SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ અજ્ઞાનિકો હાલ ૧૬૧ व्यवस्थाप्य पर्यन्ते चोत्पत्तिमुपन्यस्याधः सप्त सदादयः उपन्यसनीयाः, सत्त्वमसत्त्वं सदसत्त्वं अवाच्यत्वं सदवाच्यत्वं असदवाच्यत्वं सदसदवाच्यत्वमिति चैकैकस्य जीवादेः सप्त सप्त विकल्पाः, एते नव सप्तकाः त्रिषष्टिः, उत्पत्तेस्तु चत्वार एवाद्या विकल्पाः, तद्यथा-सत्त्वमसत्त्वं सदसत्त्वं अवाच्यत्त्वं चेति, त्रिषष्टिमध्ये क्षिप्ताः सप्तषष्टिर्भवन्ति, को जानाति जीवः सन्नित्येको विकल्पः, પ્રથમના નવ પદાર્થોની નીચે સત્ વિગેરે સાત પદાર્થો સ્થાપવા. તે આ પ્રમાણે (૧) સત્ત્વ = 5 સ્વરૂપથી વિદ્યમાનતા, (૨) અસત્ત્વ = પરરૂપે અવિદ્યમાનતા, (૩) સત્ત્વ-અસત્ત્વ = સ્વરૂપે અને પરરૂપે ક્રમશઃ વિદ્યમાનતા–અવિદ્યમાનતા, (૪) અવાચ્યત્વ = વસ્તુની વિદ્યમાનતા અને અવિદ્યમાનતા એકસાથે એક શબ્દથી કહેવી અશક્ય હોવાથી તે અવાચ્ય કહેવાય છે. (૫) સત– અવાચ્યત્વ = વસ્તુનો અમુક અંશ સત્ તરીકે અને અમુક અંશ અવાચ્ય તરીકે એકસાથે વિવક્ષા કરીએ ત્યારે સત—અવાચ્યત્વભાંગો ઘટે. (૬) આ જ પ્રમાણે અસત્—અવાચ્યત્વ જાણવું. અને (૭) 10 જ્યારે એક અંશ સતું તરીકે, બીજો અંશ અસતુ તરીકે અને ત્રીજો અંશ અવાચ્યત્વ તરીકે એક સાથે વિવફા કરીએ ત્યારે સત્અસત્—અવાચ્યત્વ. જીવ વિગેરે દરેકના સાત-સાત વિકલ્પો કરતા ૯ x ૭ = ૬૩ થાય. અને ઉત્પત્તિના ચાર વિકલ્પો – (૧) સત્ત્વ, (૨) અસત્ત્વ, (૩) સત્—અસત્ત્વ, અને (૪) અવાચ્યત્વ. (બાકીના ત્રણ વિકલ્પો પદાર્થની ઉત્પત્તિ થયા પછી પદાર્થના જુદા જુદા અવયવોની અપેક્ષાએ ઘટે. અને પદાર્થના જુદા જુદા અવયવોની કલ્પના ઉત્પત્તિ થયા પછી જ કરી 15 શકાય, પણ ઉત્પત્તિ વખતે ન કરી શકાય માટે ઉત્પત્તિમાં છેલ્લા ત્રણ વિકલ્પો ઘટતા નથી.) ૬૩માં આ ચાર વિકલ્પો ઉમેરતા ૬૭ થાય છે. (અહીં ઘટને આશ્રયીને સાત ભાંગાઓની વિચારણા કરાય છે. એક વિવક્ષિત ઘડો માટીનો છે, અમદાવાદીય છે, લાલ છે. તેથી તેમાં મૃત્મયત્વ, અમદાવાદીયત્વ, અને રક્તત્વનામના ધર્મો “સ્વરૂપ છે. તે ઘડો સોનાનો નથી, મુંબાપુરી(મુંબઇ)નો નથી કે કાળો નથી. તેથી તેમાં સુવર્ણત્વ, મુંબાપુરીય– 20 અને શ્યામત્વનામના ધર્મો રહેતા ન હોવાથી ઘડા માટે તે ધર્મો “પરરૂપ છે. (૧) કોઈ વ્યક્તિ પૂછે કે ઘડો માટીનો છે? ત્યારે આ વિવક્ષિત ઘડો માટીનો હોવાથી તેને જવાબ અપાય છે કે – સ્વરૂપે = મૃત્મયત્વેન ઘડો છે = ધટ: સન. (૨) કોઇ વ્યક્તિ પૂછે–ઘડો સોનાનો છે? ત્યારે તે ઘડો સોનાનો ન હોવાથી તેને જવાબ અપાય છે કે – પરરૂપેળ = સ્વયત્વે ઘટ અસત્ = અવિદ્યમાન છે = પટ: સન 25 (૩) કોઈ વ્યક્તિ પૂછે – ઘડો માટીનો છે? શ્યામ છે? ત્યારે તેને ક્રમશઃ જવાબ અપાય છે કે ઘડો માટીનો છે = સ્વરૂપેણ ઘટઃ સ. અને શ્યામ નથી = પરરૂપેણ ઘટી બસન. (૪) કોઈ વ્યક્તિને શ્યામ માટીના ઘડાની જરૂર છે તેથી તે પૂછે કે માટીનો કાળો ઘડો છે ? આ પ્રશ્નમાં મૃન્મયત્વ એ “સ્વરૂપ છે અને શ્યામત્વ એ “પર”રૂપ છે. આ બંનેનો એક સાથે એક જ પ્રશ્નમાં ઉલ્લેખ છે અને એટલે એક જ શબ્દથી જવાબ આપવાનો આવે ત્યારે તેવો કોઈ શબ્દ છે નહીં કે જે 30 સ્વ-પર બંને રૂપોનો એક સાથે ઉલ્લેખ કરી શકે. તેથી જવાબ આપવો પડે કે ઘટઃ પ્રવી: = ઘટ અવાચ્ય છે. આશય એ છે કે વિવક્ષિત ઘડો માટીનો હોવાથી “પટી = ઘટ નથી એવું બોલાય
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy