________________
5
એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
व्याख्या : परमार्थसाधनप्रवृत्तौ सत्यां जगत्यसहाये सति प्राकृतशैल्या वाऽसहायस्य सहायत्वं कुर्वन्ति मम संयमं कुर्वतः सतः, अनेन कारणेन नमाम्यहं सर्वसाधुभ्य इति गाथार्थः ॥१००५॥ 'साहूण नमोक्कारो ४ इत्यादिगाथाविस्तरः सामान्येनार्हन्नमस्कारवदवसेयः, विशेषस्तु सुखोन्नेय इति कृतं प्रसङ्गेन ॥ उक्तं वस्तुद्वारम्,
10
૨૩૬
अधुनाऽऽक्षेपद्वारावयवार्थप्रचिकटयिषयेदमाह
नैवि संखेवो न वित्थारु संखेवो दुविहु सिद्धसाहूणं । वित्थारओऽणेगविहो पंचविहो न जुज्जई तम्हा ॥१००६॥
व्याख्या : इहास्या गाथाया अंशकक्रमनियमाच्छन्दोविचितौ लक्षणमनेन पाठेन विरुध्यते 'न संखेवो' इत्यादिना, यत इहाद्य एव पञ्चमात्रोऽंशकः इत्यतोऽपपाठोऽयमिति, ततश्चापिशब्द एवात्र
ટીકાર્થ : મોક્ષસાધનપ્રવૃત્તિ જ્યારે હું કરું છું ત્યારે આ બાહ્ય જગતમાં મને કોઈ સહાય કરનારું નથી. આ રીતે અસહાયમાં અથવા ‘ઝસહાપ્’ શબ્દમાં સપ્તમી વિભક્તિને બદલે પ્રાકૃતશૈલી હોવાથી છઠ્ઠી વિભક્તિ જાણવી. તેથી ‘અસહાય એવા મને' એ પ્રમાણે અર્થ કરવો. માટે સંયમનું પાલન કરતા સહાય વિનાના મને સાધુઓ સહાયપણું કરે છે. તે કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ૧૦૦૫॥
15
અહીં પણ સાધુઓને કરેલો નમસ્કાર... વિ. ગાથાસમુહ સામાન્યથી અર્હન્નમસ્કાર પ્રમાણે જાણવો. વિશેષથી સુખેથી જાણી શકાય જ છે તેથી પ્રસંગવડે સર્યું. (આ પ્રમાણે પૂર્વે ગાથા ૮૮૭માં કહેલ) વસ્તુદ્વાર પૂર્ણ થયું.
અવતરણિકા : હવે આક્ષેપદ્વારના (ગાથા ૮૮૭માં કહેવાયેલ) વિસ્તા૨ાર્થને પ્રગટ કરવાની ઇચ્છાથી આગળ સૂત્રને કહે છે
20
ગાથાર્થઃ (નમસ્કાર) એ સંક્ષેપમાં પણ નથી કે વિસ્તારમાં પણ નથી. (કારણ કે) સંક્ષેપનમસ્કાર બે પ્રકારે છે, એટલે કે સિદ્ધ અને સાધુઓને કરેલો નમસ્કાર, તથા વિસ્તારથી નમસ્કાર અનેક પ્રકારનો છે. તેથી (સંક્ષેપ કે વિસ્તાર બંને પ્રકારે ઘટતો ન હોવાથી) પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી. ટીકાર્થ : છંદોવિચિતિનામના છંદશાસ્ત્રમાં કહેવાયેલ લક્ષણનો આ ગાથાના ‘ન સંલેવો' પાઠ સાથે અંશના ક્રમનિયમને આશ્રયીને વિચારતા વિરોધ આવે છે. (અર્થાત્ અંશક્રમના નિયમથી એટલે 25 કે છંદશાસ્ત્રમાં અંશના ક્રમનો આ પ્રમાણે નિયમ છે કે ગાથાનો પ્રથમ અંશ ચાર માત્રાવાળો કરાય છે. જેમ કે - ‘મિળ નિળવેિ', અહીં ‘મિ' શબ્દ ચાર માત્રાવાળો છે. કારણ કે હ્રસ્વ અક્ષરની એક માત્રા છે અને દીર્ધ અક્ષરની ૨ માત્રા ગણતા ‘મિ' શબ્દ ચાર માત્રાવાળો થાય છે.) જ્યારે આ ગાથામાં પ્રથમ અંશ ‘નસંઘે' પાંચ માત્રાવાળો છે. (કારણ કે ‘ન' ની એક માત્રા અને ‘સંઘે’માં એક એક અક્ષરની બે બે માત્રા છે.) માટે આ પાઠ ખોટો છે. તેથી અહીં ‘અવિ’ શબ્દ 30 જાણવો, જેથી ‘નવ સંàવો...’ પાઠ થતાં ‘નવિસં’ ચારમાત્રા થાય (વળી, અહીં અત્તિ શબ્દ પાદપૂર્તિ માટે હોવાથી નિરર્થક છે એવી શંકા કોઈને થતી હોય તો તેની તે શંકાનું નિવારણ કરવા ટીકાકાર ★ इतः प्राक् 'एसो पंचनमुक्कारो' इत्यादिश्लोकः पुस्तकादर्शेषु, न च वृत्तौ व्याख्यातः सूचितो वा सः ।