SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) उज्जममाणस्स गुणा जह हुंति ससत्तिओ तवसुएसुं । एमेव जहासत्ती संजममाणे कहं न गुणा ? ॥११६९॥ व्याख्या-उज्जममाणस्स'त्ति उद्यच्छतः-उद्यमं कुर्वतः साधोः, क्व ?-तपःश्रुतयोरिति योगः, 'गुणाः' तपोज्ञानावाप्तिनिर्जरादयो यथा भवन्ति 'स्वशक्तितः' स्वशक्त्योद्यच्छतः, एवमेव 'यथाशक्ति' शक्त्यनुरूपमित्यर्थः, 'संजममाणे कहं न गुण'त्ति संयच्छमाने-संयम पृथिव्यादिसंरक्षणादिलक्षणं कुर्वति सति साधौ कथं न गुणाः ?, गुणा एवेत्यर्थः, अथवा कथं न गुणा येनाविकलसंयमानुष्ठानरहितो विराधकः प्रतिपाद्यत इति ? ॥११६९॥ अत्रोच्यते अणिगृहंतो विरियं न विराहेइ चरणं तवसुएसुं । जइ संजमेऽवि विरियं न निगूहिज्जा न हाविज्जा ॥११७०॥ व्याख्या-'अनिगृहन् वीर्य' प्रकटयन् सामर्थ्य यथाशक्त्या, क्व ?-तपःश्रुतयोरिति योगः, किं ? 'न विराधयति चरणं' न खण्डयति चारित्रं यदि 'संयमेऽपि' पृथिव्यादि 10 ગાથાર્થ :- તપ અને શ્રુતમાં સ્વશક્તિથી ઉદ્યમ કરનારાને જેમ ગુણો થાય છે, તેમ યથાશક્તિ સંયમ પાલન કરનારાને ગુણો કેમ ન થાય ? ટીકાર્થ :- (અહીં આશય એ છે કે - તમે ચારિત્રની પ્રશંસા ભલે કરો. પરંતુ 15 યથાશક્તિસૂક્ષ્મ રીતે નહીં, પણ જેટલાંશે શક્ય બને તેટલાંશે સંયમજીવનનું પાલન કરીએ તો પણ ગુણો થવા જોઈએ. આવા આશયથી શિષ્ય પ્રશ્ન પૂછે છે કે -) ઉદ્યમ કરતાં સાધુને, ક્યાં ઉદ્યમ કરતાં ? તપ અને શ્રતમાં ઉદ્યમ કરતાં સાધુને તપ અને જ્ઞાનની પ્રાપ્તિ, નિર્જરા વિગેરે ગુણો જેમ થાય છે. (કેવી રીતે ઉદ્યમ કરતાં? –) સ્વશક્તિથી ઉદ્યમ કરતાં. (અન્વય ગાથાર્થ પ્રમાણે.) તેમ, શક્તિ અનુસારે પૃથ્વી વિગેરે જીવોના સંરક્ષણાદિરૂપ સંયમને કરતાં સાધુને ગુણો કેમ ન થાય ? અર્થાત્ ગુણો પ્રાપ્ત થાય જ. અથવા આ રીતે સંયમને પાળતાં સાધુને શા માટે ગુણો પ્રાપ્ત થતાં નથી ? કે જેથી તમે સંપૂર્ણ સંયમાનુષ્ઠાનોથી રહિત સાધુને વિરાધક કહો છો? (અહીં પ્રથમ વિકલ્પમાં શિષ્ય યથાશક્તિ સંયમ પાળનારને ગુણો જ થાય છે એવું માને છે. અથવા' કરીને જે બીજો વિકલ્પ છે. તેમાં યથાશક્તિ સંયમ પાલનારને ગુણો કેમ પ્રાપ્ત થતાં 25 નથી ? એ પ્રશ્ન પૂછ્યો છે. આશય એ કે બધો જ તપ કરવો જરૂરી નથી શક્તિ પ્રમાણે કરવાનો, તો ગુણ થાય તો પછી ચારિત્રમાં પૂર્ણચારિત્રનો આગ્રહ કેમ ?) I/૧૧૬૯લા આચાર્ય હવે એનો જવાબ આપે છે કે ગાથાર્થ :- તપ-કૃતમાં વીર્યને ફોરવતો સાધુ ચારિત્રની વિરાધના કરતો નથી જો, સંયમમાં પણ વીર્યને ગોપવે નહીં, સંયમને ખંડિત કરે નહીં. 30 ટીકાર્થ :- યથાશક્તિ સામર્થ્યને પ્રકટ કરતો સાધુ, શેમાં સામર્થ્ય પ્રકટ કરતો ?- તપ શ્રુતમાં એ પ્રમાણે અન્વય જોડવો. માટે તપ-કૃતમાં સામર્થ્યને પ્રકટ કરતો સાધુ શું નથી કરતો? – ચારિત્રને ખંડિત કરતો નથી. જો તે પૃથ્વી વિગેરે જીવોના સંરક્ષણાદિરૂપ સંયમમાં
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy