SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) 'यथोद्देशं निर्देश' इति न्यायमाश्रित्योत्पत्तिद्वारनिरूपणायाऽऽह नियुक्तिकार: - उप्पन्नाऽणुप्पन्नो इत्थ नयाऽऽइनिगमस्सऽणुप्पन्नो । सेसाणं उप्पन्नो जइ कत्तो ?, तिविहसामित्ता ॥८८८॥ व्याख्या : उत्पन्नश्च सः अनुत्पन्नश्च स इति समानाधिकरणः, क्तेन नविशिष्टेनानञ् ( पा5 २-१-६०) कृताकृतादिवदुत्पन्नानुत्पन्नः, स्याद्वादिन एव एवंप्रकारः समासो युज्यते, नान्यस्यैकान्तवादिनः, एकत्रैकदा परस्परविरुद्धधर्मानभ्युपगमात्, आह-स्याद्वादिनोऽपि कथमेकत्रैकदा परस्परविरुद्धधर्माध्यास इति, उच्यते, 'एत्थ णय'त्ति अत्र नयाः प्रवर्तन्ते, ते च नैगमादयः सप्त, नैगमोऽपि द्विभेदः-सर्वसङ्ग्राही देशसङ्ग्राही च, तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वात् तस्य चोत्पादव्ययरहितत्वान्नमस्कारस्यापि तदन्तर्गतत्वादनुत्पन्नः, 'सेसाणं उप्पण्णो 'त्ति शेषा:10 विशेषग्राहिणस्तेषां शेषाणां विशेषग्राहित्वात् तस्य चोत्पादव्ययवत्त्वात् उत्पादव्ययशून्यस्य : वान्थ्येयादिवदवस्तुत्वात् नमस्कारस्य च वस्तुत्वादुत्पन्न इति, आह-शेषाः सङ्ग्रहादयः, सङ्ग्रहस्य અવતરણિકા : “જે ક્રમથી દ્વારોનું નિરૂપણ કર્યું તે ધારો તે જ ક્રમે જણાવવા જોઈએ એ ન્યાયને આશ્રયી પ્રથમ ઉત્પત્તિદ્વારનું નિરૂપણ કરવા માટે નિર્યુક્તિકાર કહે છે કે ગાથાર્થ : નમસ્કાર ઉત્પન્ન છે, અને અનુત્પન્ન પણ છે. આ વિષયમાં નયોની વિચારણા 15 છે. તેમાં પ્રથમ નૈગમનયના મતે નમસ્કાર અનુત્પન્ન છે અને શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન છે. જો ઉત્પન્ન છે તો શેમાંથી ?–ત્રણ પ્રકારના કારણમાંથી (નમસ્કાર ઉત્પન્ન થાય છે.) ટીકાર્થ : નમસ્કાર ઉત્પન્ન છે, અનુત્પન્ન પણ છે. તેન નવિશિષ્ટતાન” (પા. ૨––૬૦), | નિષેધ જણાવનાર નગ્ન થી વિશિષ્ટ એવા ત (ભૂતકૃદંતનો પ્રત્યય) સાથે નગ્ન વિનાનો સમાસ થાય. અહીં આ સૂત્રથી કૃતાકૃતની જેમ ઉત્પનાનુત્પન્ન સમાસ થયો છે. સ્યાદ્વાદીઓને જ આવા 20 પ્રકારનો સમાસ કરવો ઘટે છે. પરંતુ એકાન્તવાદીઓને નહિ કારણ કે તેઓ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મો સ્વીકારતા નથી. શંકા : સ્યાદ્વાદીઓના મતે પણ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મો કેવી રીતે રહી શકે? સમાધાનઃ આ વિષયમાં નયોથી વિચાર કરાય છે અને તે નૈગમાદિ સાત નયો છે. નૈગમનય 25 બે પ્રકારે છે. – ૧ સર્વનો સંગ્રહ કરનાર અને ૨. દેશનો સંગ્રહ કરનાર. તેમાં પ્રથમ સર્વસંગ્રહ કરનાર નૈગમનય સામાન્યમાત્રને જ ગ્રહણ કરનાર છે અને સામાન્ય એ ઉત્પાદ–વ્યયથી રહિત છે. નૈગમના મતે નમસ્કારનો પણ સામાન્યમાં જ સમાવેશ થતો હોવાથી નમસ્કાર અનુત્પન્ન છે. જ્યારે વિશેષગ્રાહી એવા શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન = ઉત્પત્તિવાળો છે. તે આ રીતે – શેષ નયો વિશેષગ્રાહી છે અને વિશેષ એ ઉત્પાદ–વ્યયવાળો છે. જે ઉત્પાદ–વ્યયથી શૂન્ય 30 છે, તે વંધ્યાપુત્રાદિની જેમ અવસ્તુ છે અને નમસ્કાર એ તો વસ્તુસ્વરૂપે છે, અવસ્તુ નથી માટે ઉત્પન્ન છે. + ૦ઋાસાવ૦ રૂત્તિ મુકિતપ્રત * વક્ત નલિમિ(સિમ – -૨-૨૦૧)
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy