________________
T
• ભૂમિકા છે
તત્ત્વાર્થાધિગમસૂત્ર હતો તેને હટાવી, મૂલપાઠમાં તેના સ્થાને ક્ષયોપશમનિમિત્ત એવો ભાષ્ય પાઠ મૂકી દીધો. અન્યથા.
ગુણપ્રત્યય' પાઠ પણ રાખી શકત. 7. વળી સર્વાર્થસિદ્ધિમાં સુધારેલો અધિક સ્પષ્ટ પાઠ હોવો એ જ વાત કહી આપે છે કે તે
ભાષ્યની પછી રચાઈ છે, જો કે આ સુધારેલા પાઠમાં “યથોક્ત” શબ્દ ખસી જવાથી એક નવી ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે તે આ કે શું ભવપ્રત્યય અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમ વિના જ થાય છે ? વાસ્તવમાં “યથોક્તનિમિત્તઃ” પાઠ ભવપ્રત્યય અવધિજ્ઞાન અને ગુણપ્રત્યય અવધિજ્ઞાન વચ્ચે જે સ્પષ્ટ ભેદરેખા ઉભી કરતો હતો, તેવું આ “ક્ષયોપશમનિમિત્ત” પાઠ નથી કરી શકતો. આ (ક્ષયોપશમનિમિત્ત)માં યથોક્તનિમિત્ત શબ્દથી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમ માટે જે આગમોક્ત તપ-સાધનાનો નિર્દેશ હતો તે સમાપ્ત થઈ ગયો. આ સમીક્ષા શ્રી સાગરમલજી જૈન દ્વારા કરાઈ છે જ્યારે પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજીએ નીચે પ્રમાણે સમીક્ષા કરી છે જે તત્ત્વાર્થની હારિભદ્રીય ટીકાને અનુસારી છે. બીજા અધ્યાયમાં ક્ષાયોપથમિકના ભેદોમાં અવધિજ્ઞાનને દેખાડવામાં આવશે એથી અહિ “થોનમઃ” પદ કહેવું એ જ ઉચિત છે. કેમકે અહિ તો પોત-પોતાના કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનાદિની ઉત્પત્તિ આ પ્રકરણમાં નિશ્ચિત થાય છે. પણ અહિ ક્ષયોપશમ શબ્દ કહેવાથી કોનું ગ્રહણ કરવું એ નિશ્ચિત નથી થતું. કેમકે મતિજ્ઞાનાદિ જ્ઞાન અને ચક્ષુદર્શનાદિ દર્શન અને બીજા પણ અજ્ઞાનાદિ ભાવો છે. અને તે પણ પોતપોતાના આવરક કર્મના ક્ષયોપશમથી થાય છે. તો પછી અહિ ક્યાં ક્ષયોપશમને લેવું ? એ સંશય થશે. એશ્લે ક્ષયોપશમ સાથે એટલુ જરૂર કહેવું પડશે કે “વિશ્વક્ષયોપશમનિમિત્ત” અવધિઃ મનુષ્ય તિર્યચ્ચને હોય છે. અહિં એવી શંકા જરૂર થશે કે કર્મની પ્રકૃતિના ક્ષયોપશમનો અધિકાર હજુ સુધી કહ્યો જ નથી. તો પછી અહિ “યથોનિમિત્ત” કઈ રીતે કહેવાય ? પણ આ શંકા કરવાની જરૂર નથી. કેમકે શાસ્ત્રકાર વાચકશ્રીએ જૈન શાસ્ત્રના આધારે જ ગ્રંથ બનાવ્યો છે. એથી શાસ્ત્રનો અધિકાર લઈને “થોનિમિત્ત” એમ કહી શકે છે. વ્યાકરણ શાસ્ત્રાદિની જેમ સ્વતંત્ર સંજ્ઞાદિ વિધાન કરીને શાસ્ત્ર નથી બનાવ્યું. પણ જૈન શાસ્ત્રનો જ એક ભાગ સંગૃહીત કર્યું છે. એથી જ જ્ઞાનાદિ, કર્માદિ, લોકાદિ, ઔપશમિકાદિ અનેક પદાર્થોનું સ્વરૂપે અહિ નથી કહ્યું. દિગમ્બરો જો એવું કહેતાં હોય કે શાસ્ત્રમાં કહેલ વચનને ધ્યાનમાં લઈને જ શાસ્ત્રકારે ક્ષયોપશમનિમિત્ત એવું કહ્યું છે તો એ વાત પણ અસંગત છે કારણ કે જો શાસ્ત્રની અપેક્ષાએ જ અહિં કહેવું હતું તો પણ થોøનિમિત્ત એટલું કહેવું જ પર્યાપ્ત = ઉચિત છે, કેમકે લાઘવ પણ આમાંજ છે. અને ક્ષયોપશમશબ્દ આપેક્ષિક હોવાથી અવધિજ્ઞાનાવરણને કહ્યા વિના કઈ રીતે
યોપશમની વ્યાખ્યા થશે ? માટે ક્ષયો શનિમિત્ત ના બદલે યથોનિમિત્ત પાઠ જ યુક્તિયુક્ત છે. આગમ વિરોધ દર્શાવતા દિગંબર વિદ્વાનો લખે છે કે - A. તત્ત્વાર્થસૂત્રમાં ત્રિવિધ મોક્ષમાર્ગ, B. સાત તત્ત્વ, C. આઠ અનુયોગદ્વાર, D. પાંચ નય, દ. આઠ લોકાંતિક દેવ અને ર નવ પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કર્યું છે. જ્યારે આગમમાં ચતુર્વિધ મોક્ષમાર્ગ, નવતત્ત્વ, નવ અનુયોગદ્વાર, સાત નય, નવ