________________
વંદનનિરૂપણના કારો (નિ.-૧૧૦૪) * ૬૭ कइओणयं कइसिरं कइहिं च आवस्सएहि परिसुद्धं ।
कइदोसविप्पमुक्कं किइकम्मं कीस कीरइ वा ? ॥११०४॥ व्याख्या-इदं वन्दनं कर्तव्यं कस्य वा केन वाऽपि 'कदा वा' कस्मिन् वा काले 'कतिकृत्वो वा' कियत्यो वा वाराः ? । अवनतिः-अवनतं, कत्यनवतं तद्वन्दनं कर्तव्यं ?, कतिशिरः कति शिरांसि तत्र भवन्तीत्यर्थः, कतिभिरावश्यकैः-आवर्तादिभिः परिशुद्धं, कति- 5 दोषविप्रमुक्तं, टोलगत्यादयो दोषाः, 'कृतिकर्म' वन्दनकर्म 'कीस कीरइ' त्ति किमिति वा क्रियत इति गाथाद्वयसंक्षेपार्थः ॥ अवयवार्थ उच्यते, तत्र वन्दनकर्म द्विधा-द्रव्यतो भावतश्च, द्रव्यतो मिथ्यादृष्टेरनुपयुक्तसम्यग्दृष्टेश्च, भावतः सम्यग्दृष्टरुपयुक्तस्य, चितिकर्मापि द्विधैव-द्रव्यतो भावतश्च, द्रव्यतस्तापसादिलिङ्गग्रहणकर्मानुपयुक्तसम्यग्दृष्टे रजोहरणादिकर्म च, भावतः सम्यग्दृष्ट्युपयुक्तरजोहरणाद्युपधिक्रियेति, कृतिकर्मापि द्विधा-द्रव्यत: कृतिकर्म निह्नवादीनाम- 10 वनामादि करणमनुपयुक्तसम्यग्दृष्टीनां च, भावतः सम्यग्दृष्ट्युपयुक्तानामिति, पूजाकर्मापि द्विधाद्रव्यतो निह्नवादीनां मनोवाक्कायक्रिया अनुपयुक्तसम्यग्दृष्टीनां च, भावतः सम्यग्दृष्ट्युपयुक्तानामिति, विनयकर्मापि द्विधा-द्रव्यतो निह्नवादीनामनुपयुक्तसम्यग्दृष्टीनां च, भावत उपयुक्तसम्यग्दृष्टीनां ક્યારે અને કેટલી વાર કરવા?
ગાથાર્થ :- કેટલી વાર અવનત કરવા? કેટલા મસ્તક? અને કેટલા આવશ્યકોવડે આ 15 વંદન પરિશુદ્ધ થાય ? કેટલા દોષથી રહિત અને શા માટે આ વંદનકર્મ કરવું?
ટીકાર્થ :- આ વંદન કોને કરવા યોગ્ય છે? કોનાવડે, ક્યારે, કેટલી વાર કરવા યોગ્ય છે? કેટલા અવનતવાળું વંદન કરવા યોગ્ય છે? તે વંદનમાં કેટલા મસ્તકો હોય? આવર્તાદિ કેટલા આવશ્યકોથી શુદ્ધ હોવું જોઈએ ? ટોલગતિ વિગેરે કેટલા દોષોથી રહિત હોવું જોઈએ?, અને આ વંદનકર્મ શા માટે કરવું જોઈએ ? આ પ્રમાણે બંને ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. 20 આ વિસ્તારાર્થ હવે કહેવાય છે. તેમાં વંદનક્રિયા બે પ્રકારે થાય – (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. (ઉપયુક્ત કે અનુપયુક્ત એવા) મિથ્યાદૃષ્ટિની અને અનુપયુક્ત સમ્યગ્દષ્ટિની વંદનક્રિયા દ્રવ્યથી જાણવી. તથા ઉપયુક્ત સમ્યગ્દષ્ટિની વંદનક્રિયા ભાવથી જાણવી. ચિતિકર્મ પણ દ્રવ્યભાવથી બે પ્રકારે છે. તેમાં તાપસાદિની લિંગગ્રહણક્રિયા અને અનુપયુક્ત સમ્યગ્દષ્ટિની રજોહરણાદિક્રિયા દ્રવ્યથી ચિતિકર્મ જાણવું. ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિ જીવની રજોહરણાદિઉપધિની 25 ક્રિયા ભાવથી ચિતિકર્મ જાણવું.
કૃતિકર્મ પણ દ્રવ્ય-ભાવથી બે પ્રકારે છે. તેમાં નિતવો અને અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિ"જીવોનું અવનામાદિકરણ એ દ્રવ્યથી કૃતિકર્મ જાણવું. ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિજીવોનું અવનામાદિકરણ એ ભાવથી કૃતિકર્મ જાણવું. પૂજાકર્મ પણ બે પ્રકારે – નિતવો અને અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિની મન-વચન-કાયાની ક્રિયા એ દ્રવ્યથી તથા ઉપયુક્ત સમ્યગ્દષ્ટિઓનું ભાવથી 30 પૂજાકર્મ જાણવું. વિનયકર્મ પણ બે પ્રકારે – તેમાં નિહ્નવો અને અનુપયુક્ત સમ્યગ્દષ્ટિઓનું દ્રવ્યથી તથા ઉપયુક્ત સમ્યગ્દષ્ટિઓની વિનક્રિયા એ ભાવથી વિનયકર્મ જાણવું. ll૧૧૦૩ –