SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ संबंधकारिका-टीकालङ्कृतम् • मोक्षसुखस्य वैशिष्ट्यविद्योतनम् • मिति निराबाधम्, आत्मतादात्म्याविर्भावान्मनोज्ञविषयसंसर्गायत्ता नोत्पत्तिरस्येति स्वाधीनमिति। . तच्चैतच्चैतन्य-वीर्य-प्रशमादिगुणतत्त्वस्यात्मनः संसर्गप्रतिबन्धोपरागविगमात् पुनर्भवप्रबन्धोच्छेदात् दुःखानामत्यन्तनिवृत्तेः ज्ञानादिस्वतत्त्वावस्थाननिःश्रेयसावाप्तेरधिगम्यत इति तत्साधनशासनमुख्यप्रयोजनः कृत्स्न उपदेशः परमर्षेः, तदनुषङ्गतः शेषव्याख्यनात्, अतश्च मुख्यपुरुषार्थसाधन-साध्याव्यभिचारशासनाच्छास्त्रमेतत्, विषयर्द्धिसंयोगसमुत्थस्य तु सुखस्यात्यन्तिकादिविपरीतविशेषणानुगतत्वात् दुःखोत्तरत्वात् दुःखप्रतिकारमात्रत्वाच्च, तदर्थं शास्त्रमशास्त्रं स्यात्, तदुपायोपदेशविधिमन्तरेणापि तत्सिद्ध्युपपत्तेश्चेति, अभ्युदयप्राप्त्युत्सवफलो धर्मः प्रतिषेध्यपक्षक्षिप्तः प्रतिमन्तव्यः, अर्थ-कामौ च, यस्माच्चैते दुःखाभावार्थिनां नात्यन्ताभावहेतवः तस्मादभ्युदयफलधर्मार्थ-कामोपदेशो न हितोपदेश इति सर्वेणापि तदर्थः प्रयासो - હેમગિરા – (૯) નિરાબાધ : જેનું કોઈ પ્રતિસ્પર્ધી સુખ નથી તેવું. (૭) સ્વાધીન :- આત્માના તાદાત્મ ભાવે ઉત્પન્ન થયેલું હોવાથી, કોઈપણ બાહ્ય મનોજ્ઞ વિષયોનાં સંસર્ગની આધીનતા જેમા નથી તેવું સુખ. ચૈતન્ય, વીર્ય અને પ્રશમાદિ ગુણ તત્ત્વના ભંડાર એવા આ આત્માને આ સુખ કઈ રીતે પ્રાપ્ત થાય તે કહે છે. (૧) વિભિન્ન વિષયોના સંસર્ગથી પેદા થયેલ આસક્તિ સ્વરૂપ ઉપરાગ (મેલ)નો વિનાશ થવાથી (૨) પુનર્ભવના નિર્માણનો અર્થાત્ ભવ પરમ્પરાનો ઉચ્છેદ થવાથી . (૩) દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થવાથી અને (૪) જ્ઞાન-દર્શનાદિ આત્મ સ્વરૂપમાં અવસ્થિતિવાળો મોક્ષ મળવાથી આ જીવને ઉપરોક્ત સાત વિશેષતાઓથી યુક્ત એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પરમ મહર્ષિઓનો સમગ્ર ઉપદેશ આ શાશ્વત સુખના સાધનો (ઉપાયો)ને કહેવાના મુખ્ય પ્રયોજનવાળો હોય છે. * ...તો શાસ્ત્રોપદેશ નિરર્થક છે પ્રસંગે કરાતાં અન્ય પદાર્થોનાં વ્યાખ્યાનો પણ પરમર્ષિઓ આ મોક્ષના સાધનોને અનુલક્ષીને જ કરતા હોય છે. મોક્ષ પુરુષાર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ સાધન છે. આ સાધનોથી સાધ્ય મોક્ષ છે. આ સાધ્ય-સાધનનું પ્રસ્તુત ગ્રંથમાં અવ્યભિચારપણે અનુશાસન કરેલ હોવાથી આ ગ્રંથ એ (શાસનાન્િ શાસ્ત્ર એ વ્યુત્પત્તિથી) શાસ્ત્રરૂપ છે. સ્પર્ધાદિ વિષયોની ઋદ્ધિના સંયોગથી ઉત્પન્ન થયેલ સુખ તો આત્યંતિક, એકાંતિક આદિ વિશેષણથી વિપરીત એવા ક્ષણિક અને અનૈકાંતિક આદિ વિશેષતાવાળુ હોવાથી તથા પરિણામે દુઃખદાયી હોવાથી, તથા દુઃખના પ્રતિકાર (બચાવ, રૂપ હોવાથી તેવા ભૌતિક સુખ માટે રચાતું શાસ્ત્ર તો ખરેખર નિરર્થક (અશાસ્ત્રી જ છે. કારણ કે આ સુખોના ઉપાયોની ઉપલબ્ધિ તો ઉપદેશ કર્યા વિના (અનાદિ કાલીન-સંસ્કારથી) પણ સંભવિત છે. આશય એ છે કે (મોક્ષાર્થી માટે) માત્ર ભૌતિક ક્ષેત્રે અભ્યદયરૂપ સુખ સાહેબીની પ્રાપ્તિ કરાવનાર (કામ્યકર્મસંપાદનરુપ) ધર્મ પ્રતિષેધ્યપક્ષ અંતર્ગત જાણવો તથા અર્થ, કામ પણ નિષિદ્ધ છે. કારણ કે દુઃખના અત્યંતાભાવ
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy