________________
5
10
૩૨૨
*
20
તથા
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) "एवंविहा गरा मे वत्तव्वा एरिसी न वत्तव्वा । वेयालियaratस भासओ वाइगं झाणं ॥ १ ॥ "
''
"सुसमाहियकरपायस्स अकज्जे कारणमि जयणाए । किरियाकरणं जं तं काइयझाणं भवे जइणो ॥२॥ " न चात्र समाधानमात्रकारित्वमेव गृह्यते, किन्तु भूतोपरोधरहितः, तत्र भूतानि - पृथिव्यादीनि, उपरोध:-तत्सङ्घट्टनादिलक्षणः तेन रहितः - परित्यक्तो यः 'एकग्रहणे तज्जातीयग्रहणाद्' अनृतादत्तादानमैथुनपरिग्रहाद्युपरोधरहितश्च स देशो 'ध्यायतः ' चिन्तयतः, उचित इति શેષ:, સર્વ ગાથાર્થ: રૂા
गतं देशद्वारम् अधुना कालद्वारमभिधित्सुराह
कालोऽवि सोच्चिय जहिं जोगसमाहाणमुत्तमं लहइ । न उ दिवसनिसावेलाइनियमणं झाइणो भणियं ॥३८॥
“આવા પ્રકારની વાણી મારે બોલવી, પણ આવા પ્રકારની બોલવી નહીં. આ પ્રમાણે વિચારીને વાક્ય બોલનારનું વાચિકધ્યાન જાણવું. ॥૧॥' તથા હાથ-પગને સારી રીતે વ્યવસ્થિત રાખીને 15 તેને અકાર્યમાં ન જોડનારનું કારણ આવી પડતા જયણાપૂર્વક જે ક્રિયાનું કરણ તે કાયિકધ્યાન
•
જાણવું.'
વળી, માત્ર સ્વાસ્થ્યદાયી એવો દેશ જ અહીં ગ્રહણ કરવાનો નથી, પરંતુ સ્વાસ્થ્યદાયી સાથે ભૂતોના ઉપરોધ વિનાનો પણ જોઈએ. અહીં ભૂત એટલે પૃથ્વી વિગેરે જીવો. ઉપરોધ એટલે તે જીવોના સંઘટ્ટન વિગેરે. તેનાથી રહિત એવો દેશ. અહીં એકના ગ્રહણથી (=હિંસાનું ગ્રહણ કરવાથી) તજ્જાતીયનું ગ્રહણ થતું હોવાથી મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહ વિગેરેના ઉપરોધથી રહિત એવો દેશ ધ્યાન ધરનાર મુનિ માટે ઉચિત જાણવો. (અહીં મૃષાનો ઉપરોધ એટલે ધ્યાન માટે ગુરુને જે પ્રદેશનું કથન કર્યું છે તેના કરતા અન્ય પ્રદેશમાં બેસીને ધ્યાન ધરે તો તે દેશ અસત્યના સંબંધવાળો કહેવાય. એ જ રીતે સ્વામીની અનુજ્ઞા મેળવ્યા વિનાનો દેશ અદત્તાદાનના સંબંધવાળો જાણવો. જ્યાં મૈથુનસંબંધી શબ્દો કે રૂપાદિના દર્શન થતાં હોય તે 25 મૈથુનના સંબંધવાળો દેશ જાણવો. તથા જો તે દેશમાં મૃતિ થાય તો પરિગ્રહના સંબંધવાળો તે દેશ ઉપચારથી જાણવો. અથવા જે દેશમાં અસત્ય વિગેરે પાપો અન્ય વ્યક્તિ કરતી હોય તેવા દેશથી રહિત એવો દેશ ધ્યાન ધરનાર મુનિ માટે ઉચિત જાણવો.) ધ્યા.- ૩૭ાા
અવતરણિકા : દેશદ્વાર પૂર્ણ થયું. હવે કાલદ્વાર કહેવાની ઇચ્છાવાળા કહે છે →
ગાથાર્થ :- કાલ પણ તે જ જાણવો કે જે કાલમાં મનાદિયોગોનું ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું 30 હોય. ધ્યાન માટે કોઈ ચોક્કસ દિવસ, રાત્રિવેલા વિગેરેનો નિયમ ધ્યાનીને કહ્યો નથી.
२९. एवंविधाः गीर्मया वक्तव्येदृशी न वक्तव्या । इति विचारितवाक्यस्य भाषमाणस्य वाचिकं ध्यानम् II રૂ૦. સુસમાહિતપાસ્યાાર્યે જારણે વતનયા । ક્રિયાનાં યત્તાયિર્ન મવેત્ યંતેઃ ધ્યાન રા