SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् → ગન્ધતિ - -> मुत्तरोत्तरविशुद्धमपहाय किं कारणं कालिक्यादौ व्यवस्थापितेत्येवमाक्षिप्तेऽभिहितमुत्तरं ( हारिभद्रीये) "" संज्ञय संज्ञीति सर्वत्र श्रुते कालिक्याः संज्ञायाः प्रायः संव्यवहारः क्रियते, अतः क्रमविशुद्धिमनादृत्य सूत्रमुपनिबद्धम्” अतस्तां कालिकीं संज्ञामधिकृत्य भाष्यकृद् व्याख्यानयति → सम्प्रधारणसंज्ञायां ये वर्तन्ते जीवास्ते समनस्का भवन्ति । सम्प्रधारणम् = आलोचनं, येन सुदीर्घमपि कालमनुस्मरति भूतमागामिनं चानुचिन्तयति कथं नु कर्तव्यं किं वा तत्रानुष्ठेयम्, अतः एव दीर्घकालिकीत्युक्ताऽऽगमे, पूर्वपदलोपात् । तच्च सम्प्रधारणमेवरूपं कस्य सम्भवति ? योऽनन्तानन्तान् मनोयोग्यान् स्कन्धान् आदाय मन्यते `तल्लब्धिसम्पन्नो मनोविज्ञानावरणक्षयोपशमादिसमेतः, यथा च रूपोपलब्धिश्चक्षुष्मतः प्रदीपादिप्रकाशपृष्ठेन तद्वत् क्षयोपशमलब्धिमतो मनोद्रव्यप्रकाशपृष्ठेन मनःषष्ठैरिन्द्रियैरर्थोपलब्धिः, यथा वाऽહેમગિરા – સંપ્રધારણ સંજ્ઞાના નામે) કાલિકી જ ગ્રહણ કરાય છે, ઈતર બે ગ્રહણ કરાતી નથી. શ્રી નંદીસૂત્રમાં આ અંગેના સૂત્રની હારિભદ્રીય વ્યાખ્યામાં આ નિરૂપણ કરાયું છે કે : પ્રશ્ન : ‘હેતુવાદોપદેશિકી, કાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી’ એમ વધતી વિશુદ્ધિને આશ્રિત સંજ્ઞાના ક્રમને છોડી દઈ શા માટે કાલિકી સંજ્ઞા આદિમાં કહેવાઈ છે ? १४१ ઉત્તર : ‘સંજ્ઞી અને અસંજ્ઞી એવો શબ્દવ્યવહાર શ્રુતમાં સર્વ ઠેકાણે પ્રાયઃ કાલિકી સંજ્ઞા થકી કરાય છે. માટે ક્રમશઃ થતી વિશુદ્ધિને ધ્યાનમાં લીધા વિના સૂત્રની રચના કરાઈ છે.’ આ પ્રમાણે હોવાથી તે કાલિકી સંજ્ઞાને આશ્રયી ભાષ્યકારશ્રી વ્યાખ્યા કરે છે કે ‘સંપ્રધારણ સંજ્ઞા’માં જે જીવો વર્તે છે, તેઓ સમનસ્ક હોય છે. સંપ્રધારણ એટલે આલોચન, જેના વડે જીવ લાંબા કાળ સુધી પણ ભૂતકાળનું અનુસ્મરણ કરે છે અને દીર્ઘ એવા આગામી કાળનું અનુચિંતન કરે છે, તે આ મુજબ કે આ કાર્ય કઈ રીતે કરવું ? અથવા ત્યાં શું આચરવા લાયક છે ? આથી જ સંપ્રધારણ સંજ્ઞા આગમમાં દીર્ઘકાલિકી એવા નામે કહેવાયેલી છે. ‘સત્યભામા’ના બદલે પૂર્વપદનો લોપ કરી જેમ ‘ભામા’ કહેવાય તેમ પૂર્વપદનો લોપ કરવાથી દીર્ઘ કાલિકીના બદલે ‘કાલિકી’ આ પ્રમાણે પણ કહેવાય છે. * મનવાળાને જ સંપ્રધારણ સંજ્ઞા સંભવે - - પ્રશ્ન ઃ તે આવા પ્રકારનું સંપ્રધારણ કોને સંભવે છે ? ઉત્તર : ભૂતકાળ અને ભવિષ્યકાળને વિચારવાની લબ્ધિથી સંપન્ન અર્થાત્ મનોવિજ્ઞાનને આચ્છાદન કરનાર કર્મના ક્ષયોપશમાદિથી યુક્ત એવો જે (જીવ) અનંતાનંત મનોયોગ્ય પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરીને વિચારે છે તેમને આવા પ્રકારનું સંપ્રધારણ સંભવે છે. (તે આ મુજબ) જે ૬. સંજ્ઞાસંગીતિ - હું. માં.। ર્. મન્યતે, લબ્ધિ । રૂ. સમેત ..। ૪ તથા ૨ - YT|
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy