SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૩૫ કરતો હોય. લગભગ ૧૦મી સદી સુધી કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથોનો નિર્દેશ અથવા એના પર ટીકાનો અભાવ એજ સિદ્ધ કરે છે કે કુન્દકુન્દાચાર્ય ડઢી શતાબ્દી પૂર્વે તો કોઈ પણ હાલતમાં નથી થયા. આ હકીકત મુનિરાજશ્રી કલ્યાણવિજયજીએ તથા પ્રો. મધુસૂદન ઢાંકીજીએ અનેક પ્રમાણોથી સાબિત કરી નાંખી છે. જ્યારે શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ વિક્રમની પ્રથમ સદીના પૂર્વે થયા છે. એથી એ સુનિશ્ચિત છે કે તત્ત્વાર્થસૂત્ર અને એના સ્વોપજ્ઞ ભાષ્ય પછી જ શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથો રચાયા છે. ' ૨. દિગંબર વિદ્વાનો તત્ત્વાર્થસૂત્ર સાથે ભાષ્યનો વિરોધ દર્શાવતા લખે છે કે : A. સૂત્ર ૨૭ માં લોકાન્તિક દેવોના ૯ ભેદ બતાવ્યા છે. પણ ભાષ્યકારે પૂર્વસૂત્રના ભાષ્યમાં અને આ સૂત્રના ભાષ્યમાં ૮ જ ભેદ દર્શાવ્યા છે. તેથી સૂત્ર-ભાષ્યનો ભેદ સ્પષ્ટ છે. B. સૂત્ર ૬ માં ઇન્દ્રિયની પછી કષાય અને ત્યારબાદ અવ્રત કહ્યું છે જ્યારે એ સૂત્રના ભાષ્યમાં પ્રથમ અવ્રતની પછી કષાય અને ત્યાર પછી ઇન્દ્રિયની વ્યાખ્યા કરવામાં આવી છે. C. સૂત્ર ૪૪ માં દેવોના દશ ભેદ કહ્યા અને ભાષ્યમાં ૧૧ ભેદ ગણાવ્યા છે. D. તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય શ્વેતામ્બર માન્ય આગમોની રચના પછી અર્થાતુ વિક્રમની પાંચમી સદી પછી ક્યારે બન્યું છે. A સમીક્ષા : A. લોકાન્તિક દેવોના સૂત્રમાં ૯ અને ભાષ્યમાં ૮ ભેદો દર્શાવ્યા એમાં અહિ કોઈ સૈદ્ધાત્તિક વિરોધ નથી પણ વિવક્ષા કરવાની શૈલી જુદી હોવાથી સંખ્યામાં ફરક છે. A. લોકાંતિક દેવોની ૮-૯ બંન્ને સંખ્યા આગમ (સમવાયાંગ)માં પ્રસિદ્ધ છે માટે કોઈ પણ માનો એમાં આગમ વિરોધ નથી: શ્રી સિદ્ધસેનગણિજીએ સંખ્યાગત ભિન્નતા જ દર્શાવી છે પણ એનો અર્થ એ નથી કે ભાષ્ય સ્વપજ્ઞ નથી. ખરેખર તો ભાગકાર સામે જે મૂળ પાઠ હશે તેમાં તો આઠ પ્રકારનો જ ઉલ્લેખ હશે અન્યથા ભાષ્યકાર આઠની સંખ્યાનો નિર્દેશ જ કેમ કરત? જો શરુઆતથી સૂત્રમાં ૯ પ્રકાર હોય તો ભાષ્યમાં ૮ શા માટે દર્શાવે તો આ મુજબનુ સમાધાન પણ કરી શકાય છે કે પાછળથી કોઈએ સમવાયાંગથી બંને સંખ્યાની સંગતિ દેખાડવા માટે સૂત્રમાં રિષ્ટને જોડીને ૯ની સંખ્યા કરી નાંખી હોય. એથી કોઈ દોષ નથી. B. અલબત્ત શ્વેતામ્બરીય આગમાદિ પુરાતન ગ્રંથોમાં સુત્રનિર્દિષ્ટ ક્રમ જ મળે છે. સૂત્રમાં અને ભાષ્યમાં જે આશ્રવ ભેદોનો ક્રમ ભેદ છે, એનાથી કોઈ સૈદ્ધાત્તિક અસંગતિ નથી, માત્ર વ્યાખ્યા નો ક્રમ જુદો છે. એ વાત ચોક્કસ છે કે શ્રી સિદ્ધસેન ગણિજીને જે પ્રતિ મળી એમાં ક્રમભેદ હતો. વળી ભાષ્યકારશ્રી અને શ્રી સિદ્ધસેનગણિમાં પણ ૫૦૦-૬૦૦ વર્ષનું અંતર છે. આ ક્રમ ભેદ પ્રતિલીપિ કરતાં કે મુખાઝ (મૌખિક પઠન-પાઠનની) પરંપરાના કારણે પણ થઈ શકે છે. જો ક્રમભંગ ને લઈ સૂત્રકાર અને ભાષ્યકારને ભિન્ન પરંપરાના કહેશો તો સંખ્યા ભંગ તો એના કરતાં ૧. “રૂ-મનિહ-ત્રાáિશરિપધાSSત્મરક્ષ-ત્તાપાના-ડનીewજીડડમિયથ-જિન્જિવિકાફવા ” २. “तद्यथा, इन्द्राः सामानिकाः त्रायस्त्रिंशाः पारिपद्याः आत्मरक्षाः लोकपालाः अनीकाधिपतयः अनीकानि प्रकीर्णकाः आभियोग्याः किल्बिपिकाश्चेति ।” ૩. “પંઢિયા પુuત્તા... વારિસાયા qUUUત્તા... પંવિર્ય પuU/ત્તા... વંઘવીના વિશ્વરિયા પૂuત્તા....” (સ્થાના સ્થાન ૨, उद्देश्य १ सू० ६०) “इंदियकसायअव्वयजोगा पंच चउ पंच तिन्नि कमा। किरियाओ पणवीसं इमाओ ताओ अणुकमसो" (નવતરૂઝર બા.૨૧)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy