SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તેઈન્દ્રિયજીવન ગ્રહણ-પરિસ્થાપન (ગા. ૭) છે. ૩૯ छगणकिंमिओवि तहेव संथारगो वा गहिओ घुणाइणा णाए तहेव तारिसए कढे संकामिज्जइ, - उद्देहियाहिं गहिए पोत्ते णत्थि तस्स विगिंचणया, ताहे तेसिंवि लोढाइज्जइ, तत्थ अइंति, लोए छप्पइयाउ विसामिज्जंति सत्तदिवसे, कारणगमणं ताहे सीयलए निव्वाघाए, एवमाईणं तहेव आगरे निव्वाघाए विवेगो, कीडियाहिं संसत्ते पाणए जइ जीवंति खिप्पं गलिज्जइ, अह पडिया लेवाडेणवि हत्थेण उद्धरेयव्वा, अलेवाडं चेव पाणयं होइ, एवं मक्खियावि, संघाडएण पुण 5 જેમ ગ્લાનાદિ પ્રયોજનમાં સસ્તુ વિગેરેનું ગ્રહણ કર્યું હોય ત્યારે સંસક્ત એવા સક્તમાં રહેલા જીવોના પરિત્યાગ માટે પૂર્વે કહેલ વિધિ જાણવી. એ જ રીતે તલમાં કોઈ કીડા હોય, દહીંમાં રલા (=વેઈન્દ્રિયજીવવિશેષ) હોય, છાણના કીડા હોય, કે ઘુણાદિથી લાકડાંના પીઠ–ફલકાદિરૂપ સંસારક સંસક્ત થયો હોય ત્યારે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બધાનો પરિત્યાગ કરવો. જેમ કે ઘુણાદિથી સંસ્તારક સંસક્ત થયો હોય તો પીઠ-ફલક જેવા જ અન્ય લાકડાંમાં તે ઘુણાદિને મૂકવા. 10 ઉદ્દેહિકાઓ (વસ્ત્રમાં થતાં તેઈન્દ્રિયજીવવિશેષો) વડે જો વસ્ત્ર સંસક્ત થયું હોય તો ઉત્સર્ગથી તે વસ્ત્ર જ ત્યાગવું જોઈએ. પરંતુ જો અન્ય વસ્ત્રના અભાવે તે વસ્ત્રનો ત્યાગ થઈ શકે એમ નથી, ત્યારે તે ઉદ્દેહિકાઓનું જે ભીંત વિગેરે પાસે બિલ હોય તેની નજીક રાખવામાં આવે છે જેથી તે વસ્ત્રમાંથી નીકળીને બિલમાં પ્રવેશ કરે. લોચ કર્યા પછી જૂ વિગેરે જીવો માટે સાત દિવસ સુધી વાળોનું પડિલેહણ કરતા રહેવું. પરંતુ જો એક સ્થાને સાત દિવસ સુધી રોકાવવાનું ન હોય 15 અને કોઈ કારણ આવતા વિહાર કરવો પડે તો નિર્ચાઘાત એવા ઠંડા પ્રદેશમાં સ્થાનમાં વાળો પરઠવે. (આ રીતે અનેક પ્રકારે તેઈન્દ્રિયજીવોનું ગ્રહણ સંભવે છે. બધું કહેવું શક્ય ન હોવાથી અતિદેશ કરતા કહે છે કે, આ બધા અનેક પ્રકારના જીવોનું ગ્રહણ થાય ત્યારે એ જ રીતે પોતપોતાના સ્થાને નિર્વાઘાત સ્થળે ત્યાગ કરવો. કીડીઓથી સંસક્ત પાણી જો અનાભોગથી ગ્રહણ થઈ ગયું હોય ત્યારે તે કીડીઓ જો જીવતી 20 ' હોય તો તરત જ પાણી ગાળી લેવું, પરંતુ એવું બને કે સાધુ જયારે પાણી ગ્રહણ કરતો હોય તે સમયે જ બે–ચાર કીડીઓ અંદર પડી તો ભોજનથી ખરડાયેલા એવા પણ હાથથી સાધુએ પાણીમાંથી કીડીઓનો ઉદ્ધાર કરવા યોગ્ય છે. આ રીતે ખરડાયેલા હાથ પાણીમાં જવા છતાં પાણી લેપકૃત થતું નથી. (કારણ કે તે સાધુ જીવદયા માટે કરે છે અને આ રીતે બહુતરગુણોની સિદ્ધિ થાય છે.) આ જ પ્રમાણે માખીઓ માટે પણ સમજી લેવું. (અહીં ભોજનથી ખરડાયેલા હાથથી 25 પણ કીડીઓનો ઉદ્ધાર કરવો એ પ્રમાણે જે ખરડાયેલા હાથની વાત કરી તે જ્યારે ગોચરી માટે ३५. गोमयकृमयोऽपि तथैव संस्तारको वा गृहीतो घुणादिभिः ज्ञाते तथैव तादृशे काष्ठे संक्राम्यन्ते, उद्देहिकाभिर्गृहीते पोते नास्ति तस्य विवेकः, तदा तासामपि प्रत्यासन्नीक्रियते, तत्र प्रविशन्ति, लोचे षट्पदिका विश्राम्यन्ते सप्त दिवसान्, कारणे गमनं तदा शीतले निर्व्याघाते, एवमादीनां तथैवाकरे निर्व्याघाते विवेकः, कीटिकाभिः संसक्ते पानीये यदि जीवन्ति क्षिप्रं गाल्यते, अथ पतिता लेपकृताऽपि हस्तेनोद्धर्त्तव्याः, 30 अलेपकृदेव पानीयं भवति, एवं मक्षिका अपि, संघाटकेन पुनः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy