________________
5
10
15
20
આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
.
૧૮૪ *
प्रशस्तेतरभेदा, प्रशस्ता ज्ञानाद्यभिलाषः, अप्रशस्ता क्रोधाद्यभिलाष इति, अत्र तु विनेयभावेच्छ्याऽधिकारः, क्षमादीनां तु पदानां गाथायामनुपन्यस्तानां यथासम्भवं निक्षेपादि वक्तव्यं, क्षुण्णत्वाद्ग्रन्थविस्तरभयाच्च नेोक्तमिति ।
उक्ता इच्छा, इदानीमनुज्ञा, सा च षड्विधा
नामं ठवणा दविए खित्ते काले तहेव भावे य ।
एसो उ अणुण्णाए णिक्खेवो छव्विहो होइ ॥ १२२१ ॥
व्याख्या-नामस्थापने गतार्थे, द्रव्यानुज्ञा लौकिकी लोकोत्तरा कुप्रावचनिकी च लौकिकी सचित्तादिद्रव्यभेदात्रिविधा, अश्वभूषितयुवतिवैडूर्याद्यनुज्ञेत्यर्थः, लोकोत्तराऽपि त्रिविधाकेवलशिष्यसोपकरणशिष्यवस्त्राद्यनुज्ञा, एवं कुप्रावचनिकी वक्तव्या, क्षेत्रानुज्ञा या यस्य यावतः क्षेत्रस्य यत्र वा क्षेत्रे व्याख्यायते क्रियते वा, एवं कालानुज्ञाऽपि वक्तव्या, भावानुज्ञा आचाराद्यनुज्ञा, भावानुज्ञयाऽधिकारः, अत्रान्तरे गाथायामनुपात्तस्याप्यक्षुण्णत्वादवग्रहस्य निक्षेप:ચોરનારા) સુભિક્ષકાલ ઇચ્છે છે. (જેથી લોકોના ભંડારો ભરેલા હોવાથી સુખેથી ચોરી કરી શકે.) ધાન્યના ભંડારો જેમની પાસે ભરેલા છે એવા કેટલાક ધાન્યના વેપારીઓ દુર્ભિક્ષ કાલ ઇચ્છે. (જેથી દુર્ભિક્ષ થવાથી પોતાના ત્યાં ભરેલ ભંડારોની કિંમત સારી આવે.) ॥૧॥’
ભાવેચ્છા પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારની છે. તેમાં જ્ઞાનાદિની ઇચ્છા તે પ્રશસ્ત અને ક્રોધાદિની ઇચ્છા તે અપ્રશસ્ત ભાવેચ્છા જાણવી. અહીં શિષ્યની ભાવેચ્છાનું પ્રયોજન છે. ગાથામાં જણાવેલા ક્ષમાદિપદોના યથાસંભવ નિક્ષેપાદિ કહેવા યોગ્ય છે. પરંતુ તે અન્ય ગ્રંથોમાં જણાવેલા હોવાથી અને અહીં ગ્રંથ વિસ્તારનો ભય હોવાથી જણાવાતા નથી. II૧૨૨૦
અવતરણિકા :- ઇચ્છા કહેવાઈ ગઈ. હવે અનુજ્ઞા જણાવે છે અને તે છ પ્રકારે છે હ્ર ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ પ્રમાણે અનુજ્ઞામાં છ પ્રકારના નિક્ષેપા થાય છે.
ટીકાર્થ :- નામ, સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્યાનુજ્ઞા લૌકિકી, લોકોત્તર અને કુપ્રાવચનિકી એમ ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત વિગેરે દ્રવ્યના ભેદથી લૌકિકી ત્રણ પ્રકારની છે. એટલે કે અશ્વની અનુજ્ઞા તે સચિત્તાનુજ્ઞા. અલંકૃતસ્ત્રીની અનુજ્ઞા તે મિશ્રાનુજ્ઞા. વૈઝૂર્યાદિ મણિની અનુજ્ઞા 25 તે અચિત્તાનુજ્ઞા. લોકોત્તરાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે છે → એકલા શિષ્યની અનુજ્ઞા તે સચિત્તાનુજ્ઞા. ઉપકરણ સહિત એવા શિષ્યની અનુજ્ઞા તે મિશ્ર અને વસ્ત્રાદિની અનુજ્ઞા તે અચિત્તાનુજ્ઞા.
->
એ જ પ્રમાણે કુપ્રાવચનિકી અનુજ્ઞા પણ સચિત્તાદિ ત્રણ પ્રકારે જાણી લેવી. ક્ષેત્રાનુજ્ઞા જેટલા ક્ષેત્રની અનુજ્ઞા તે ક્ષેત્રાનુજ્ઞા અથવા જે ક્ષેત્રમાં અનુજ્ઞાનું વર્ણન કરાય છે કે અનુજ્ઞા અપાય છે તે ક્ષેત્ર ક્ષેત્રાનુજ્ઞા. આ પ્રમાણે કાલાનુજ્ઞા પણ કહેવી. આચારાદિ ગ્રંથોની અનુજ્ઞા 30 તે ભાવાનુજ્ઞા. અહીં ભાવાનુજ્ઞા પ્રસ્તુત છે. ચૂર્ણિકા૨ના મતે ક્ષેત્રાનુજ્ઞા પ્રસ્તુત છે.) અહીં
* ‘સાઘમિભાષ' - પ્રત્યનો મુદ્રિતે .