SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २६३ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् - દક્તિ इति उद्गता = उत्कृष्टा आरा = छाया यस्य तदुद्गतारमुदारं प्रधानमित्यर्थः तीर्थङ्कर-गणधरशरीराङ्गीकरणादेवमुच्यते, नहि तीर्थंकरादिशरीरेभ्योऽन्यत् प्रधानतरमस्ति त्रिलोक्यां शरीरमिति। अथवा उत्कटारमुदारम् (इति) उत्कृष्टा आरा = मर्यादा = प्रमाणं यस्य तदुत्कटारमुदारम्, अवस्थितसातिरेकयोजनसहस्रप्रमाणत्वात्, अन्यच्चैवंविधं नास्ति ।। ननु वैक्रियमधिका योजनलक्षेति, सत्यमेवमेतद्→ अवस्थितं तन्न भवति, पञ्चधनुः शतप्रमाणमेवावस्थितं वैक्रियम्, औदारिकं पुनरवस्थितमेवमुच्यते । उद्गम एव वा उदारः (इति), उद्गमन = उद्गमः = प्रादुर्भावः स एव चोदारशब्देनोच्यते । यत उपादानात् प्रभृतीत्यादि (भाष्यम्)। उपादानं हि शुक्र-शोणिताद्यौदारिकस्य तद्ग्रहणप्रभृत्येव चानुसमयमुद्गच्छति अविभज्यमानस्वरूपः कालविशेषः समयोऽभिधीयते, अतः प्रतिसमयमेव - હેમગિરા - એ પદ છે અને બીજી અલગ અલગ વ્યુત્પત્તિ પણ ભાષ્યમાં દેખાડાઈ છે) તેનું વિવરણ કરાય છે – (૧) ઉગતાર – ઉદ્દગત એટલે ઉત્કૃષ્ટ અને આરા એટલે છાયા. ઉત્કૃષ્ટ છાયા છે જેની તે ઉતાર (= ઉત્કૃષ્ટ કાંતિવાળું) કહેવાય છે. તેને જ ઉદાર અર્થાત્ પ્રધાન કહેવાય છે. ઉદારનો આવો અર્થ તીર્થકર, ગણધર આદિના શરીરની અપેક્ષાએ કહેવાય છે કારણકે ત્રણે લોકમાં તીર્થકર વગેરેના શરીરો કરતાં અન્ય કોઈ શરીર વધુ પ્રધાન (= અદ્દભૂત કાંતિવાળું) નથી હોતું. (૨) ઉત્કટાર - ઉત્કટ એટલે ઉત્કૃષ્ટ અને આરા એટલે મર્યાદા = પ્રમાણ. ઉત્કૃષ્ટ પ્રમાણ છે જેનું તે ઉત્કટાર, તેને જ ઉદાર કહેવાય કારણકે ઉત્કૃષ્ટથી ઔદારિક શરીરનું અવસ્થિત (= લબ્ધિજન્ય શરીરીની જેમ અમુક સમય પૂરતું નહિ પણ કાયમી) પ્રમાણ કાંઈક અધિક ૧ હજાર યોજન હોય છે. બીજા કોઈ શરીરો અવસ્થિત રૂપે આવા પ્રકારના આટલા મોટા નથી હોતા. પ્રશ્ન : જે વૈકિય શરીર છે તેની મર્યાદા સાધિક ૧ લાખ યોજન હોય છે, આથી આ ઔદારિક શરીર કરતાં ઘણું મોટું છે ને ? ઉત્તર : આપના કહેવા પ્રમાણે આ વાત સાચી જ છે પરંતુ તે વૈક્રિય શરીર અવસ્થિત નથી, અવસ્થિત વૈક્રિય શરીર તો વધુમાં વધુ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ જ હોય છે. જ્યારે અવસ્થિત ઔદારિક શરીર આ પ્રમાણે (હજાર યોજન) પ્રમાણવાળું કહેવાય છે. (૩). ઉગમ – ઉદ્દગમન એટલે ઉગમ અર્થાત્ પ્રગટ થવું = ઉત્પન્ન થવું અને તે ઉદ્ગમ જ ઉદાર શબ્દથી કહેવાય છે. હવે ઉદારનો અર્થ ઉગમ કેમ ક્ય? તેના કારણને બતાવનાર “પતિનાત્ પ્રકૃતિ' ઇત્યાદિ ભાષ્ય છે. તેનો અર્થ આ પ્રમાણે – શુક અને લોહી આદિ એ ઔદારિકનું ઉપાદાન કારણ છે અને તે (શુક્ર અને લોહી આદિ)ના ગ્રહણથી માંડીને પ્રતિ સમય નવી નવી અવસ્થાને શરીર પ્રાપ્ત કરે છે (આથી ઔદારિક શરીર ઉદાર કહેવાય છે).
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy