SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ संबंधकारिका-टीकालङ्कृतम् • નૃસુરે૫ર્ચત્તરપામવવનમ્ • इति तत्प्राधान्यप्रतीतेरितरसुखस्याप्यसुखत्वमुपदिष्टं स्यात्, तन्मात्राभिष्वङ्गपरिहारार्थम्, इत्थं सर्वत्र प्रिय-हितनिश्चयसिद्धेः → (जाइ मरणाओ मुच्चइ इत्थत्थं च चयइ सव्वसो) “सिद्धे वा भवति सासए, देवे वा अप्परए महिड्ढिए"।। (दशवैकालिक-९/४/७) (सओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगयाजसंसिणो) “उउप्पसन्ने विमलेव चंदिमा, सिद्धं विमाणाणि वयंति ताइणो"।। (दशवैकालिक-६/६९) “दुक्कराइं करित्ताणं, दुस्सहाई सहित्तु य। के इत्थ देवलोएसु, केवि सिझंति नीरया" ।। (दशवैकालिक-३/१४) इत्यादि । नृ-सुरैश्वर्यनिःश्रेयसविषयाणां सर्ववाक्यानां - હેમગિરા – આશંસાનો કોઈ દોષ નથી. અહીં મોક્ષ સુખની જ પ્રધાનતા હોવાથી ઈતર દેવાદિ સુખો તો ખરેખર “અસુખ' જ છે. એ પ્રમાણેનો ઉપદેશ અથપત્તિથી આવી જાય છે. & ધર્મનું ગૌણ ફલ જાણીએ * જો કે મુખ્ય ફળ. મોક્ષ છતાં અર્થપત્તિથી થતો (દવાદિ ગૌણસુખો અંગેનો) ઉપદેશ (કારિકામાં) એ જણાવવા માટે કરવો પડ્યો છે કે શેષ કર્મના લીધે જયાં સુધી પરમાર્થનો લાભ ન થાય ત્યાં સુધી આ દેવાદિ સુખો જીવને પુણ્યના ફળ રૂપે મળે તેમાં કોઈ બાધ નથી. પરંતુ આ પ્રસંગે મળતા સુખોમાં જીવોને અનુરાગ ન થાઓ, માટે તે અનુરાગનો પરિહાર કરવા રત્નત્રયીના ફળ તરીકે મોક્ષનો ઉપદેશ કર્યો છે. સર્વત્ર (સિદ્ધાંતોમાં) પ્રિય એવા મોક્ષ અને તેમાં હિતકારી તેવા પ્રાસંગિક સુખો નિશ્ચયથી સિદ્ધ છે. કારણ કે દશવૈકાલિકાદિ ગ્રંથોમાં પણ મુખ્ય ફળ અને ગૌણ ફળની ઉપપત્તિ દેખાડી છે. તે આ પ્રમાણે }} “સમાધિવાળો સાધુ જન્મ-મરણથી મુક્ત થાય છે. અને નરક-તિર્યંચાદિના દેહને નહીં ગ્રહણ કરવા રૂપે ત્યાગ કરે છે. અને સંસારમાં ફરી નહીં આવવા રૂપ શાશ્વત સિદ્ધગતિ મેળવે છે. કદાચ કોઈ કર્મો બાકી રહી જાય તો અલ્પ કામવિકારવાળો મહદ્ધિક દેવ બને છે.” (દશવૈ.અ.૯.ઉદેશ-૪/ગાથા-૯) “નિરન્તર ઉપશાન્ત, મમતારહિત, આ લોક કે પરલોકમાં ઉપકારિણી વિદ્યા સહિત, યશસ્વી, શરદઋતુના જળની માફક નિર્મળ અને ભાવમળથી રહિત સાધુઓ મોક્ષે જાય છે. જો કર્મશેષ રહ્યા હોય તો દેવલોકમાં જાય છે. (દશર્વ.અ.૬ ગાથા-૬૯) દુષ્કર એવા તપ-ત્યાગને કરીને અને દુઃસહ્ય એવા પરિષદ ઉપસર્ગો સહન કરીને કેટલાક દેવલોક જાય અને કેટલાક કર્મરાશિને સર્વથા દૂર કરી મોક્ષે જાય છે. (દશ.વૈ.અ.૩ ગાથા ૧૪) ઈત્યાદિ આગમના સાક્ષીપાઠોથી માનવ સંબંધી કે દેવ સંબંધી ઐશ્વર્ય તેમજ મોક્ષસુખ સંબંધી સર્વ વાક્યોની સિદ્ધિ થાય છે. તે સ્પષ્ટ જ છે. * મોક્ષમાર્ગ હતાશા જનક નહિં બને ? વળી આ મોક્ષમાર્ગનું વાક્ય એ પૂર્વપક્ષીએ કહ્યા મુજબના પ્રશ્વાસ (ફક્ત આશ્વાસન રૂપ) વાક્ય જેવું નથી. કારણ કે જેમ મુસાફરીમાં જનારાના કાળ અને માર્ગનું પરિમાણ (માપ) તથા १. प्रधानफलापेक्षया सम्यग्दर्शनादिनां मोक्षफलकत्वमवसेयम्, 'व्यपदेशाः प्रधानपरा भवन्तीति न्यायात्' अनुषङ्गतोऽभ्युदयसाधकत्वमप्यनपायम्। २. सिद्धिः पा.भा.खं.। ३. स देवगंधब्बमणुस्सपुइए, चइत्तु देहं मलपंकपुवयं । सिद्धे वा हवइ સાસ, વે વા, કપૂર, દિપિ ત્તિ વેfમ | (૩૨Tષ્યયન-૭/૪૮).
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy