________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા
૧૫. શ્રી સિદ્ધસેનગણિ વિરચિત ટીકા
શ્વેતામ્બર પરંપરામાં જુદા જુદા સમયે “સિદ્ધસેન” નામ ધારી ઘણા આચાર્ય ભગવંતો થઈ ગયા છે. ૧. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી વી.સં. ૮૦૦ના ઉત્તરાર્ધમાં. ૨. વાચકશ્રી સિદ્ધસેનજી વી૨. સં. ૯૦૦ના પૂર્વાર્ધમાં. ૩. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી સિદ્ધસેન ક્ષમાશ્રમણ વી૨. સં. -૧૦૦૦ના ઉત્તરાર્ધમાં. ૪. શ્રી ભાસ્વામિજીના શિષ્ય શ્રી સિદ્ધસેન ગણિજી મહારાજ વી૨. સં. ૧૨૦૦ના ઉત્તરાર્ધમાં. ૫. શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરુશ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ વી૨. સં. ૧૨૦૦ના ઉત્તરાર્ધમાં. ૬. શ્રી સિદ્ધર્ષિ ગણિજી મહારાજ વીર. સં. ૧૪૦૦ના ઉત્તરાર્ધમાં. ૭. શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ વી૨. સં. ૧૭૦૦ના પૂર્વાર્ધમાં.
-
૪૧
ભાષ્યાનુસારી આ ટીકાના કર્તા શ્રી સિદ્ધસેન ગણિવર્ય છે. આ ટીકાના અંતમાં લખેલી એમની પ્રશસ્તિના અવલોકનથી તેમના જીવનનો આંશિક પરિચય થાય છે, તે આ પ્રમાણે - શ્રી દિન્નગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી સિંહસૂરિજી મહારાજ. તેમના શિષ્ય શ્રી ભાસ્વામિજી મહારાજ / તેમના શિષ્ય પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજ હતા. શ્રી મલ્લવાદિસૂરિજી મૃત દ્વાદશારનયચક્ર ગ્રંથના ટીકાકાર શ્રી સિંહસૂરિજી મહારાજ જ શ્રી સિદ્ધસેનગણિજીના પ્રગુરુ હતા એવો વૃદ્ધવાદ છે. તથા આમ રાજા પ્રતિબોધક આચાર્યશ્રી બપ્પભટ્ટસુરિજી મહારાજના ગુરુ પ્રસ્તુત ટીકાકારશ્રી સિદ્ધસેન ગણિજી મહારાજ જ છે એવું વિદ્વાનોનું માનવું છે એથી આ સિદ્ધસેન નામ ધારી આચાર્યોમાંથી ૪-૫ નંબરે રહેલા શ્રી સિદ્ધસેન ગણિ અને સિદ્ધસેનસૂરિજી એક જ છે એવું અનુમાન થાય છે. કારણ કે જ્યારે પ્રસ્તુત ટીકાની રચના થઈ હશે ત્યારે સિદ્ધસેન મહારાજ ગણિ હશે અને ત્યાર પછી આચાર્ય બન્યા હશે. નવપદપ્રકરણના કર્તા શ્રી દેવગુપ્તસૂરિજી જેમ ગ્રંથ રચના વખતે ગણિ હતાં પછીથી આચાર્ય બન્યા તેમ અહિં પણ સમજવું.
આ સિદ્ધસેનીય ટીકામાં બૌદ્ધ વિદ્વાન શ્રી ધર્મકીર્તિ તથા વસુબંધુTM આદિનો ઉલ્લેખ છે. શ્રી ધર્મકીર્તિજીનો સમય ઈ. સ. ૬૦૦થી ૬૫૦ હોવાનું ઘણા ખરા વિદ્વાનો માને છે. તથા આચારાંગાદિના ટીકાકાર શ્રી શીલંકાચાર્યજીના અનંતર કાલીન નિવૃત્તિકુલના શ્રી અભયદેવસૂરિજી મહારાજે પોતાની સમ્મતિતર્કની ટીકામાં ગંધહસ્તિ નામે શ્રી સિદ્ધસેનગણિજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓશ્રી વિક્રમીય ૧૦ સદી પૂર્વે થયા હશે, એ ફલિત થાય
છે.
૧. શ્રી દિન્નગણિ ક્ષમાશ્રમણ
શ્રી સિંહસૂર ક્ષમાશ્રમણ (દ્વાદશારનયચક્રના ટીકાકાર)
શ્રી ભાસ્વામિજી
શ્રી સિદ્ધસેનગણિજી (સૂરિજી) ગંધહસ્તિ (તત્ત્વાર્થ વૃત્તિકાર)
શ્રી બપ્પભટ્ટસૂરિજી (આમરાજા પ્રતિબોધક)
२. “पाण्मासिकभगवत्यङ्गोपाङ्गयोगोद्वहनावाप्तगणिनाम्ना “ખિનવન્તેન” પૂર્વાવસ્થાનામૃતત્, તોત્તરાવસ્થામાં ટેવગુપ્તાचार्येणेत्यर्थः । (श्री देवगुप्तसूरिकृतनवपदप्रकरणस्याचार्याभयदेवसूरिकृतभाष्य - टीकायाम् पृ-७१)
३. भिक्षुवरधर्मकीर्तिनाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादौ (તત્ત્વાર્થવૃત્તિ રૃ. ૩૬૭)
तस्मादेनः पदमेतत् वसुबन्धोरामिषगृद्धस्येव गृध्रस्येवाડપ્રેક્ષ્ય રિઃ । (૭/૭ તત્ત્વાર્થવૃત્તિ પૃ.૬૮.)
૪. “જ્ઞાતિ પન્યસ્ત વસુવધુવૈધેયેન” । (૭/૭ તત્ત્વાર્થવૃત્તિ પૃ.૬૮.)