________________
ઇન્દ્ર મહોત્સવની ઉત્પત્તિ (નિ. ૩૬૧) ૫ तेभ्यो दत्तमिति । पुनर्भरतो देवेन्द्ररूपं भास्वरभाकृतिमद् दृष्ट्वा पृष्टवान्-किं यूयमेवंभूतेन रूपेण देवलोके तिष्ठत उत नेति, देवराज आह-नेति, तत् मानुषैर्द्रष्टुमपि न पार्यते, भास्वरत्वात्, पुनरप्याह भरत:-तस्याकृतिमात्रेणापि अस्माकं कौतुकं, तन्निदर्श्यतां, देवराज आह-त्वमुत्तमपुरुष इतिकृत्वा एकमगावयवं दर्शयामीत्यभिधाय योग्यालङ्कारविभूषितां अङ्गलिमत्यन्तभास्वरामदर्शयत्, दृष्ट्वा च तां भरतोऽतीव मुमुदे, शक्रालि स्थापयित्वा महिमामष्टाहिकां चक्रे, ततःप्रभृति शक्रोत्सवप्रवृत्त 5 इति । भरतश्च श्रावकानाहूय उक्तवान्-भवद्भिः प्रतिदिनं मदीयं भोक्तव्यं, कृष्यादि च न कार्य, स्वाध्यायादिपरैरासितव्यं, भुक्ते च मदीयगृहद्वारासन्नव्यवस्थितैः वक्तव्यम्-जितो भवान् वर्धते भयं तस्मान्मा हन मा हनेति, ते तथैव कृतवन्तः, भरतश्च रतिसागरावगाढत्वात् प्रमत्तत्वात् तच्छब्दाकर्णनोत्तरकालमेव केनाहं जित इति, आः ज्ञातं-कषायैः, तेभ्य एव च वर्धते भयमित्यालोचनापूर्वं संवेगं यातवान् इति । अत्रान्तरे लोकबाहुल्यात् सूपकाराः पाकं कर्तुमशक्नुवन्तो 10 भरताय निवेदितवन्तः-नेह ज्ञायते-कः श्रावकः को वा नेति, लोकस्य प्रचुरत्वात्, आह भरतःपृच्छापूर्वकं देयमिति । ततस्तान् पृष्टवन्तस्ते-को भवान् ?, श्रावकः, श्रावकाणां कति व्रतानि ?
છે.” તેથી તેઓની અન્નપાનદ્વારા ભક્તિ કરી. ફરી પાછું (સુંદર) આકૃતિવાળા અને ભાસ્વર, (તેજસ્વી) એવા ઇન્દ્રના રૂપને જોઈ ભરતે ઇન્દ્રને પૂછ્યું- શું તમે આવા રૂપથી જ દેવલોકમાં રહો છો કે અન્ય કોઈ રૂપથી ?” ઇન્દ્ર કહ્યું, “ના, દેવલોકમાં અમે જે સ્વરૂપે રહીએ છીએ 15 તે સ્વરૂપને અત્યંત દેદિપ્યમાન હોવાથી મનુષ્યો જોવા માટે પણ સમર્થ નથી.
ફરી ભરતે કહ્યું, “અરે ! તેની આકૃતિ (આકાર) માત્રનું પણ અમને કુતૂહલ છે. તેથી તેની આકૃતિને દેખાડો.” ઇન્દ્ર કહ્યું- “તમે ઉત્તમપુરુષ હોવાથી એક અવયવને હું દેખાડું છું.” એમ કહી યોગ્ય–અલંકારોથી વિભૂષિત અત્યંત તેજસ્વી એવી આંગળીને દેખાડી. તે આંગળીને જોઈ ભરત અત્યંત આનંદિત થયો અને શક્રની આંગળીની સ્થાપના કરીને અષ્ટાલિકા મહોત્સવ 20 કર્યો. ત્યારથી લઈ ઈન્દ્રમહોત્સવ શરૂ થયો.
ભરતે શ્રાવકોને બોલાવી કહ્યું, “તમારે મારું જ ભોજન જમવાનું અને કૃષિ વગેરે કાર્યો કરવા નહિ, સ્વાધ્યાયાદિમાં લીન રહેવું, જમ્યા પછી મારા ઘરના દ્વાર નજીક રહી કહેવું, “તમે જિતાયેલા છો, ભય વધે છે, તેથી હણો નહિ, હણો નહિ.” તે શ્રાવકોએ તે જ રીતે કર્યું. જ્યારે શ્રાવકો પ્રતિદિન આ રીતે શબ્દ ઉચ્ચારણ કરે છે ત્યારે ભરત પોતે સુખસાગરમાં ડૂબેલો અને પ્રમત્ત હોવાથી શબ્દો સાંભળ્યા પછી વિચારે છે કે “હું કોના વડે જિતાયેલો છું? હા, જણાયું– 25 “કષાયોવડે હું જિતાયેલો છું, તે કષાયોથી જ મને ભય વધે છે.”
આ રીતે વિચારતા–વિચારતા ભરત વૈરાગ્ય પામતો હતો. આ બાજુ શ્રાવકો સિવાય અન્ય લોક પણ જમવા આવતો હોવાથી રસોઈ બનાવવામાં અસમર્થ રસોઈયાઓએ ભરતને નિવેદન કર્યું કે “અહીં કોણ શ્રાવક છે ને કોણ નથી ? તે જણાતું નથી, કારણ કે ઘણાં બધાં લોકો છે. ભરતે સમાધાન આપ્યું, “પૃચ્છાપૂર્વક આપો.” તેથી રસોઈયાઓ શ્રાવકોને પૂછતાં 30
३४. इमनलावितिपुंस्त्वत्तौ औणादिक इमनि रूपं, बाहुल्याद् अनुक्तान्महेः, तथा च हजनिभ्यामिमन्निति सूत्रेणेमन्, दीर्घादिस्त्वप्रस्तुत एव. +०मात्रेऽपि.