SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન. [ ૧૧ ] (6 દિશાઓનાં સમૂહને ઉછળતા માછલાના સમૂહવ આચ્છાદન કરતી હેાય તેમ શીઘ્ર શીઘ્ર પલાયન કરતી ( નાશી જતી ) તેની પાસે એકદમ આવીને કમઠે તેને પેાતાના હાથરૂપી લતાવડે પકડી, અને મધુર વચનથી કહ્યું કે હું પ્રિયા ! વ્યાકુળતાના ત્યાગ કર, મૂઢતાને મૂકી દે, ચપળપણાને છેડી દે, કેશપાશને બાંધી લે, નાડીની ગાંઠને સ્થાપન કર, સ્તન ઉપરથી ખસી જતા ઉપરના વજ્રને( છાયલને ) ઠેકાણે રાખ, હું તારા અત્યંત પ્રિયતમ હાવાથી કયા અન્ય પુરુષ મનથી પણ તારું અનિષ્ટ કરવાને શક્તિમાન છે ?” એ પ્રમાણે ખેલતા તેણે પાતે જ પ્રાણનાથની જેમ તેણીના કેશપાશ માંધ્યા, સભ્રમના વશથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિંદુએ વડે વ્યાસ થયેલા કપાળને સાફ્ કર્યું, તે વખતે વેગથી ચાલવા વડે ઉછળેલા તેના વક્રકેશ વિરામ પામ્યા. પછી તે કમઠ તેણીને આલિંગન કરવા લાગ્યા, ત્યારે તેણીએ કહ્યુ કે—“ સસરાની જેવા તમારે આવું કાર્ય કરવું શું ચેાગ્ય છે ? ” ત્યારે કમઠ મેલ્યા કે—“ હું સુંદર શરીરવાળી! મુગ્ધ(ભેાળી ) એવી તું શાસ્ત્રના પરમાને જાણતી નથી. જેથી કરીને શાસ્ત્રને વિષે હજી સુધી આ પ્રમાણે સંભળાય છે કે— ‘ પ્રજ્ઞાતિનુંદિતમામયત ” ( પ્રજાપતિ પોતાની પુત્રીને ચાહતા હતા. ) તેથી કરીને શ્રદ્ધાવડે જડ બનેલા પ્રાણીઓના વિલાસ જેવા આ ખાટા અભિપ્રાયને તું જરાક માન (મિથ્યા જાણુ ). તું પુષ્પની જેવા તારા યાવનને સફળ કર.” આ પ્રમાણે હુંમેશાં કહેતા કમઠે તેણીનુ' ચિત્ત પેાતાને આધીન કર્યું, કેમકે આ પ્રમાણે શાસ્ત્રમાં કહેવાય છે કે— ( તેવા પ્રકારના કને યાગે) સાથે રહેલા પ્રેમ પણ જૂદા પડે છે અને વિશેષ પ્રકારના વચનથી પ્રયાગ કરેલી વાણી તૃતીની જેમ દૂર રહેલા પ્રેમને એકત્ર કરે છે. ત્યારપછી કામદેવનું દુર્વારપણું' હાવાથી, સ્ત્રીજનનુ ં દીર્ઘ દશીપણું ( વિચારવાપણું) નહીં હાવાથી, ચાવન અવસ્થાના અસ્ખલિત પ્રસાર હાવાથી, તેવા પ્રકારના ભાવનું અવશ્ય થવાપણું હાવાથી, પતિના ઉપર ઉદ્વેગવાળું મન હાવાથી અને ભવિષ્યમાં થનારા પતિના માટા વેરને બાંધીને તે તેની સાથે સંગમમાં આવી. અહા ! દુષ્ટ કામદેવનું અકાર્યની પ્રવૃત્તિમાં સજ્જપણું આશ્ચર્યકારક છે. અથવા તા વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્માના પણુ માનનું ખંડન કરવામાં પ્રચંડ ભુજારૂપી દંડવાળા કામદેવના પ્રચાર થાય છે તેા પછી આ તેા શી ગણતરીમાં છે ? જમદગ્નિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, વ્યાસ અને દુર્વાસા વિગેરે ઋષિએ પણ લગ્ન પ્રતિજ્ઞાવાળા થઇ ખેદને પામ્યા હતા, તેા પછી ખીજાની શી વાત કરવી ? આ પ્રમાણે લેાકના અપવાદની શંકાને દૂર કરીને તથા લજજા અને કુલની મર્યાદાના ત્યાગ કરીને વસુંધરાની સાથે વિષયસુખને ભાગવતા કમઠના કેટલાક દિવસેા ગયા ત્યારે તેની ભાર્યો વરૂણા દયાને ત્યાગ કરી તેવા પ્રકારનું અકાર્યનું આચરણ કરતા તેને જોવાને અસમર્થ થઇ અને ઘણી ઇર્ષ્યાથી ઉત્પન્ન થયેલી મેાટી ઇર્ષ્યાના અધિકપણાવાળી થઇને મરુભૂતિને તે વૃત્તાંત યથા નિવેદન કરવાને પ્રવૃત્ત થઇ. તે વૃત્તાંત તેણીએ અર્ધું . કહ્યો તે જ વખતે મરૂભૂતિના મનમાં અત્યંત સંતાપ ઉત્પન્ન થયા, અને ખેલ્યા કે–“ અરે મૂર્ખ ! સર્વ પ્રકારે અણુઘટતી આવી
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy