________________
૧૦
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
एतेवि आहारसण्णाऽपरिच्चायगेण लद्वा, भयादिसण्णादिसुवि पत्तेयं २ पंचसया, जाता सहस्सा, एत न करेंतित्ति एतेण लद्धा न कारवेति एतेणवि दो करते णाणुजाणति वि दो सहस्सा २०००, जाता ६ सहस्सा, एते मणेण लद्धा ६०००, वायाएवि ६०००, काएणवि छत्ति ६०००, जाता अट्ठारसत्ति १८००० | 'अक्षताचारचारित्रिणः' अक्षताचार एव चारित्रं, 'तान् 5 सर्वान्' गच्छगतनिर्गतभेदान् 'शिरसा' उत्तमाङ्गेन मनसा - अन्तःकरणेन मस्तकेन वन्दामीति वाचेति, इत्थमभिवन्द्य साधून् पुनरोघतः सकलसत्त्वक्षामणमैत्री प्रदर्शनायाह खामि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । त्ती मे सव्वभूएस, वेरं मज्झं न केाइ ॥१॥ एवमहं आलोइय निन्दिय गरहिय दुर्गाछियं सम्मं । तिविहेण पडिक्कतो वंदामि जिणे चउवीसं ॥२॥ ( सूत्र ) निगदसिद्धा एवेयं, सव्वे जीवा खमंतु मेत्ति, मा तेषामप्यक्षान्तिप्रत्ययः कर्मबन्धो भवत्विति આ ૫૦૦ ભાંગા ‘આહારસંજ્ઞા’ પદને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ રીતે ભય વિગેરે સંજ્ઞા લઇને ભાંગા કરતા દરેકના ૫૦૦–૫૦૦ ભેગા કરતા બે હજાર ભાંગા થાય. આ બે હજાર ભાંગા ‘કરવું નહીં’ પદને આશ્રયીને મળ્યા. એ જ રીતે ‘કરાવવું નહીં’ પદના બે હજાર અને ‘અનુમોદવું 15 નહીં' પદના બે હજાર. બધા મળી છ હજાર ભાંગા થયા. આ છ હજાર ભાંગા ‘મનથી’ પદને આશ્રયીને મળ્યા. એ જ રીતે વચન અને કાયાના છ–છ હજાર ગણતાં બધા મળી અઢારહજાર થાય છે.
10
—
અક્ષત આચાર એ જ અહીં ચારિત્ર જાણવું. તે અક્ષતાચારરૂપચારિત્રવાળા, (આમ રજોહરણગુચ્છપ્રતિગ્રહધારી વિગેરેથી લઈ અક્ષતાચારચારિત્રવાળા) બધા જ એટલે કે ગચ્છમાં રહેલા (સાપેક્ષ યતિધર્મી) કે ગચ્છમાંથી નીકળેલા (નિરપેક્ષ યતિધર્મી) બધા સાધુઓને મસ્તકથી = કાયાથી, 20 મનથી અને ‘મત્થએણ વંદામિ’ એ પ્રમાણે વચનથી વંદન કરે છે.
અવતરણિકા : આ પ્રમાણે સાધુઓને વંદન કરીને ફરીથી સર્વ જીવો સાથે ક્ષમાયાચનાપૂર્વકના મૈત્રીભાવને દેખાડવા માટે કહે છે
સૂત્રાર્થ : સર્વ જીવોને હું ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વજીવો સાથે મારે મૈત્રી છે, કોઈ સાથે મારે વૈરભાવ નથી.
25 સૂત્રાર્થ : આ પ્રમાણે પોતાના અપરાધોની સમ્યગ્ રીતે ગુરુને કથનકરવારૂપ આલોચના કરી, મનથી સ્વસાક્ષીએ નિંદા કરી, વચનથી અન્યસાક્ષીએ ગર્હા કરી, તથા આલોચના—નિંદા—ગહરૂપ દુર્ગંછા કરી. આ મન-વચન—કાયારૂપ ત્રણ પ્રકારથી પાછો ફરેલો હું ચોવીસ જીનેશ્વરોને વંદન કરું છું.
ટીકાર્થ : પ્રથમ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. તેમાં બીજા બધા જીવોને પણ અક્ષમા નિમિત્તે કર્મબંધ 30 ન થાય તે માટે કરુણાથી ‘સવ્વ નૌવા વ્રતંતુ મે’ શબ્દોનું ઉચ્ચારણ જીવ કરે છે. હવે આ અધ્યયનના