________________
૫૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે ઉપરોક્ત. જ્ઞાનભંડારો - સંસ્થાઓ અને સંઘોમાંથી પરાર્થવ્યસની આચાર્ય-સાધુભગવંતોની ઉદારતાથી અને જિનશાસનનારાગી, ખંતીલા સુશ્રાવકોના પ્રયત્ન જે તાડપત્રની અને કાગળની હસ્તપ્રતીઓ આ કાર્ય માટે પ્રાપ્ત થઈ છે, ખરેખર એ બધાં સહયોગીઓના અમે અત્યંત ઋણી છીએ.
શ્રી આગમપ્રભાકર પ્રવર્તકપ્રવરશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા સંગૃહિત શ્રી નાકોડા પાર્શ્વનાથ તીર્થ (વાનગર) નાકોડા ટ્રસ્ટ સંચાલિત ઝેરોક્ષ-હસ્તપ્રત-જ્ઞાનભંડારમાં આ કાર્ય અંગે જોઈતી હસ્તપ્રતાદિનો ઉપયોગ ત્યાં રહીને કરવાની જે રજા આપી તે પણ અહિ અવશ્ય સ્મર્તવ્ય છે.
૨૦. સંપાદન અંગે કેટલાક સૂચન ૧. ભાષ્યના પદોના અર્થને જણાવવા ટીકામાં લખાતા સમાનાર્થક નામોની પેલા = આવું ચિહ્ન મુકયું છે. ૨. ટીકામાં આવતા ભાષ્યના પાઠોને બોલ્ડ = જાડા કર્યા છે.
૩. ટીકામાં આવતા અન્ય ગ્રંથોના ઉદ્ધરણો, વિશિષ્ટ વ્યક્તિ-નગરાદિ વાચક નામો તથા શાસ્ત્રીય કે લૌકિક ન્યાય, વ્યાકરણના સૂત્રો તથા પૂર્વપક્ષ ઉત્તરપક્ષનો ખ્યાલ આવે એટલે “નનુ, ના' વગેરે ને પણ બોલ્ડ = જાડા કર્યા છે.
૪. ટીકામાં ચાલતા વિષયો દરેક પાનામાં ઉપર સંસ્કૃતમાં ટાંક્યા છે. અનુવાદમાં ચાલતા વિષયોના મથાળે શીર્ષકો આપ્યા છે.
૫. ટીકામાં આવતાં અન્ય ગ્રન્થોના ઉધૂત ગાથાંશો | પાઠશોને તે ગ્રન્થના નામ સાથે સંપૂર્ણ ગાથા/પાઠ ટિપ્પણિમાં આપવા યથા શક્ય પ્રયાસ કર્યો છે. તેમજ સ્મૃતિમાં આવતાં ટીકાના વિષયને અનુગત એવા અન્ય ગ્રંથોનાં સંવાદિ વચનો પણ ટિપ્પણિમાં આપવા પ્રયત્ન કર્યો છે.
. કેટલાક પૂર્વ મુદ્રિત અશુદ્ધ જણાતા પાઠો નીચે ટિપ્પણીમાં આપ્યા છે એ પાઠોની આગળ મુ” એવી સંજ્ઞા મૂકેલી છે અને જે શુદ્ધ પાઠ, ઉપર ટીકામાં, જે હસ્તપ્રતમાંથી મૂક્યો છે તેનો નિર્દેશ મુ' સંજ્ઞાની બાજુમાં ( ) આવા અર્ધવર્તુલ આકારવાળા કૌંસમાં કર્યો છે.
૭. પરિશિષ્ટમાં આપેલી ટિપ્પણીઓની પ્રસ્તુત ગ્રંથમાં જે સ્થાને તુલના કરવાની છે તે સ્થાનોમાં ત્યાં “T' મુક્યું છે અને નીચે ટિપ્પણીમાં તે 1 ની બાજુમાં “૧' આદિ અંક દ્વારા પરિશિષ્ટ નં. અને ટિપ્પણી નં. જણાવેલ છે, તે મુજબ તુલના કરવી.
૮. જે પાઠાંતરી નીચે ટિપ્પણીમાં આપેલ છે તેની હસ્તપ્રતનો નિર્દેશ - “માં, વં' વગેરે સંજ્ઞાથી ત્યાં જ કર્યો છે. * ૯. ત્રુટિત પાઠોની જ્યાં પૂર્તિ કરી છે ત્યાં પાઠની આગળ અને પાછળ ન આવા ત્રિકોણ - ચિહ્ન મુક્યા છે. અને એ પૂર્તિ જે હસ્ત પ્રતમાંથી કરી છે તે પ્રતિનો નિર્દેશ નીચે ટિપ્પણીમાં ( ) આવા અર્ધવર્તુલ આકારવાળા કૌંસમાં કર્યો છે.
૨૧. ૯ પરિશિષ્ટોની સમજ અહિ તત્ત્વાર્થસૂત્ર સાથે સંલગ્ન એવી વિવિધ ઉપયોગી સંદર્ભ સામગ્રીનું સંકલન કરીને પ્રસ્તુત સમ્પાદનમાં ૯ પરિશિષ્ટો જોડવામાં આવ્યા છે. ૧. પ્રથમ પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રનો સ્વાધ્યાય તથા હેમગિરાની અનુપ્રેક્ષા આપવામાં આવી છે.