SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૪-૪૫) ૧૫૩ भैणइ-जाहि वुडे ! सो घरे आगओ, सा गया, दिठ्ठो पुव्वागओ, जुवलगं रूवगे य गहाय आगया, सक्कारिओं, बितिओ आपुच्छइ-सब्भावं मम न कहेसि, तेण पुच्छिया, तेहिं जहाभूयं परिकहियं, एगो भणइ-विवत्ती मरणं, एगो भूमीओ उठ्ठिओ सो भूमीए चेव मिलिओ, एवं सोवि दारओ, भणियं च-तज्जाएण य तज्जायं'सिलोगो, गुरुणा भणियं-को मम दोसो?, ण तुमं सम्मं परिणामेसि, एगस्स वेणइगी बुद्धी ॥ अत्थसत्थे-कप्पओ दहिकुंडगउच्छुकलावओ य, एयस्स वेणइगी ॥ 5 શ્લોકને યાદ કરીને એક શિષ્ય બોલ્યો કે “તારો દીકરો મરી ગયો. (આશય એ છે કે નિમિત્તશાસ્ત્રમાં જણાવ્યું છે કે તેમાંથી ઉત્પન્ન થયેલ વસ્તુ તેમાં જ નાશ પામે છે. જેમ કે, માટીમાંથી ઉત્પન્ન થયેલ ઘડો માટી જ બને છે. આમ ઘડો ફૂટ્યો જોઈ તેણે કહ્યું – “તારો દીકરો મરી ગયો.”) બીજા શિષ્ય કહ્યું –“હે વૃદ્ધા ! તું જા, તે ઘરે આવી ગયો છે.” વૃદ્ધા ઘરે ગઈ. પહેલા આવેલા પુત્રને તેણીએ જોયો. તે વૃદ્ધા સ્ત્રી વયુગલ અને રૂપિયા લઈને પાછી આવી અને તે શિષ્યનું સન્માન કર્યું. 10 (ત્યારપછી તે બંને શિષ્યો પોતાના ઉપાધ્યાય પાસે આવ્યા.) તેમાં બીજાએ (અર્થાત્ જેની વાત સાચી પડતી નહોતી તેણે) ઉપાધ્યાયને કહ્યું – “તમે મને સત્ય હકીકતો બરાબર ભણાવી નથી.” ઉપાધ્યાયે પૂછયું – “શા માટે તું આમ કહે છે?” બંને શિષ્યોએ પોતપોતાની વાત રજૂ કરી. એકે કહ્યું – “ઘડો ઢ્યો એટલે મેં મરણની વાત કરી.” બીજાએ કહ્યું – “ઘટો ભૂમિમાંથી (માટીમાંથી) જન્મેલો ભૂમિમાં જ મળી ગયો, એ પ્રમાણે તે પુત્ર પણ માતાને મળી ગયો.” 15 નિમિત્તશાસ્ત્રમાં કહ્યું જ છે કે – “ઝાતેન તન્નોતું.....' ગુરુએ કહ્યું – “આમાં મારો શું દોષ છે. તું બરાબર ભણ્યો નથી.” અહીં એકની વૈનાયિકીબુદ્ધિ જાણવી. ૨. અર્થશાસ્ત્ર=નીતિશાસ્ત્રનું દૃષ્ટાન્ત ઃ (ટીપ્પણીના આધારે આ દષ્ટાન્ત જણાવાય છે.) પાટલિપુત્રનગરમાં નંદ નામના રાજાએ કલ્પકનામના પોતાના મંત્રીને નાના એવા અપરાધમાં કુટુંબ સહિત કુવામાં ઉતાર્યો. ખાવા માટે હલકી જાતિના ભાત અને પાણી આપવા લાગ્યો. વેર લેવાની 20 બુદ્ધિથી જીવવા માટે તે ખોરાક કલ્પક પોતે ખાતો, શેષ કુંટુંબીજનને ખોરાક પૂરતો મળતો નહીં, તેથી જતે દિવસે કુટુંબ મૃત્યુ પામ્યું. - આ બાજુ કલ્પકની બુદ્ધિના બળે રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો. કલ્પકને કૂવામાં નાંખ્યો જાણી આજુબાજુના રાજાઓએ આ નગર ઉપર ઘેરો ઘાલ્યો. તેથી રાજાએ કલ્પકને કૂવામાંથી પુનઃ બહાર કાઢ્યો. બચવાના ઉપાય કરવાની વિનંતી કરી. આથી કલ્પને પોતાના પુરુષોને મોકલીને 25 નદીને સામે પાર રહેલા સમસ્ત શત્રુ પક્ષોને જણાવ્યું કે – અહીંથી નાવડીમાં બેસીને હું આવું, १५. भणति-याहि वृद्धे ! स गृहे आगतः, सा गता, दृष्टः पूर्वागतः, युग्मं रूप्यकांश्च गृहीत्वाऽऽगता, सत्कारितः, द्वितीय आपृच्छति-सद्भावं मह्यं न कथयसि, तेन पृष्टौ, ताभ्याँ यथाभूतं परिकथितं, एको भणति-व्यापत्तिर्मरणं, एको भूमेरुत्थितः स भूमावेव मिलितः, एवं सोऽपि दारकः, भणितं च-'तज्जातेन ૨ તળાત' નોવે, ગુરુ તં- મન તોષ: ?, ર્વ પરિસિ , અસ્થ વૈથિલી 30 વૃદ્ધિઃ | અર્થશા-ન્ય: માનમિક્ષનાશિ, તિર્થ હૈયી | * હે.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy