________________
[ ૧૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે. :
શેાલતી હતી; તેનું મુખ ચંદ્રના મંડળ જેવુ' હતું, કેતકીના પાંદડા જેવા લાંબા તેના નેત્ર હતા, તેનુ ં મસ્તક અતિ સ્નિગ્ધ અને કામળ કેશવડે વ્યાપ્ત હતું, શણગાર(ઘરેણાં) અને સારા વસ્ત્રોવડે બીજી સર્વ સ્રીઓને તેણે ઝાંખી( કાંતિ રહિત ) કરી હતી, તેના ભર્તા તેને સ્વપ્નમાં પણ ખેલાવતા નથી, અને નેત્રના જોવાવડે પણ તેની સામે જોતા નથી. વનમાં રહેલી માલતી લતાની જેમ પાતાના જીવતરને નિષ્ફળ માનતી હતી, આ રીતે તે મુશ્કેલીએથી દિવસે ગુમાવા લાગી. હવે કાઇક દિવસ મનેાહર નેપથ્ય( પહેરવેષ )વડે દૈદિપ્યમાન શરીરની ક્રાંતિને ધારણ કરતી તે ગૃહવાસનુ કામ કરતી હતી, તે વખતે વિસ્મયવર્ડ વિકસ્તર નેત્રવાળા, પેાતાના ઉંચકુળના આચારને ભૂલી ગયેલા, મનમાં જાજવલ્યમાન થયેલા કામાગ્નિવાળા અને સર્વ દોષરૂપી તપસ્વીના મઠ સમાન કઠે તેને જોઇ. તે વખતે યુવાવસ્થાનું ખરાબ શીલપણુ` હેાવાથી, બુદ્ધિના પ્રસારનું દુર્વાસના રૂપી કાદવવડે મિલનપણું હાવાથી, અંત:કરણમાં પરલેાકનુ પરાખ઼ુખપણું હાવાથી, સંસાર પહેાંચે ત્યાંસુધી અપયશરૂપી ધૂળને સાફ કરવામાં અખીકપણું હાવાથી અને ભાઇના પ્રેમની અપેક્ષા નહીં હાવાથી તેણે વિચાર કર્યો કે-“ સાચુ' જ છે કે આ( સ્ત્રી )ના વિરહવાળુ આખુ દેવનુ નગર(સ્વર્ગ ).ઉજડ થઈ ગયું છે, કે જેથી રંભા અપ્સરાના સંગ મૂકીને દેવતાએ સાધુએની જેમ દૂર ગયા છે રતિના વિયેાગવાળા થયેલ મધુમથ(કામદેવ) પણુ શરીર રહિત( શાભા રહિત ) થઇને આમતેમ ભટકે છે, તથા શક( ઇંદ્ર ) પણ શચી. ( ઇંદ્રાણી ) રહિત થઈને આમતેમ ભટકે છે. તથા આને માટે જ સૂર્ય તેના મસ્તકના અલંકારના મિષવડે કરીને તપે છે અને આને માટે જ ચંદ્ર મહાદેવને સેવે છે, આ સિવાય હું બીજું કાંઈ કારણ માનàા નથી. અથવા તે ઘણા પ્રકારે કરેલા આ નિષ્ફળ વિકલ્પવર્ડ શું કામ છે ? કાંઇજ નથી; પરંતુ જેવી રીતે આની સાથે મારા સંગમ થાય તેવી રીતે કાઇપણ પ્રકારના યત્ન હું કરું, ” આ પ્રમાણે નિશ્ચય કરીને તથા કુળની મર્યાદાને ત્યાગ કરી પ્રથમ વિલાસ સહિત દૂતીના જેવી પેાતાની ષ્ટિને તેની પાસે મેકલી. અને કહ્યું કે— “ હે સુંદર અંગવાળી ! કૃષ્ણ પક્ષમાં આવેલા ચંદ્રના બિબની જેમ તું દિવસે દિવસે ક્ષીણુ થતી કેમ દેખાય છે? હમણાં તેનું કારણુ તું કહે. ડ્રીકા અને દુબળા ગાલવાળા મુખને તું હે માનવાળી સ્ત્રી ! કેમ ધારણ કરે છે ? તારી લાવણ્ય( સુ ંદરતા )ની લક્ષ્મી કેમ મદ થાય છે ? ” આ પ્રમાણે હાસ્ય સહિત, મનેાહર, વિલાસવાળા, સ્નેહવાળા અને સારભૂત વચનેાવડે વિકાસ સહિત કહેવાયેલી તે સ્ત્રી “ આ તે મારા જેઠ છે ” એમ જાણી લાજ પામતી ત્યાંથી નાશી ગઇ. અને વિચાર કરવા લાગી કે—“ અરે રે! પૂવે નહીં જોયેલું અને નહીં સાંભળેલું, લેાકવ્યવહારને વિરુદ્ધ, ધર્મ શાસ્ત્રથી ખાદ્ય અને વિકારવાળું આવું વચન આ કેમ બેલે છે ? ” એમ વિચારીને ભયના આવેશથી કંપતા શરીરવાળી તે એક હાથવડે ખંધનથી છૂટી ગયેલા કેશપાશને ધારણ કરતી, અને બીજા હાથવડે ખસી ગયેલી નાડીવાળા ઘાઘરાને ઉંચી કરતી, અને તિરછા નેત્રના વિક્ષેાલ( ઉછળવા )ન્નડે જાણે સ