SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ गन्धहस्त सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९ भावित्वात्। आकार परिज्ञानाच्च प्रागालोचनमवश्यमभ्युपेयम्, अन्यथा प्रथमत एव पश्यतः किमपीदमिति कुतोऽव्यक्तबोधनं स्यात् ? यदि चालोचनमन्तरेणाकारपरिज्ञानमुत्पातत' एव पुंसः स्यात् तथा सत्येकसमयमात्रेण स्तम्भ - कुम्भादीन् 'विशिष्य गृह्णीयात्, न च तथोपलभ्यते, अपि च समयमपि स गृह्णीयात् ? न च केवलिनमन्तरेण समयग्रहणमस्ति । अपरे वर्णयन्ति → वर्तमानकालविषयं तु सदर्थग्रहणं दर्शनम्, त्रिकालविषयं साकारं ज्ञानमिति । एतदपि वार्तम् → वर्तमानस्य परमनिरुद्धसमयरूपत्वाद् विवेचनाभावः, तस्माच्छद्मस्थानामनाकाराद्धाऽल्पत्वादेवाव्यक्ता, साकाराद्धा' चान्तर्मुहूर्तिकी व्यक्ता भवति, न चान्तर्मुहूर्तादुपर्येकत्रावधानमस्ति 'वस्तुनि, स्वप्रत्यक्षमेतत्, अनाकाराद्धा साकाराद्धा द्वयपरावृत्तिश्च प्राणिनां स्वभावादुपजायमाना स्वसंवेद्या હેમગિરા – ७० - (અથવા લોકપ્રકારાગત પાઠાંતરની અપેક્ષાએ પર્યાયની અપેક્ષાએ ભાવ (= પદાર્થ)નો વિશેષ નિર્દેશ તે આકાર) અને તે (આકાર) દર્શન બાદ તરત જ થાય છે. કારણ કે આ સાકાર ઉપયોગનો સ્થિતિકાળ અંતર્મુહૂર્ત હોય છે. (એક વસ્તુનો સાકારોપયોગ છદ્મસ્થને વધુમાં વધુ અંતર્મુહૂર્ત હોય.) વળી આકારસ્વરૂપ વિશેષ જ્ઞાનની પહેલા દર્શન અવશ્ય સ્વીકારવું જોઈએ, જો ન સ્વીકારીએ તો શરૂઆતમાં જ જોનારને ‘આ કાંઈક પણ છે’ એવો (સામાન્ય) અવ્યક્તબોધ કયાંથી થાય ? અને જો ઉત્પાતથી (= આરંભથી) જ દર્શન વિના માણસને આકાર સ્વરૂપ વિશેષ જ્ઞાન થાય તો તે રીતે થતાં પુરુષ એક સમયમાં જ સ્તંભ, કુંભાદિઓને વિશેષિત કરીને ગ્રહણ કરે, પણ તે રીતે તો ગ્રહણ થતું જોવાતું નથી, અને બીજું એ કે ઉપરોક્ત (દર્શન વિના વિશેષ જ્ઞાન થાય એ) વાત માનીએ તો તે પુરુષ સમયને પણ ગ્રહણ કરી શકે એવું માનવું પડશે, પરંતુ તે તો શક્ય નથી કેમકે સમયનું જ્ઞાન કેવળી વિના (કોઈ છદ્મસ્થને) થઈ શકતું નથી. બીજાઓ એમ કહે છે કે વર્તમાનકાળના વિષયવાળું સત્ (= વિદ્યમાન) અર્થનું ગ્રહણ તે દર્શન (= અનાકાર) કહેવાય તથા ત્રણે કાળના વિષયવાળું અને આકાર સહિતનું (= સાકાર) તે જ્ઞાન કહેવાય. (અહીં ઉત્તર આ પ્રમાણે છે -) આ પણ વાત (જ) છે (વાસ્તવિકતા નહીં) કારણ કે વર્તમાન એ પરમનિરુદ્ધ અર્થાત્ અત્યંત સૂક્ષ્મ સમયરૂપ હોવાથી તેમાં થનારા બોધનું વિવેચન ન થઈ શકે. તેથી નિષ્કર્ષ એ થયો કે છાદ્યસ્થિકોનો અનાકાર ઉપયોગકાળ અવ્યક્ત હોય છે કેમકે તે અત્યંત અલ્પ જ છે અને સાકાર (જ્ઞાન)નો કાળ વ્યક્ત રૂપે હોય છે કેમકે તે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. વળી (એ વાત ધ્યાનમાં લેવી કે) એક વસ્તુ વિષયક અવધાન (= ઉપયોગ) એ અંતર્મુહૂર્તથી વધુ ન હોઈ શકે એ (આપણને સહુને) પ્રત્યક્ષ છે. અનાકાર ઉપયોગ અને સાકારોપયોગનો કાળ અને આ બંનેની પરાવૃત્તિ (= ક્રમથી પરાવર્તન) એ જીવમાત્રને સ્વભાવથી ૧. પાવત મુ. સં. (માં.)। ર. વિશે॰ તું. માં.। રૂ. વિ સક્રૢળી॰ મુ. (i.)। ૪. °વયં સવર્થ॰ - હ્યું. । ૧. વાદ્વાડઽધિવાખ્યાન્ત॰ મુ. (તું. માં.)। ૬. વસ્તુનિ પ્રત્યક્ષ॰ પ્રા. મુ. (ä.)।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy