SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 15 નમસ્કારના ત્રણ કારણો (નિ. ૮૮૯) ૧૩ च विशेषग्राहित्वं नास्तीति, उच्यते, तस्यादिनैगम एवान्तर्भावान्न दोष इति, अतः शेषाणामुत्पन्नः, 'जइ कत्तो'त्ति यद्युत्पन्नः, कुत ? इति, आह-'तिविहसामित्ता' त्रिविधं च तत् स्वामित्वं चेति समासः, तस्मात्रिविधस्वामित्वात्-त्रिविधस्वामिभावात् त्रिविधकारणादित्यर्थः । आहएवमप्येकत्रैकदा परस्परविरुद्धधर्माध्यासदोषस्तदवस्थ एव, न, अशेषवस्तुन एव तत्त्वतः सामान्यविशेषात्मकत्वात्, सामान्यधर्मैः सत्त्वादिभिरनुत्पादाद् विशेषधर्मैः संस्थानानुपू- 5 ादिभिरुत्पादाद, विजृम्भितं चात्र भाष्यकृता तत्तु नोच्यते ग्रन्थविस्तरभयाद्, गमनिकामात्रमेवैतदिति गाथार्थः ॥८८८॥ યદુf– ત્રિવિથસ્વામિત્વાદ્રિ તિ, તત્ ત્રિવિયસ્વામિત્વમુપહવયત્રદિ- समुट्ठाण १ वायणा २ लद्धिओ ३ य पढमे नयत्तिए तिविहं । શંકા : શેષ નયો તરીકે સંગ્રહાદિ ગયો છે અને સંગ્રહનય તો સામાન્યગ્રાહી હોવાથી તેનું 10 ' વિશેષગ્રાહીપણું છે જ નહિ (તેથી તેના મતે નમસ્કાર ઉત્પન્ન કેવી રીતે કહેવાય ?). સમાધાનઃ સંગ્રહનયનો આદિ(સર્વસંગ્રાહી)નૈગમનયમાં જ સમાવેશ થઈ જતો હોવાથી કોઈ પ્રશ્ન રહેતો નથી. આમ, શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન છે. જો નમસ્કાર ઉત્પન્ન છે તો તેની ઉત્પત્તિ શેમાંથી ? તે જણાવે છે કે – ત્રણ પ્રકારના સ્વામીત્વથી અર્થાત્ ત્રણ પ્રકારના કારણમાંથી નમસ્કાર ઉત્પન્ન થયો છે. શંકા નયથી વિચારણા કરવા છતાં પણ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મોનો સમાવેશરૂપ દોષ તો ઊભો જ છે તેનું શું ? - સમાધાનઃ ના, તે દોષ રહેતો નથી, કારણ કે દરેક વસ્તુ વાસ્તવિક રીતે સામાન્ય–વિશેષરૂપ છે. સત્ત્વાદિ સામાન્યધર્મોવડે વસ્તુની અનુત્પત્તિ હોવાથી અને સંસ્થાન–આનુપૂર્વી વગેરે વિશેષધર્મોવડે વસ્તુની ઉત્પત્તિ થતી હોવાથી એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મોનો સમાવેશ 20 થઈ જ શકે છે. (ભાવાર્થ એ છે કે – દરેક ક્ષણે વસ્તુ વિદ્યમાન છે જ. તેથી દરેક ક્ષણે તે વસ્તુમાં 'વિદ્યમાનતા.= સત્તા નામનો સામાન્યધર્મ તો રહેલ છે જ. તેથી વિદ્યમાનતારૂપ સામાન્યધર્મને લઈને જોઈએ તો વસ્તુ ક્યારેય નવી ઉત્પન્ન થતી નથી. જ્યારે દરેક સમયે વસ્તુમાં પુદ્ગલોનો ચયાપચય ચાલુ હોવાથી દરેક ક્ષણે વસ્તુના સંસ્થાનમાં = આકારમાં સામાન્યથી થોડો-થોડો ફેરફાર થયા જ કરતો હોય છે. માટે જ પ્રથમ ક્ષણે વસ્તુનો જે આકાર હોય તેના કરતા બીજી ક્ષણે 25 થોડો આકાર બદલાય. તેથી આકારની અપેક્ષાએ દરેક ક્ષણે વસ્તુની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે.) આ વિષયમાં ભાષ્યકારે (વિ.આ.ભા.ગા. ૨૮૦૮ વગેરેમાં) વિસ્તાર કર્યો છે જે ગ્રંથવિસ્તારના ભયથી અહીં કહેવાતો નથી, કારણ કે અમારા આ પ્રયાસ સંક્ષેપરૂપ છે. ૧૮૮૮. અવતરણિકા : પૂર્વે કહ્યું કે નમસ્કાર ત્રણ કારણોમાંથી ઉત્પન્ન થયો છે. તે ત્રણ કારણોને બતાવતા નિયુક્તિકાર કહે છે કે 30 ગાથાર્થ સમુત્થાન, વાચના અને લબ્ધિ આ ત્રણ કારણો પ્રથમ ત્રણ નયો માને છે. ઋજુસૂત્ર
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy