________________
૧૮૨ *
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
कालिकी तया, सर्व एव मिथ्योपचाराः - मातृस्थानगर्भाः क्रियाविशेषा यस्यामिति समासस्तया, सर्वधर्माः - अष्टौ प्रवचनमातरः तेषामतिक्रमणं - लङ्घनं यस्यां सा सर्वधर्मातिक्रमणा तया, ભૂતયાડડજ્ઞાતનયંતિ, નિમતિયો મયાતિષાર:–અપરાધ: ‘તો' નિવૃતિત: ‘તસ્ય’ अतिचारस्य हे क्षमाश्रमण ! युष्मत्साक्षिकं प्रतिक्रामामि - अपुनःकरणतया निवर्तयामीत्यर्थः, तथा दुष्टकर्मकारिणं निन्दाम्यात्मानं प्रशान्तेन भवोद्विग्नेन चेतसा, तथा गर्हाम्यात्मानं युष्मत्साक्षिकं व्युत्सृजाम्यात्मानं दुष्टकर्मकारिणं तदनुमतित्यागेन, सामायिकानुसारेण च निन्दादिपदार्थो न्यक्षेण वक्तव्य:, एवं क्षामयित्वा पुनस्तत्रस्थ एवार्द्धावनतकाय एव भणति - ' इच्छामि खमासमणो ' इत्यादि सर्वं द्रष्टव्यमित्येवं, नवरमयं विशेष:-'खामेमि खमासमणो' इत्यादि सर्वं सूत्रमावश्यिक्या विरहितं तत् पादपतित एव भणति, शिष्यासम्मोहार्थं सूत्रस्पर्शिकगाथाः स्वस्थाने खल्वनादृत्य 10 लेशतस्तदर्थकथनयैव पदार्थो निदर्शितः ।
5
વિચારણાથી ભવિષ્યકાલ સંબંધી આશાતના ઘટે જ છે. આ ભવમાં આ પ્રમાણે તથા પરભવમાં નિયાણુ વિગેરે કરવા દ્વારા આશાતના ઘટે છે.)
અતીત વિગેરે સર્વકાલવડે થયેલી હોય તે સાર્વકાલિકી એવી આશાતનાના કારણે (અર્થાત્ ત્રણે કાલસંબંધી આશાતનાના કારણે), તથા માયાગર્ભિત સર્વ ક્રિયાઓ જેમાં છે તે સર્વ15 મિથ્યોપચારિકી આશાતનાના કારણે, આઠ પ્રવચન માતાઓ રૂપ સર્વધર્મોનું ઉલ્લંઘન છે જેમાં તે સર્વધર્માતિક્રમણાશાતનાના કારણે, આવા બધા પ્રકારની આશાતનાવડે મારાદ્વારા અપરાધ કરાયો છે, તે અપરાધોથી હે ક્ષમાશ્રમણ ! તમારી સાક્ષીએ ફરી નહીં કરવારૂપ અકરણનિયમથી પાછો ફરું છું.
તથા દુષ્ટકર્મને કરનારા એવા મારા આત્માની પ્રશાંત અને સંસારથી ખિન્ન એવા ચિત્તવડે 20 નિંદા કરું છું, આપની સાક્ષીએ તે આત્માની ગર્હા કરું છું, તથા અનુમતિનો ત્યાગ કરવા દ્વારા દુષ્ટકર્મને કરનારા એવા આત્માનો ત્યાગ કરું છું. કરેમિ ભંતે ! વિગેરેરૂપ સામાયિકસૂત્રમાં જણાવેલા નિંદા-ગર્હા વિગેરે પદોનો અર્થ વિસ્તારથી અહીં પણ જાણી લેવો. આ પ્રમાણે ક્ષમા યાચીને ત્યાં જ રહેલો અર્ધ નમેલી કાયાવાળો જ શિષ્ય ફરી (આ જ વાંદણાસૂત્ર બીજી વાર) કહે છે ફચ્છામિ જીમાસમળો... વિગેરે સંપૂર્ણ સૂત્ર પૂર્વની જેમ જાણી લેવું.
-
25
અહીં માત્ર ફરક એટલો સમજવો કે - શિષ્ય ‘નત્તા મે નવપ્નનં 7 મે’ પછીનું ‘ઘામમિ ર૩માસમળો !...’ વિગેરે આખું સૂત્ર આવસહિ વિના એટલે કે ‘વસિયા' કહીને અવગ્રહથી બહાર નીકળ્યા વિના ગુરુના ચરણોમાં રહેલો જ બોલે છે. શિષ્યને સંમોહ ન થાય તે માટે સૂત્રસ્પર્શિક ગાથાઓ પોતાના સ્થાને બતાવ્યા વિના પ્રથમ તે ગાથામાં કહેલા અર્થોનું કથન કરવા દ્વારા સૂત્રના પદોનો અર્થ સંક્ષેપથી જણાવી દીધો. (અર્થાત્ મૂળ સૂત્ર જણાવ્યા પછી 30 સૂત્રસ્પર્શિક ગાથાઓ જણાવવાની હતી અને પછી તે ગાથામાં જણાવેલા સૂત્રપદોના અર્થો કહેવાના હતા. પરંતુ આવા ક્રમને બદલે પ્રથમ સૂત્રપદોના અર્થો જે સંક્ષેપથી જણાવ્યા તે શિષ્યને સંમોહ ન થાય તે માટે જણાવ્યા છે.)