________________
૩૦૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
व्याख्या-'पिशुनासभ्यासद्भूतभूतघातादिवचनप्रणिधान 'मित्यत्रानिष्टस्य सूचकं पिशुनं 'पिशुनं सूचकं विदुरिति वचनात्, सभायां साधु सभ्यं न सभ्यमसभ्यं-जकारमकारादि, न सद्भूतमसद्भूतमनृतमित्यर्थः, तच्च व्यवहारनयदर्शनेनोपाधिभेदतस्त्रिधा, तद्यथा-अभूतोद्भावनं भूतनिह्नवो
ऽर्थान्तराभिधानं चेति, तत्राभूतोद्भावनं यथा-सर्वगतोऽयमात्मेत्यादि, भूतनिह्नवस्तु नास्त्येवात्मेत्यादि, 5 गामश्वमित्यादि ब्रुवतोऽर्थान्तराभिधानमिति, भूतानां-सत्त्वानामुपघातो यस्मिन् तद्भूतोपघातं,
छिन्द्धि भिन्द्धि व्यापादय इत्यादि, आदिशब्दः प्रतिभेदं स्वगतानेकभेदप्रदर्शनार्थः, यथापिशनमनेकधाऽनिष्टसचकमित्यादि, तत्र पिशनादिवचनेष्वप्रवर्तमानस्यापि प्रवत्तिं प्रति प्रणिधानंदृढाध्यवसानलक्षणं, रौद्रध्यानमिति प्रकरणाद्गम्यते, किंविशिष्टस्य सत इत्यत आह-मायानिकृतिः साऽस्यास्तीति मायावी तस्य मायाविनो वणिजादेः, तथा 'अतिसन्धानपरस्य' पर
ટીકાર્થ : “અનિષ્ટસૂચક એવું વચન પિશુન તરીકે જાણવું' આવું વચન હોવાથી અનિષ્ટસૂચક વચન પિશુન જાણવું. સભામાં જે યોગ્ય હોય તે સભ્યવચન, જે સભ્ય ન હોય તે અસભ્યવચન, અર્થાત્ જકાર, મકાર વિગેરે ભાષા. (એટલે કે જે ભાષામાં સામેવાળાને જાકારો-તિરસ્કાર અપાતો હોય તે કાર ભાષા વિગેરે.) જે સભૂત ન હોય તે અસદ્દભૂત એટલે કે ખોટું વચન.
અને તે વ્યવહારનયના મતે ઉપાધિભેદથી ત્રણ પ્રકારનું છે. 15 તે આ પ્રમાણે – (૧) અસતનું ઉદ્દભાવન કરનારું વચન, (૨) સને છુપાવનારું વચન,
અને (૩) અર્થાન્તરને કહેનારું વચન. તેમાં “આ આત્મા સર્વવ્યાપી છે...” વિગેરે વચન એ (ખરેખર આત્મા સર્વવ્યાપી નહીં પણ શરીરવ્યાપી હોવાથી) અભૂતનું અયથાવસ્થિત પદાર્થનું ઉદ્દભાવન કરનારું જાણવું. (૨) “આત્મા છે જ નહીં.” વિગેરે વચનો ભૂત યથાવસ્થિત
પદાર્થને છૂપાવનારું છે. (૩) તથા ગાયને ઘોડો કહેતી વ્યક્તિનું વચન અર્થાન્તરને કહેનારું 20 જાણવું.
ભૂતોનો એટલે કે જીવોનો ઉપઘાત જેમાં થાય તેવું વચન ભૂતોપઘાત જાણવું. જેમ કે છેદી નાંખ, ભેદી નાંખ, મારી નાંખ વિગેરે. મૂળમાં ‘મૂર્યપાયારૂં' અહીં જે આદિશબ્દ છે તે દરેક ભેદના=પિશુનવિગેરે દરેકના સ્વગત અનેક ભેદોને જણાવનાર જાણવો. જેમ કે અનેક પ્રકારના
અનિષ્ટોને જણાવનારું પિશુનાત્મક વચન (અર્થાત ફલાણા પ્રકારના અનિષ્ટને સૂચવનારું પિશુનાત્મક 25 વચન એક, ફલાણા પ્રકારના અનિષ્ટને જણાવનારું પિશુનાત્મક વચન બીજું એ પ્રમાણે પિશુનાત્મક
વચનો અનેક પ્રકારના છે. એ જ રીતે અસભ્ય વચનો પણ અનેક પ્રકારના જાણવા. એ જ રીતે અસદ્દભૂતાદિમાં પણ અનેક પ્રકારો જણાવવા આદિશબ્દ છે.)
આવા પિશુનાદિવચનોમાં નહીં વર્તનારનો પણ પ્રવૃત્તિ પ્રત્યેનો દઢ અધ્યવસાય (એટલે કે આવા પિશુનાદિ આત્મક વચનો ન બોલતો હોવા છતાં તે બોલવા માટેનો જે દઢ-અધ્યવસાય) 30 તે રૌદ્રધ્યાન છે એમ પ્રકરણથી જાણવું. કેવા પ્રકારના જીવને આ રૌદ્રધ્યાન થાય છે ? તે કહે
છે – માયા એટલે કે નિકૃતિ છે જેને તે માયાવી. તેથી માયાવી તથા બીજાને ઠગવામાં પ્રવૃત્ત