થાય છે, પુરુષ પણ પશુ થાય છે, અને પશુ પણુ ખીન્ન રૂપને પામે છે. ઘણું શુ કહેવું ? આ ચૌદ રાજલેાકના વિસ્તારવાળા સંસારરૂપી મેાટા અરણ્યના છિદ્ર રહિત દરેક પ્રદેશમાં કઇ તે અવસ્થા ( સ્થાન ) છે ? કે જ્યાં આ જીવ પૂર્વ અનંત વખત ઉત્પન્ન થયા ન હાય ? તેથી કરીને આ વિસ્તારે કરીને સર્યું. આ સંસારના વિચ્છેદને માટે ઉદ્યમ કરવા. આ રીતે ત્રીજી સંસાર ભાવના. (૩) હવે પછી ( ચેાથી ) એકત્વ ભાવના ભાવવી. તે આ પ્રમાણે—ઘણી વસ્તુવડે વ્યાસ આ સંસારમાં આ જીવ એકલે જ ઊઁચા પગવાળા અને નીચા મસ્તકવાળા અશુચિવર્ડ ન્યાસ એવા ગર્ભમાં વસે છે, ત્યારપછી થનારા ઇષ્ટના વિયાગ અને અનિષ્ટના સચાગથી ઉત્પન્ન થયેલા દુ:ખને પણ તે એકલેા જ અનુભવે છે, વૃદ્ધાવસ્થા, શે।ક અને મરણુવડે તે એકલેા જ પરાભવ પામે છે, પરંતુ હાથી, ઘેાડા અને સમર્થ પાતિના સમૂહ હાજર છતાં પણ તે જીવને જરા પણ ટેકે (આધાર-શાંતિ ) આપવા સમર્થ થતા નથી. એ જ પ્રમાણે ભવાંતરમાં જતાને પણ સ્વજન અને બાંધવાર્દિક પણ માત્ર સ્મશાનની સીમા સુધી જ રૂઇનાદિકલાકવ્યવહારને કરતા તેની પાછળ જાય છે. તથા ઘર, સુખી સ્વજન અને શરીરને નિમિત્તે જે કાંઇ શુભ કે અશુભ કર્મ કર્યું. હાય, તેને પણ તે એકલા જ પામે છે. સર્વથા પ્રકારે બાહ્ય વસ્તુના સહાયની સભાવનાવડે સયું, પરંતુ આત્માને સહાય કરનાર ધર્મને વિષે જ પ્રયત્ન કરવા, તે જ શ્રેષ્ઠ છે. આ ચેાથી એકત્વ ભાવના છે. (૪). હવે પછી (પાંચમી) અન્યત્વ ભાવના છે. વળી આશ્વાસ(શાંતિ)ના કારણભૂત ધન, ધાન્ય વિગેરે પદાર્થોથી પેાતાના આત્માના ભેદ વિચારવા, એ આનું લક્ષણ છે. તે આ પ્રમાણે-આ જીવ સ્વજન અને પરજન વિગેરેથી જૂદો જ છે અને તે સ્વજનાદિક પણ આ જીવથી ભિન્ન સ્વભાવવાળા છે. વળી જે ધન, ધાન્ય વિગેરે છે, પણ તેવા જ (ભિન્ન) છે. અથવા તેા આ સર્વ ભલે એમ હા, પરંતુ જે આ શરીર પણ ઇષ્ટ, મનેાહર, નિત્ય લાલન કરવાલાયક, નિત્ય પાલન કરવાલાયક, નિત્ય વિવિધ પ્રકારના ઉપચારથી સ્થાપન કરવાલાયક, અમૂલ્ય મણુિ અને માણિકયવડે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy